ચીને ઈરાનને આ યુદ્ધમાં એકલું કેમ છોડી દીધું? જવાબ સાંભળીને પાકિસ્તાન ખુશ થઈ જશે

પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધી છે. આની અસર ભારત અને ચીન સહિત સમગ્ર વિશ્વ પર પડી છે; ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા દિવસોથી એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે, બીજિંગે આ યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાને બદલે તેહરાનથી આટલું અંતર કેમ જાળવી રાખ્યું છે? અને જો પાકિસ્તાન ક્યારેક યુદ્ધમાં ફસાઈ ગયું, ત્યારે પણ શું ચીન આ જ વ્યૂહરચના અપનાવશે?

ચેરિટી ગ્રુપ 'યુકે-ચાઇના ટ્રાન્સપરન્સી'ના ટ્રસ્ટી હોવર્ડ ઝાંગે આ ભેદ પર પ્રકાશ પાડ્યો છે. NDTVના અહેવાલ મુજબ, તેઓ કહે છે કે, ‘વ્યૂહાત્મક ભાગીદારી હોવા છતા ચીને અત્યાર સુધી ઈરાનને માત્ર રાજદ્વારી સહાનુભૂતિ આપી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. આ ઉપરાંત, મીડિયામાં  વધારી-ચઢાવીને વાત કરી છે. તેણે સુરક્ષા ગેરંટી અથવા સીધો લશ્કરી સપોર્ટ જેવા હસ્તક્ષેપો કર્યા નથી, જેથી ચીન પૂરી રીતે તેહરાનના પક્ષમાં આવી જાય.

Jinping1
table.media

ઝાંગ જણાવે છે કે આ ભેદ જ અસલી કહાની છે. ચીનની ભાગીદારી સાચી છે, પરંતુ પાકિસ્તાન સાથેના તેના સંબંધોની સમકક્ષ નથી. તેમણે જણાવ્યું કે, ચીન 'દોસ્તી અને દોસ્તના મહત્ત્વના આધાર પર સંબંધ બનાવે છે. પશ્ચિમી રાષ્ટ્રો (જેમ કે NATO)ની જેમ કાનૂની સુરક્ષા ગેરંટી'ના આધારે નહીં.

આ જ 'ગઠબંધન' વર્સિસ 'ભાગીદારી' વચ્ચેનો તફાવત છે. પશ્ચિમી દેશોની સિસ્ટમ એક પર હુમલો બધા પર હુમલાની કાનૂની ગેરંટી પર ચાલે છે તેનાથી વિપરીત, ચીન કોઈપણ રાષ્ટ્રને કોઈ સુરક્ષા ગેરંટી આપતું નથી. તે 'ભાગીદારી' શબ્દનો ઉપયોગ કરે છે, જેથી કોઈ યુદ્ધમાં ફસાવાની કાયદાકીય મજબૂરી ન રહે. આ અભિગમ લચીલું હોય છે અને મુખ્યત્વે વેપાર પર કેન્દ્રિત હોય છે.

Jinping2
scmp.com

આ ઉપરાંત, ચીન અન્ય રાષ્ટ્રોને બરબારના સાથીના બદલે સીડી તરીકે જુએ છે. તે દરેક દેશને તેના મહત્ત્વના હિસાબે 'લેબલ' આપે છે. આ હાયરાર્કીમાં રશિયા સૌથી આગળ છે, જ્યારે પાકિસ્તાન એક ખાસ સુરક્ષા સ્તરમાં છે. ઝાંગ લખે છે કે, ‘પાકિસ્તાન એટલું ઉપયોગી, ખૂબ વધારે જોડાયેલુ અને ભૌગોલિક રીતે એટલું મહત્ત્વપૂર્ણ છે કે તેને ફક્ત એક મિત્ર રાષ્ટ્ર તરીકે ગણી શકાય નહીં.

દાયકાઓથી પાકિસ્તાને લશ્કરી સહયોગ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) દ્વારા ચીનના પશ્ચિમી પ્રદેશોને સહારો આપે છે, જેના કારણે બીજિંગને અરબી સમુદ્ર સુધી વ્યૂહાત્મક પહોંચ મળે છે. તેનાથી વિપરીત, ઈરાન નીચલા સ્તર પર છે. ઝાંગ સ્પષ્ટપણે કહે છે કે, ‘ઈરાન ચીન માટે મહત્ત્વ ધરાવે છે, પરંતુ એટલુ નહીં કે વધારે ફરક પડે... બીજિંગ ઈરાનને એક સપ્લાયર અને ઉપયોગી રાજદ્વારી ભાગીદાર તરીકે પસંદ કરે છે. તે ઈરાનને એટલું પણ મહત્ત્વ આપતું નથી કે તેના માટે લડે અને કોઈપણ કિંમતે તેનો બચાવ કરે.

Jinping3
idnfinancials.com

અહી સુધી કે, જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી હતી, ત્યારે પણ બીજિંગે પોતાની પ્રતિક્રિયાને ફક્ત સંયમની અપીલ સુધી મર્યાદિત રાખી હતી. જ્યારે આ રસ્તે થઈને ચીનની તેલ આયાતનો મોટો હિસ્સો પસાર થાય છે.

About The Author

Related Posts

Top News

યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે...
World 
યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

'મા ની તબિયત ખરાબ' આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે...
National 
'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે...
Business  Gujarat 
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ...
Gujarat 
UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.