પાકિસ્તાનમાં પેસેન્જર બસમાં ભીષણ આગ, 16 લોકો જીવતા સળગતા મોત

પાકિસ્તાનમાં ડીઝલ ડ્રમ લઇને જતી એક પીકઅપ વાન સાથે યાત્રી બસની ટકકર લાગવાને કારણે બસમાં બેઠેલા 16 લોકો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.

પાકિસ્તાનનના ફૈસલાબાદમાં એક મુસાફર બસમાં ભીષણ આગની ઘટના બની છે જેમાં 16 લોકોના મોત થયા છે અને 15 મુસાફરો ઘાયલ થયા છે, મોતને ભેટનારાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે આ યાત્રી બસે ડીઝલના ડ્રમને લઇ જતા એક પીકઅપ વાનને ટક્કર મારી હતી. સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને યાત્રીઓને બહાર કાઢી લીધા હતા જેને કારણે અનેક લોકોના જીવ બચી ગયા હતા.

જાણવા મળેલી વિગત મુજબ કરાચીથી ઇસ્લામાબાદ જઇ રહેલી બસમાં લગભગ 35થી 40 મુસાફરો હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જિલ્લા પોલીસ અધિકારી ડોકટર ફહદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ફૈસલાબાદના ઉત્તરી વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં શનિવારે બસમાં ભીષણ વિસ્ફોટ થયો અને વિકરાળ આગ ફાટી નિકળી હતી. મુસાફરોને લઇને જતી બસની ડીઝલ લઇને જતી પીકઅપ વાન સાથે ટકકર થઇ અને થોડી જ વારમાં બસમાં આગ લાગી હતી અને ક્ષણવારમામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

ગયા મહિનાની શરૂઆતમાં પણ પંજાબના રાજનપુર જિલ્લાના ફાઝિલપુર વિસ્તારમાં એક બસ પલટી ખાઇ જવાને કારણે એક મહિલા અને 2 બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાનના ન્યૂઝ પેપરમાં સ્થાનિક ડેપ્યુટી કમિશ્નર રેહાન ગુલનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે શનિવારે રાત્રે વજીરિસ્તાનના શબાલ વિસ્તારમાં બસમાં આગ લાગી હતી.પોલીસે કહ્યું હતું કે એક ખાનગી બસ હતી જે આગને હવાલે થઇ ગઇ હતી. અત્યાર સુધી અધિકારીઓએ સત્તાવાર મોતનો આંકડો જાહેર કર્યો નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છ કે 16 લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત લોકોનો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ પાકિસ્તાનના ફૈસલાબાદમાં શનિવારે મોડી રાત્રે બસમાં આગ ફાટી નિકળી હતી ત્યારે મુસાફરો ઉંઘમાં હતા અને મોટાભાગના તો ઉંઘમાં જ ભડથું થઇ ગયા હતા.બસમાં એટલી ઝડપે આગ ફેલાઇ ગઇ હતી કે ઘણા મુસાફરોને બસમાંથી નિકળવાનો ચાન્સ જ મળ્યો, સ્થાનિક લોકોના કહેવા મુજબ મોતનો આંકડો વધી શકે છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.