ભગવાન વિષ્ણુની મૂર્તિ પર કેમ ચલાવ્યું બુલડોઝર? ભારતના વિરોધ બાદ થાઈલેન્ડ સરકારે કરી સ્પષ્ટતા

થાઇલેન્ડ દ્વારા દેશમાં સ્થિત ભગવાન વિષ્ણુની મૂર્તિને બુલડોઝરથી તોડી પાડવા સામે ભારતની સખત આપત્તિ બાદ, થાઇ સરકારે હવે સ્પષ્ટતા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ મૂર્તિ સરહદ પર માત્ર સજાવટી સંરચના હતી. મૂર્તિ તોડી પાડવાનો એક વીડિયો સામે આવ્યા બાદ ભારતે આ કાર્યવાહીની ટીકા કરી હતી. ગુરુવારે થાઇલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે કહ્યું હતું કે, ‘તૂટેલી મૂર્તિની તુલના સૈનિકોના જીવન અથવા અંગો સાથે નહીં કરી શકાય.

petrol-deDiesel1
msn.com

થાઇ સરકારે સ્પષ્ટીકરણમાં શું કહ્યું?

થાઇ સરકારે સ્પષ્ટતા કરી હતી કે મૂર્તિ કોઈ ધાર્મિક સ્થળ નહોતું, પરંતુ થાઇ-કંબોડિયા સરહદના વિવાદિત વિસ્તારમાં સુરક્ષા અને નિયંત્રણ હેતુઓ માટે તેને હટાવવામાં આવી હતી, અને આ કાર્યવાહીનો હેતુ કોઈપણ ધર્મનું અપમાન કરવાનો નહોતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે વીડિયો વાયરલ થવાથી થતી ગેરસમજણો બદલ દિલગીર છીએ, પરંતુ તે રજિસ્ટર્ડ ધાર્મિક સ્થળ નહોતું.

નોંધનીય છે કે, ભારતે બુધવારે વિદેશ મંત્રાલય તરફથી એક કડક નિવેદન જાહેર કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે પ્રાદેશિક દાવાઓ હોવા છતા આવા અપમાનજનક કૃત્યો હિન્દુ અને બૌદ્ધ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, જે આપણા સહિયારા સભ્યતાનો વારસો છે. કંબોડિયાના પ્રાહ વિહાર પ્રાંતના પ્રવક્તાએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે આ મૂર્તિ તેમના પ્રદેશના એન સેસ વિસ્તારમાં હતી. કંબોડિયાએ થાઈ સેના પર પ્રાચીન મંદિરોને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેનો દાવો બેંગકોકે નકારી કાઢ્યો હતો.

thailand1
x.com/jacobincambodia

તમને જણાવી દઈએ કે, આ ઘટના 2 પડોશીઓ વચ્ચે બે અઠવાડિયાના લશ્કરી સંઘર્ષ બાદ બની હતી, જેમાં થાઈલેન્ડમાં 23 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના સૈનિકો હતા અને કંબોડિયામાં 21 નાગરિકોના મોત થયા હતા. બંને દેશો એકબીજા પર સંઘર્ષ ઉશ્કેરવાનો અને નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા રહે છે. ગૂગલ મેપ્સથી સ્પષ્ટ છે કે મૂર્તિ સરહદથી થોડા અંતરે સ્થિત હતી, પરંતુ જૂનો સરહદ વિવાદ ફરી ગરમાયો છે.

About The Author

Related Posts

Top News

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ...
Governance 
દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ઠાકોરભાઇ ટેલરની ઇલિનોયસ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને 30 જાન્યુઆરીએ તેઓ તેમનું...
World 
વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે

ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) ફરી એકવાર ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. કંપનીએ ગુજરાતમાં...
Business 
ગુજરાતમાં મારુતિ 35,000 કરોડનું રોકાણ કરશે, 12 હજાર નોકરીઓ મળશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-01-2026 વાર- મંગળવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.