ભારતે કહ્યું અમે મદદ કરીશું ઘર નહીં તોડતા, તેમ છતા નફ્ફટ બાંગ્લાદેશે આ મહાન વ્યક્તિનું ઘર તોડી પાડ્યું

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની સરકારે આખરે બાંગ્લાદેશના ઢાકામાં મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેના પૂર્વજોના ઘરને તોડી પાડ્યું. આ મિલકત બાંગ્લાદેશ સરકારની માલિકીની હતી. ભારતે બાંગ્લાદેશને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. એટલું જ નહીં, ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તેનું સંગ્રહાલય બનાવવામાં મદદ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.

Satyajit-Ray,-Ancestral-Home
Satyajit Ray, Ancestral Home

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર, BJP IT સેલના વડા અમિત માલવિયાએ તોડી પાડવામાં આવેલી ઇમારતનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કામદારો દ્વારા ઘરની દિવાલો તોડી પાડવામાં આવી રહી છે. અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'બંગાળી વારસાને વધુ એક ફટકો. બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૂર્વજોનું ઘર તોડી પાડવામાં આવ્યું છે.'

તેમણે આગળ લખ્યું, 'આ ફક્ત એક જૂની રચનાનો વિનાશ જ નથી, પરંતુ ઇતિહાસને જ ભૂંસી નાખવામાં આવી છે. વિશ્વના મહાન સિનેમા દિગ્ગજોમાંના એકને જન્મ આપનાર ભૂમિ હવે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. શું બાંગ્લાદેશ સરકારે આટલા વિશાળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતા સ્થળના સંરક્ષણની જવાબદારી ન લેવી જોઈતી હતી?'

Satyajit-Ray,-Ancestral-Home4
tv9hindi.com

બાંગ્લાદેશી અખબાર 'પ્રથમ ઓલો' અનુસાર, શિશુ એકેડેમીએ બહુમાળી ઇમારત બનાવવા માટે ઇમારતને તોડી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલો પછી આ સમાચાર આવ્યા છે. અખબારે અહેવાલ આપ્યો છે કે 2007થી, આ ઉજ્જડ ઘરમાં કોઈ પ્રવૃત્તિ થઈ નથી અને આ ઇમારત ડ્રગ વ્યસનીઓનો અડ્ડો બની ગઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે, સત્યજીત રેનું આ ઘર ઢાકાના હોરિકિશોર રે ચૌધરી રોડ પર આવેલું હતું. આ 100 વર્ષ જૂનું ઘર 19મી સદીના મહાન સાહિત્યકાર, ચિત્રકાર અને પ્રકાશક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનું ઘર હતું. તેઓ પ્રખ્યાત કવિ સુકુમાર રેના પિતા અને મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેના દાદા હતા. હવે આ ઘર તોડી પાડ્યા પછી, અહીં શિશુ એકેડેમી બનાવવામાં આવશે.

Satyajit-Ray,-Ancestral-Home5
hindi.news18.com

સત્યજીત રેને ભારતના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક માનવામાં આવે છે. તેમનો જન્મ 2 મે 1921ના રોજ કોલકાતામાં થયો હતો. ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત, તેઓ પટકથા લેખક, ગીતકાર, ચિત્રકાર, મેગેઝિન સંપાદક અને સંગીતકાર પણ હતા.

Satyajit-Ray,-Ancestral-Home3
tv9hindi.com

સત્યજીત રેની પ્રખ્યાત બંગાળી ફિલ્મોમાં શતરંજ કે ખિલાડી, પાથેર પાંચાલી, ધ અપુ ટ્રાયોલોજી, જલસાઘર અને ચારુલતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે ઓળખ આપી હતી.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.