અમરેલીના હીરા ઉદ્યોગ પર પણ યુદ્ધની માઠી અસર, ગુજરાન ચલાવવાના પણ ફાંફાં

રશિયા-યુક્રેન યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર પડી છે અને હાલમાં રત્નકલાકારો તથા હીરાના વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર પણ આ યુદ્ધની અસર પડી છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તથા વેપારીઓને હાલમાં ગુજરાન ચલાવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં હાલ 50 હજારથી વધુ હીરાના કારીગરો છે. હાલમાં આ ઉદ્યોગ મરણપથારીએ પડ્યો છે ત્યારે રત્નકલાકારો અને હીરાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિદેશોમાં પોલિશ્ડ હીરાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અને તેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી છે. બીજી તરફ કાચા હીરાના ભાવોમાં ધરખમ વધારો થતા હીરાનું ઉત્પાદન કરતા કારખાનેદારોએ પણ હીરાનું ઉત્પાદન ઘટાડ્યું છે. જ્યારે તૈયાર માલ વેચાતો ન હોવાથી હીરાના વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. આમ, ખેતીને બાદ કરતા લોકો રોજીરોટી મેળવવા માટે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.