સુરેશ રૈનાએ વર્લ્ડ કપ 2023ના બેસ્ટ ફીલ્ડર્સના નામ જણાવ્યા, 2 ભારતીય બોલરો સામેલ

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રહેલા સુરેશ રૈનાએ વર્લ્ડ કપ 2023ના પોતાના ફેવરિટ ફીલ્ડર્સના નામ જણાવ્યા છે. સુરેશ રૈનાએ એ ખેલાડીઓના નામ જણાવ્યા જેમણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી સારી ફીલ્ડિંગ કરી છે. રૈનાએ તેની આ લિસ્ટમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવને પણ સામેલ કર્યો છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાનું પણ તેણે નામ લીધું છે.

સુરેશ રૈનાની વાત કરીએ તો, તે પોતાના જમાનાના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક હતો. રૈના ધુંઆધાર બેટિંગ તો કરતો જ હતો. પણ તેની સાથે જ તે ખૂબ જ જોરદાર ફીલ્ડર પણ હતો. સુરેશ રૈના ક્રિકેટના મેદાનમાં તેની ફીલ્ડિંગ માટે જાણીતો હતો. આ કારણે જ જ્યારે પણ ક્રિકેટ જગતમાં ફીલ્ડિંગની વાત આવે છે તો રૈનાનું નામ જરૂર લેવામાં આવે છે.

રૈનાએ કહ્યું- આ સ્પિનર ફીલ્ડિંગ દરમિયાન ઘણી ડાઈવ મારે છે

ICC સાથેની વાતચીતમાં સુરેશ રૈનાએ વર્લ્ડ કપના બેસ્ટ ફીલ્ડર્સ વિશે જણાવ્યું કે, હું રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલનું નામ લઇશ. ત્યાર પછી ગ્લેન ફીલિપ્સ પણ છે. તે ખૂબ જ સારા કેચ લઇ રહ્યો છે. આ ઉપરાંત સૌથી અગત્યનો ફીલ્ડર કુલદીપ યાદવ છે. મને લાગે છે કે બાઉન્ડ્રી લાઇન પર કે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તે ઘણી ડાઈવ પણ મારી રહ્યો છે. એક બોલર તરીકે આવું કરવું સરળ નથી. તે પોતાની ફીલ્ડિંગને ખાસ્સી એન્જોય કરી રહ્યો છે.

તમને જણાવીએ કે, આ પહેલા કુલદીપ યાદવે પોતાની બેટિંગને લઇ પણ એક મોટી પ્રતિક્રિયા આપી હતી. કુલદીપ યાદવ અનુસાર, બોલિંગ ઉપરાંત બેટિંગ પર પણ કામ કરી રહ્યો છે. જેથી જરૂર પડવા પર ટીમ માટે તે પોતાનો ફાળો આપી શકે. જણાવીએ કે, કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 13 બોલમાં 9 રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહની સાથે સારી પાર્ટનરશીપ કરી હતી. 

29 ઓક્ટોબરના રોજ રવિવારે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે લખનૌમાં મેચ રમાઈ હતી. મેચ શરૂ થવા પહેલા ભારતીય ટીમના બે પૂર્વ ક્રિકેટર વર્લ્ડ કપની ટ્રોફી લઇને મેદાન પર પહોંચ્યા હતા. સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે, તેઓ આ ટ્રોફી લઇ મેદાન પર પહોંચ્યા હતા. આ તેમનું ઘરેલૂ મેદાન પણ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.