વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઝહીર ખાનની સલાહ, નંબર-4 પર બેટિંગને લઇને વ્યક્ત કરી શંકા

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે, શ્રેયસ ઐય્યરની ઇજા અને એક બાદ એક વન-ડેમાં સૂર્યકુમાર યાદવની સતત 3 નિષ્ફળતાઓએ ફરી એક વખત ભારતીય ટીમને વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કપની નાવ પર લાવીને ઊભી કરી દીધી છે. 4 વર્ષ અગાઉ મેગા ઇવેન્ટ માટે ભારત નંબર-4ની સ્થિતિ પર એક સ્થાયી બેટ્સમેન શોધવા સંઘર્ષ કરી રહી હતી. આ એક કારણ હેતું કે, ટીમ ટૂર્નામેન્ટની સેમીફાઇનલ બાદ આગળ વધી ન શકી. 50 ઓવરનો વર્લ્ડ કપ આ વખત ભારતમાં આયોજિત થઈ રહ્યો છે અને ઝહીર ખાનને લાગે છે કે, મેજબાન ટીમે નંબર-4ના બેટિંગ ક્રમ પર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

સૂર્યકુમાર યાદવ જેને ભારતીય ટીમના વન-ડે નિયમિત નંબર-4 બેટ્સમેન શ્રેયસ ઐય્યરની ભૂમિકા લેવાની આશા હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ સમાપ્ત થયેલી વન-ડે સીરિઝમાં સતત 3 વખત ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો, જેથી બેટિંગની સ્થિતિના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળ છવાઈ ગયા છે. ઝહીર ખાને કહ્યું કે, બેટિંગ ક્રમમાં કંઈક એવું છે, જેના પર નિશ્ચિત રૂપે તેમણે ફરીથી વિચાર કરવું પડશે. તેમણે ફરી નંબર-4નો વિકલ્પ શોધવો પડશે.

તેણે કહ્યું કે, એ કંઈક એવું હતું જેના પર વર્ષ 2019ના વર્લ્ડ કપ માટે પણ ચર્ચા થઈ હતી. આપણે 4 વર્ષ બાબતે વાત કરી રહ્યા છીએ. હવે જો આપણે એ જ નાવમાં છીએ. હાં હું સમજુ છું કે શ્રેયસ ઐય્યર તમારો નામિત નંબર-4 હતો. તમે વાસ્તવમાં તેને એ ભૂમિકા અને જવાબદારી લેતા જોઈ રહ્યા છો, પરંતુ જો તે લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહેવાનો છે તો વાસ્તવમાં એ જવાબ શોધવા પડશે. ઝહીર ખાને એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું કે, એ ધ્યાન આપવા યોગ્ય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવનું સમર્થન કર્યું હતું.

રોહિત શર્માએ કહ્યું હતું કે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં માત્ર 3 જ બૉલ રમી શક્યો. એ કોઈ પણ સાથે થઈ શકે છે. તે શાનદાર બૉલ પર આઉટ થયો. આ મેચની વાત કરીએ તો તેણે શૉટ ખોટો પસંદ કરી લીધો હતો. અમે તેને પહેલાથી જાણીએ છીએ તે સ્પિન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરે છે. એટલે અમે તેને પછી માટે બચાવી રાખ્યો હતો, જેથી તે છેલ્લી 15-20 ઓવરોમાં ખૂલીને બેટિંગ કરી શકે. તેની અંદર ક્વાલિટી પણ છે અને ક્ષમતા પણ. બસ તે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.