ભગવાન વિષ્ણુની મૂર્તિ પર કેમ ચલાવ્યું બુલડોઝર? ભારતના વિરોધ બાદ થાઈલેન્ડ સરકારે કરી સ્પષ્ટતા

થાઇલેન્ડ દ્વારા દેશમાં સ્થિત ભગવાન વિષ્ણુની મૂર્તિને બુલડોઝરથી તોડી પાડવા સામે ભારતની સખત આપત્તિ બાદ, થાઇ સરકારે હવે સ્પષ્ટતા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ મૂર્તિ સરહદ પર માત્ર સજાવટી સંરચના હતી. મૂર્તિ તોડી પાડવાનો એક વીડિયો સામે આવ્યા બાદ ભારતે આ કાર્યવાહીની ટીકા કરી હતી. ગુરુવારે થાઇલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે કહ્યું હતું કે, ‘તૂટેલી મૂર્તિની તુલના સૈનિકોના જીવન અથવા અંગો સાથે નહીં કરી શકાય.

petrol-deDiesel1
msn.com

થાઇ સરકારે સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

થાઇ સરકારે સ્પષ્ટતા કરી હતી કે મૂર્તિ કોઈ ધાર્મિક સ્થળ નહોતું, પરંતુ થાઇ-કંબોડિયા સરહદના વિવાદિત વિસ્તારમાં સુરક્ષા અને નિયંત્રણ હેતુઓ માટે તેને હટાવવામાં આવી હતી, અને આ કાર્યવાહીનો હેતુ કોઈપણ ધર્મનું અપમાન કરવાનો નહોતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે વીડિયો વાયરલ થવાથી થતી ગેરસમજણો બદલ દિલગીર છીએ, પરંતુ તે રજિસ્ટર્ડ ધાર્મિક સ્થળ નહોતું.

નોંધનીય છે કે, ભારતે બુધવારે વિદેશ મંત્રાલય તરફથી એક કડક નિવેદન જાહેર કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે પ્રાદેશિક દાવાઓ હોવા છતા આવા અપમાનજનક કૃત્યો હિન્દુ અને બૌદ્ધ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, જે આપણા સહિયારા સભ્યતાનો વારસો છે. કંબોડિયાના પ્રાહ વિહાર પ્રાંતના પ્રવક્તાએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે આ મૂર્તિ તેમના પ્રદેશના એન સેસ વિસ્તારમાં હતી. કંબોડિયાએ થાઈ સેના પર પ્રાચીન મંદિરોને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેનો દાવો બેંગકોકે નકારી કાઢ્યો હતો.

thailand1
x.com/jacobincambodia

તમને જણાવી દઈએ કે, આ ઘટના 2 પડોશીઓ વચ્ચે બે અઠવાડિયાના લશ્કરી સંઘર્ષ બાદ બની હતી, જેમાં થાઈલેન્ડમાં 23 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના સૈનિકો હતા અને કંબોડિયામાં 21 નાગરિકોના મોત થયા હતા. બંને દેશો એકબીજા પર સંઘર્ષ ઉશ્કેરવાનો અને નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા રહે છે. ગૂગલ મેપ્સથી સ્પષ્ટ છે કે મૂર્તિ સરહદથી થોડા અંતરે સ્થિત હતી, પરંતુ જૂનો સરહદ વિવાદ ફરી ગરમાયો છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.