વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક નવો રંગ શોધવાનો દાવો કર્યો છે. આ રંગનું નામ છે ઓલો. રસપ્રદ વાત એ છે કે, આ રંગને અત્યાર સુધી માત્ર 5 લોકો જ જોઈ શક્યા છે. તે દેખાવમાં થોડા અંશે વાદળી-લીલા રંગ જેવો છે, પરંતુ તેની ચમક અને ચેજ એટલી બધી છે કે તેને નરી આંખે જોઈ શકાતો નથી. ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિકોએ તેને જોવા માટે એક ખાસ ટેક્નિક વિકસાવી છે. તેને ઓઝ વિઝન સિસ્ટમ કહેવામાં આવે છે.

colour olo
hindi.etnownews.com

 

એક્સપરિમેન્ટમાં અમેરિકાના સંશોધકોની આંખોમાં લેસર પલ્સ નાખવામાં આવ્યા હતા. આ લેઝર પલ્સ આંખોની રેટિનામાં વ્યક્તિગત કોશિકાઓ (સેલ્સ)ને ઉત્તેજિત કર્યા અને જોવાની ક્ષમતાની પ્રાકૃતિક સીમાઓથી વિરુદ્ધ ધકેલી દીધા. તેમને એક નવો રંગ નજરે પડ્યો. જ્યારે લેઝરને ખૂબ જ સામાન્ય ઝટકો આપવામાં આવ્યો, ત્યારે લોકોએ આ નવા રંગની ઝલક જોઈ. તેમણે તેને મેઘધનુષ્યથી વિરુદ્ધ બતાવ્યો, એટલે કે, એવો રંગ જે આપણી સામાન્ય રંગોની ઓળખથી ખૂબ જ અલગ છે.

colour olo
ndtv.com

 

આ રંગ કેવો દેખાય છે?

બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના, એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રેન એનજી, આ પ્રયોગમાં ભાગ લેનારા 5 લોકોમાંથી એક હતા. તેમણે જણાવ્યું કે, વાદળી અને લીલા જેવો છે, પરંતુ તેનાથી ખૂબ વધારે  કરતા ચમકદાર અને ઊંડો છે. તેઓ કહે છે કે, જેમ કોઈએ જિંદગીમાં બસ હલકા ગુલાબી રંગ જોયા હોય અને પછી અચાનક એક એવો ગુલાબી રંગ જુએ જે સૌથી અલગ હોય, બરાબર એવો જ છે ઓલો. બીજી તરફ, કેટલાક વિશેષજ્ઞ શોધથી પૂરી રીતે સહમત નથી. તેમનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી, પરંતુ માત્ર એક ચમકદાર લીલો રંગ છે. લંડન યુનિવર્સિટીના વિઝન સાયન્ટિસ્ટ રોન બાર્બરનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી. આ રિસર્ચ ખૂબ જ સીમિત હતું. આ એક વધુ ચમકદાર લીલો રંગ છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.