ચામાચીડિયા ખાધા પછી બે દિવસમાં જ મૃત્યુ 53 લોકોએ જીવ ગુમાવ્યો

મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં 'રહસ્યમય રોગ'ને કારણે 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું માનવામાં આવે છે કે, ત્રણ બાળકોએ 'ચામાચીડિયાનું માંસ' ખાધા પછી 'રહસ્યમય રોગ' (કોંગો બેટ વાયરસ) ફેલાયો હતો. આ રોગથી પીડિત લોકોમાં તાવ, ઉલટી, આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. લક્ષણો દેખાયાના 48 કલાકની અંદર લોકો મૃત્યુ પામે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ રોગ 21 જાન્યુઆરીએ કોંગોના બોમેટે ગામમાં શરૂ થયો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આફ્રિકા એકમે જણાવ્યું હતું કે. તાજેતરમાં એક ગામના ત્રણ બાળકોએ ચામાચીડિયાનું માંસ ખાધું હતું. આ પછી, તેનામાં તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાયા. આના 48 કલાક પછી જ તેમનું અવસાન થયું. આ પછી, બીજા ગામમાંથી આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા. અહીંના લોકોમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા. જોકે, WHOએ બે ગામડાઓમાં કેસ વચ્ચે કોઈ જોડાણ હોવાનો ઇનકાર કર્યો છે.

Mysterious-Disease2

હાલમાં, આ સંબંધિત 431 કેસ નોંધાયા છે. 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. WHOએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કોઈ અન્ય ચેપ છે કે કોઈ ઝેરી તત્વ છે. અમારે એ પણ જોવું પડશે કે શું કરી શકાય છે અને WHO કયા સ્તરે મદદ કરી શકે છે.

સામાન્ય રીતે ઇબોલા, ડેન્ગ્યુ અને પીળા તાવ જેવા રોગોમાં આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, તાજેતરના કેસોમાં આ રોગોના વાયરસ પણ હોઈ શકે છે. WHOએ જણાવ્યું કે આ તપાસ માટે 13 નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રાજધાની કિન્શાસામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોમેડિકલ રિસર્ચમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તપાસ દરમિયાન, નમૂનાઓમાં આ રોગોના વાયરસ મળ્યા નથી. જોકે, કેટલાક કિસ્સાઓમાં મેલેરિયા વાયરસ મળી આવ્યો છે.

Mysterious-Disease1

ગયા વર્ષે, કોંગોમાં બીજા એક રહસ્યમય ફ્લૂ જેવા રોગે ડઝનબંધ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે, તેમને મેલેરિયા થયો હતો. જ્યારે, લાંબા સમયથી એ વાતની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જ્યાં જંગલી પ્રાણીઓ ખાવામાં આવે છે ત્યાં રોગો પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. WHO2022માં કહ્યું હતું કે, છેલ્લા દાયકામાં આફ્રિકામાં આવા રોગોની સંખ્યામાં 60 ટકાથી વધુનો વધારો થયો છે.

Related Posts

Top News

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Copyright (c) Khabarchhe All Rights Reserved.