ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ

ઓસ્ટ્રેલિયામાં હિંદુ દેવી-દેવતાઓના મંદિરોમાં તોડફોડની ઘટનાઓ ઓછી થતી જણાતી નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં શનિવારે તોડફોડની ઘટના બની હતી. લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડની આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકોનો હાથ જણાવવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં મંદિરમાં તોડફોડની આ ચોથી ઘટના છે. આ ઘટનાની માહિતી ત્યારે મળી જ્યારે સવારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા હતા. સ્થાનિક ન્યૂઝ પેપરની માહિતી અનુસાર, ખાલિસ્તાની સમર્થકોએ કથિત રીતે બ્રિસબેનના દક્ષિણમાં બરબેંકમાં શ્રીલક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી.

અગાઉ પણ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિર ગાયત્રી મંદિરને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ કોલ પાકિસ્તાનના લાહોર શહેરમાંથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના લાહોરથી કરવામાં આવેલા ફોન કોલ્સ કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા હતા.

મંદિરની નજીક રહેતા રમેશ કુમારે સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, 'મને ખબર છે કે મેલબોર્નના હિંદુ મંદિરોમાં શું થયું છે. પરંતુ આ નફરતનો સામનો કરવો એ પોતાનામાં ખૂબ જ દુઃખદ અનુભવ છે.'

મંદિરના પ્રમુખ સતીન્દર શુક્લાએ સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું કે, મંદિરના પૂજારીઓ અને ભક્તોએ આજે સવારે ફોન કરીને મને મંદિરની બાઉન્ડ્રી વોલ પર તોડફોડની જાણ કરી હતી. શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ અધિકારીઓ સાથે મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજીને આ અંગે વિગતવાર નિવેદન આપશે. અગાઉ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિરને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.

હિંદુ હ્યુમન રાઈટ્સે ખાલિસ્તાનના આ કૃત્યને હિંદુઓને આતંકિત કરવાની પેટર્ન ગણાવી છે. હિંદુ માનવાધિકારના મહાનિર્દેશક સારાહ એલ ગેટ્સે સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, હિંદુ મંદિરો પર હુમલા એ ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની પેટર્ન છે. તેનો હેતુ ઓસ્ટ્રેલિયન હિન્દુઓને આતંકિત કરવાનો છે.

ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી 6.84 લાખ છે. હિંદુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. આ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7% છે. આ આંકડા 2021ની વસ્તી ગણતરીના છે. વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારતીય વિદ્યાર્થીઓ બીજા નંબરે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.