ઈઝરાયલના આ પગલાથી મુસ્લિમ દેશો ગુસ્સે થયા, હવે પાકિસ્તાને આપી ચેતવણી

ઇઝરાયેલના કટ્ટર દક્ષિણપંથી મંત્રી ઇતામાર બેન-ગવિરે મંગળવારે જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી હતી. સાઉદી અરેબિયા, જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાત બાદ હવે પાકિસ્તાને પણ ઈઝરાયેલના મંત્રીની આ મુલાકાતની આકરી નિંદા કરી છે.

અલ-અક્સા મસ્જિદ મક્કા અને મદીના પછી ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. આ જગ્યાને લઈને યહૂદીઓ અને પેલેસ્ટાઈન વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.

પાકિસ્તાને ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીની અલ-અક્સા મસ્જિદ સંકુલની મુલાકાતને અસંવેદનશીલ અને ઉશ્કેરણીજનક ગણાવી છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અલ-અક્સા વિશ્વભરના મુસ્લિમો માટે આદરણીય પવિત્ર સ્થળ છે. તેનું ઉલ્લંઘન મુસ્લિમોની ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડવાનું છે. પાકિસ્તાને કહ્યું કે, ઈઝરાયેલના મંત્રીનું આ પગલું પેલેસ્ટાઈન વિસ્તારમાં પહેલાથી જ તંગ પરિસ્થિતિને વધુ ઉશ્કેરે છે.

નિવેદનમાં પાકિસ્તાને કહ્યું છે કે, ઈઝરાયલે તેની ગેરકાયદેસર ગતિવિધિઓ બંધ કરવી જોઈએ અને કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની પવિત્રતાનું સન્માન કરવું જોઈએ.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ફરી એકવાર પેલેસ્ટિનિયનોની માંગને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન UN અને OICના ઠરાવ મુજબ 1967 પહેલાની સરહદો પર આધારિત સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યનું સમર્થન કરે છે.

પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, પેલેસ્ટાઈન અને જોર્ડને પણ ઈઝરાયેલના મંત્રીના આ પગલા પર આકરી પ્રતિક્રિયા આપી છે.

સાઉદી વિદેશ મંત્રાલયે કહ્યું, 'સાઉદી અરેબિયા ઇઝરાયેલના મંત્રીની અલ-અક્સા મસ્જિદની મુલાકાતની સખત નિંદા કરે છે.' સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઈનની આઝાદીની માંગનું સમર્થન કરતાં કહ્યું કે, સાઉદી અરેબિયા પેલેસ્ટાઈનની જનતાની સાથે મક્કમતાથી ઊભું છે.

UAEના વિદેશ મંત્રાલયે પણ ઈઝરાયેલના મંત્રીના મસ્જિદ સંકુલમાં પ્રવેશની આકરી નિંદા કરી છે. UAEએ ઈઝરાયલને આહ્વાન કર્યું છે કે, એવું કોઈ પગલું ન ભરે જેનાથી જેરુસલેમ ક્ષેત્રમાં તણાવ વધે અને અસ્થિરતા ફેલાય.

જોર્ડનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, જોર્ડન મંત્રીના અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ અને તેની પવિત્રતાના ઉલ્લંઘનની સખત નિંદા કરે છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને જોર્ડને ઈઝરાયેલના રાજદૂતને પણ બોલાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 1947માં પ્રાચીન પેલેસ્ટાઈનના વિભાજન પછી, 55 ટકા જમીન યહૂદીઓને અને 45 ટકા પેલેસ્ટાઈનીઓને આપવામાં આવી હતી. પરંતુ 1967માં ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને જેરુસલેમ પર ઈઝરાયેલના કબજા બાદ પેલેસ્ટાઈન સાથેનો વિવાદ વધુ વકર્યો.

જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતી હોવા છતાં, યહુદીઓએ ભૂતકાળમાં અનેકવાર નમાજ પઢવા માટે મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને પક્ષે તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઘણી વખત હિંસક અથડામણ પણ થઈ છે.

કરાર હેઠળ, બિન-મુસ્લિમોને પણ મસ્જિદ પરિસરની અંદર જવાની મંજૂરી છે પરંતુ તેમને નમાજ પઢવાની મંજૂરી નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.