ગૂડ ન્યૂઝ, કેનેડામાં નાગરિકતાના નિયમ સરળ થયા, જાણો શું છે Bill C-3

કેનેડા પોતાના નાગરિકતા સાથે જોડાયેલ બાય ડિસેન્ટ કાયદામાં સુધારો કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. સંસદમાં રજૂ કરાયેલ બિલ C-3ને હવે શાહી મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ તે કાયદો લાગૂ થવાની એક ડગલું નજીક પહોંચી ગયો છે. આ ફેરફારોથી હજારો ભારતીય મૂળના પરિવારોને ફાયદો થવાની અપેક્ષા છે.

કેનેડિયન સરકારના જણાવ્યા મુજબ, એકવાર નવો કાયદો લાગૂ થયા બાદ, એ લોકોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે, જે લોકો તેનો હક ધરાવતા હતા, પરંતુ પ્રથમ પેઢીની મર્યાદા અથવા જૂના નિયમોને કારણે બાકાત રાખવામાં આવ્યા હતા. પ્રથમ પેઢીની મર્યાદા 2009માં લાગૂ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ જો કોઈ બાળકનો જન્મ અથવા કેનેડાની બહાર જન્મ્યું હોય અથવા દત્તક લેવામાં આવ્યું હોય અને તેમના કેનેડિયન માતા-પિતા પણ કેનેડાની બહાર જન્મ્યા હોય અથવા દત્તક લેવામાં આવ્યા હોય, તો આવા બાળકને નાગરિકતા મળતી નથી. આ કારણે ઘણા ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો માટે આ લાંબા સમયથી સમસ્યા થઈ રહી હતી.

Bill C-3
aajtak.in

જાણો બિલ C-3માં શું બદલાશે

નવો કાયદો કેનેડાની બહાર જન્મેલા અથવા ઉછરેલા કેનેડિયન માતા-પિતાને તેમના બાળકોને નાગરિકતા આપવાની પણ મંજૂરી આપશે, જો તેઓ કેનેડા સાથે મજબૂત સંબંધ સાબિત કરી શકે. કેનેડિયન ઇમિગ્રેશન મંત્રી લીના મેટલેજ-દિયબે જણાવ્યું હતું કે આ બિલ લાંબા સમયથી ચાલતા ભેદભાવનો અંત લાવશે અને વિદેશી જન્મેલા બાળકોને ન્યાય આપશે.

Bill C-3
hindustantimes.com

19 ડિસેમ્બર, 2023ના રોજ, ઓન્ટારિયોની એક કોર્ટે આ પહેલી પેઢીની મર્યાદાને ગેરબંધારણીય જાહેર કરી હતી. સરકારે તેને પડકાર્યો નહોતો કારણ કે તે માનતી હતી કે આ નિયમ ઘણા પરિવારો માટે અન્યાય કરી રહ્યો હતો. કાયદો ક્યારે પૂરી રીતે લાગૂ થશે, તેની તારીખ કેનેડિયન સરકાર પછીથી બતાવશે. ત્યાં સુધી નિયમોથી પ્રભાવિત લોકો માટે વચગાળાની વ્યવસ્થા પહેલાની જેમ ચાલુ રહેશે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.