- World
- આ વર્ષે ચારે બાજુ વિનાશ જોવા મળી રહ્યો છે, જાણો 2025 વિશે નોસ્ટ્રાડેમસે શું લખ્યું હતું?
આ વર્ષે ચારે બાજુ વિનાશ જોવા મળી રહ્યો છે, જાણો 2025 વિશે નોસ્ટ્રાડેમસે શું લખ્યું હતું?

વિશ્વના સૌથી મહાન જ્યોતિષીમાંના એક ગણાતા નોસ્ટ્રાડેમસ તેમના મૃત્યુ પછી પણ સેંકડો વર્ષો પછી પણ સમાચારમાં છવાયેલા રહે છે. સેંકડો વર્ષ પહેલાં કરેલી તેમની આગાહીઓ હજુ પણ સચોટ સાબિત થાય છે. આવી સ્થિતિમાં, લોકો તેમને રસથી વાંચવાનું પસંદ કરે છે. આજે આ સમાચારમાં, અમે તમને 2025 વિશે કરેલી તેમની આગાહીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
એક અહેવાલ મુજબ, ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસે 2025 વિશે કહ્યું હતું કે, ઘણા યુદ્ધો થશે અને અશાંતિ ફેલાશે. તેમણે કહ્યું હતું કે દુનિયાની અંદર અને બહારના દુશ્મનો માથું ઉંચુ કરશે અને પછી ખૂબ જ ભયંકર યુદ્ધો થશે. જો તમે તેમની આગાહી જુઓ તો આ બધું સ્પષ્ટ થઇ રહ્યું હોય એમ દેખાય છે.
આ ઉપરાંત, તેમણે જૂની બીમારીઓના પાછા ફરવા વિશે પણ એક મોટી વાત કહી. એવું કહેવાય છે કે, પ્લેગ જેવા ભયંકર રોગો ફરીથી ઇંગ્લેન્ડમાં પાછા આવી શકે છે. નોસ્ટ્રાડેમસના મતે, 'એક જૂનો રોગચાળો પાછો આવશે જે આકાશ નીચેનો સૌથી ખતરનાક દુશ્મન સાબિત થશે.'
આ ઉપરાંત, તેમણે આકાશી વિનાશ વિશે પણ મોટા સંકેતો આપ્યા હતા. એક માહિતી અનુસાર, તેમણે એક કવિતામાં 'અગ્નિનો ગોળો'નો ઉલ્લેખ કર્યો છે, જે બ્રહ્માંડમાંથી આવશે અને પૃથ્વી પર વિનાશ વેરશે.
આ બધી આગાહીઓ વાંચ્યા પછી ડરવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ન હોય ત્યાં સુધી, આવી આગાહીઓથી ડરવું જોઈએ નહીં. જો કે, કેટલાક અહેવાલો એવો પણ દાવો કરે છે કે, તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. ચાલો જાણીએ કે તે દાવો શું છે.
નોસ્ટ્રાડેમસની આગાહીઓને તેમની કવિતાઓ સાથે જોડવામાં આવે છે. ત્યાર પછી તેમની ઘણી કવિતાઓને વિશ્વમાં બનેલી મુખ્ય ઘટનાઓ સાથે જોડવામાં આવી છે. જેમ કે: ફ્રેન્ચ ક્રાંતિ, એડોલ્ફ હિટલરનો ઉદય, 9/11 હુમલો, US રાષ્ટ્રપતિ જોન F. કેનેડીની હત્યા. જો કે, અમે ફરીથી એ વાત કહેવા માંગીએ છીએ કે તેમની કવિતાઓ ખૂબ જ અસ્પષ્ટ હતી, જે સંપૂર્ણપણે સચોટ સ્પષ્ટતા આપતી નહોતી. તેનો અર્થ એ છે કે, ઘણા જુદા જુદા લોકો તેમની કવિતાઓમાંથી પોતાની જાતે તેના અર્થ નીકાળી શકે છે.
નોસ્ટ્રાડેમસ (મિશેલ D નોસ્ટ્રાડેમ) એક ફ્રેન્ચ જ્યોતિષી તરીકે ઓળખાય છે. જોકે, તેઓ એક ડૉક્ટર અને લેખક પણ હતા, જેમનો જન્મ 1503માં થયો હતો અને 1566 સુધી જીવ્યા. એવું કહેવાય છે કે તેમણે 'લેસ પ્રોફેટીઝ' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં લગભગ 1000 નાની કવિતાઓ છે અને આ કવિતાઓમાં કહેવામાં આવેલી વાતો ભવિષ્યવાણી સાથે જોડાયેલી છે.
Related Posts
Top News
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
Opinion
