વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક નવો રંગ શોધવાનો દાવો કર્યો છે. આ રંગનું નામ છે ઓલો. રસપ્રદ વાત એ છે કે, આ રંગને અત્યાર સુધી માત્ર 5 લોકો જ જોઈ શક્યા છે. તે દેખાવમાં થોડા અંશે વાદળી-લીલા રંગ જેવો છે, પરંતુ તેની ચમક અને ચેજ એટલી બધી છે કે તેને નરી આંખે જોઈ શકાતો નથી. ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિકોએ તેને જોવા માટે એક ખાસ ટેક્નિક વિકસાવી છે. તેને ઓઝ વિઝન સિસ્ટમ કહેવામાં આવે છે.

colour olo
hindi.etnownews.com

 

એક્સપરિમેન્ટમાં અમેરિકાના સંશોધકોની આંખોમાં લેસર પલ્સ નાખવામાં આવ્યા હતા. આ લેઝર પલ્સ આંખોની રેટિનામાં વ્યક્તિગત કોશિકાઓ (સેલ્સ)ને ઉત્તેજિત કર્યા અને જોવાની ક્ષમતાની પ્રાકૃતિક સીમાઓથી વિરુદ્ધ ધકેલી દીધા. તેમને એક નવો રંગ નજરે પડ્યો. જ્યારે લેઝરને ખૂબ જ સામાન્ય ઝટકો આપવામાં આવ્યો, ત્યારે લોકોએ આ નવા રંગની ઝલક જોઈ. તેમણે તેને મેઘધનુષ્યથી વિરુદ્ધ બતાવ્યો, એટલે કે, એવો રંગ જે આપણી સામાન્ય રંગોની ઓળખથી ખૂબ જ અલગ છે.

colour olo
ndtv.com

 

આ રંગ કેવો દેખાય છે?

બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના, એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રેન એનજી, આ પ્રયોગમાં ભાગ લેનારા 5 લોકોમાંથી એક હતા. તેમણે જણાવ્યું કે, વાદળી અને લીલા જેવો છે, પરંતુ તેનાથી ખૂબ વધારે  કરતા ચમકદાર અને ઊંડો છે. તેઓ કહે છે કે, જેમ કોઈએ જિંદગીમાં બસ હલકા ગુલાબી રંગ જોયા હોય અને પછી અચાનક એક એવો ગુલાબી રંગ જુએ જે સૌથી અલગ હોય, બરાબર એવો જ છે ઓલો. બીજી તરફ, કેટલાક વિશેષજ્ઞ શોધથી પૂરી રીતે સહમત નથી. તેમનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી, પરંતુ માત્ર એક ચમકદાર લીલો રંગ છે. લંડન યુનિવર્સિટીના વિઝન સાયન્ટિસ્ટ રોન બાર્બરનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી. આ રિસર્ચ ખૂબ જ સીમિત હતું. આ એક વધુ ચમકદાર લીલો રંગ છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.