દુનિયાના સૌથી મોટા કરોળિયાના કારણે થયો અકસ્માત, હૉસ્પિટલમાં દાખલ થવાની આવી નોબત!

દુનિયમાં રોજ ક્યાંક ને ક્યાંક રોડ અકસ્માત થાય છે. લોકોના મોત થાય, ઇજાગ્રસ્ત થાય છે. થોડા સમય માટે ચર્ચા ચાલે છે અને પછી શાંતિ, પરંતુ ત્યારે શું જ્યારે પુરપાટ ઝડપે જતી બાઇકથી જઇ રહેલો બાઇકર, એક કરોળિયા સાથે ટકરાઇ જાય અને અકસ્મા કંઇક એવો હોય કે તેનાથી બાઇકરે હૉસ્પિટલ જવું પડે. કેલિફોર્નિયામાં રોડ પર કરી રહેલો ટારેંટયુલા કરોળિયા સાથે એક બાઇક સવારની ટક્કર કંઇક એવી થઇ કે ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો.

ઘટના કેલિફોર્નિયા સ્થિત ડેથ વેલી નેશનલ પાર્કની છે. ધોરીમાર્ગ 190 પર પોતાની બાઇકથી જઇ રહેલા સ્વિત્ઝરલેન્ડના બે પર્યટકોએ રોડ પાર કરતા એક કરોળિયાને જોયો અને બ્રેક મારી દીધી. જેથી તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા અને પછી નોબત એવી આવી ગઇ કે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન સેવા (NPS)નું એક નિવેદન વાયરલ થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઇક પર સવાર એક 24 વર્ષીય કેનેડિયનસ આગળ જઇ રહેલી એક કેમ્પર વેન ટકરાઇ ગયો.

ઘટના પર વાત કરતા રાષ્ટ્રીય ઉદ્યાન સેવાએ એમ પણ કહ્યું કે, ભલે આ અકસ્માતમાં બાઇકર ઇજાગ્રસ્ત થયો હોય, પરંતુ કરોળિયો સકુશળ રસ્તો પાર કરવામાં સફળ થયો અને તેને કોઇ પ્રકારની કોઇ ઇજા થઇ નથી. બાઇક સવારને સારવાર માટે પહરમ્પ, નેવાદામાં ડેઝર્ટ વ્યૂ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. હાલમાં તેની સ્થિતિ કેવી છે? તેની કોઇ જાણકારી નથી. NPS સુપ્રિટેન્ડેન્ટ માઇક રેનોલ્ડ્સ, જે દુર્ઘટનાસ્થળ પર સૌથી પહેલા પહોંચ્યા હતા. તેમણે એવી જગ્યા પર લોકોને ધીરે ધીરે ગાડી ચલાવવાનો આગ્રહ કર્યો છે.

અકસ્માત પર વાત કરતા તેમણે કહ્યું કે, ગત દિવસોમાં આવેલા પૂરથી થયેલી ક્ષતિના કારણે અમારા રસ્તા પર અત્યારે પણ બાજરીના ટુકડા અને બધા વન્યજીવ બહાર છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં જ અહી હિલેરી નામનું તોફાન આવ્યું હતું, જેના કારણે ભીષણ પૂર આવ્યું અને પાર્કના મોટા ભાગે રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ કારોળિયા બાબતે NPSએ કહ્યું કે, તે પ્રાયઃ શરદ ઋતુમાં જોવા મળે છે. તો એ ચેતવણી પણ આપવામાં આવી છે કે, લોકોએ તેમનાથી પણ સાવધાન રહેવાની જરૂરિયા છે કેમ કે અત્યારે તેમના મળવાની મૌસમ છે અને તેઓ પોતાનું દર છોડીને સાથીની તપાસમાં આમ-તેમ ભટકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રાણીઓના કારણે થયેલા અકસ્માતની આ ઘટના અમેરિકન રાષ્ટ્રીય ઉદ્યાનો માટે કોઇ નવી નથી. અગાઉ પણ તમામ એવી ઘટના સામે આવી છે જેમાં અથવા તો બેદરકારીના કારણે પ્રાણીઓએ લોકો પર હુમલો કર્યો કે પછી તેમના અચાનક સામે આવી જવા પર લોકોનો અકસ્માત થયો, જેથી લોકો ન માત્ર ઇજાગ્રસ્ત થયા, પરંતુ તમામ લોકોના મોત પણ થયા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.