ચામાચીડિયા ખાધા પછી બે દિવસમાં જ મૃત્યુ 53 લોકોએ જીવ ગુમાવ્યો

મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં 'રહસ્યમય રોગ'ને કારણે 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું માનવામાં આવે છે કે, ત્રણ બાળકોએ 'ચામાચીડિયાનું માંસ' ખાધા પછી 'રહસ્યમય રોગ' (કોંગો બેટ વાયરસ) ફેલાયો હતો. આ રોગથી પીડિત લોકોમાં તાવ, ઉલટી, આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. લક્ષણો દેખાયાના 48 કલાકની અંદર લોકો મૃત્યુ પામે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ રોગ 21 જાન્યુઆરીએ કોંગોના બોમેટે ગામમાં શરૂ થયો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આફ્રિકા એકમે જણાવ્યું હતું કે. તાજેતરમાં એક ગામના ત્રણ બાળકોએ ચામાચીડિયાનું માંસ ખાધું હતું. આ પછી, તેનામાં તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાયા. આના 48 કલાક પછી જ તેમનું અવસાન થયું. આ પછી, બીજા ગામમાંથી આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા. અહીંના લોકોમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા. જોકે, WHOએ બે ગામડાઓમાં કેસ વચ્ચે કોઈ જોડાણ હોવાનો ઇનકાર કર્યો છે.

Mysterious-Disease2

હાલમાં, આ સંબંધિત 431 કેસ નોંધાયા છે. 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. WHOએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કોઈ અન્ય ચેપ છે કે કોઈ ઝેરી તત્વ છે. અમારે એ પણ જોવું પડશે કે શું કરી શકાય છે અને WHO કયા સ્તરે મદદ કરી શકે છે.

સામાન્ય રીતે ઇબોલા, ડેન્ગ્યુ અને પીળા તાવ જેવા રોગોમાં આંતરિક રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, તાજેતરના કેસોમાં આ રોગોના વાયરસ પણ હોઈ શકે છે. WHOએ જણાવ્યું કે આ તપાસ માટે 13 નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રાજધાની કિન્શાસામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોમેડિકલ રિસર્ચમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તપાસ દરમિયાન, નમૂનાઓમાં આ રોગોના વાયરસ મળ્યા નથી. જોકે, કેટલાક કિસ્સાઓમાં મેલેરિયા વાયરસ મળી આવ્યો છે.

Mysterious-Disease1

ગયા વર્ષે, કોંગોમાં બીજા એક રહસ્યમય ફ્લૂ જેવા રોગે ડઝનબંધ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે, તેમને મેલેરિયા થયો હતો. જ્યારે, લાંબા સમયથી એ વાતની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જ્યાં જંગલી પ્રાણીઓ ખાવામાં આવે છે ત્યાં રોગો પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. WHO2022માં કહ્યું હતું કે, છેલ્લા દાયકામાં આફ્રિકામાં આવા રોગોની સંખ્યામાં 60 ટકાથી વધુનો વધારો થયો છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.