‘આંખ આવવા’ની બીમારી સૌથી વધારે સુરત-ભાવનગરમાં, 5 કરોડની દવા વેચાઇ ગઇ

હમણાં આપણે છેલ્લાં કેટલાંદ દિવસોથી જોયું  છે કે ઘણાં લોકોને આંખ આવવાની ફરિયાદ જોવા મળે છે. આંખ આવવાનો ચેપી રોગ છે અને એ ઝડપથી ફેલાય છે. લોકો સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરીને ફરતા  હોય છે. ગુજરાતમાં સુરત અને ભાવનગરમાં આંખ આવવાની એટલે  કે Conjunctivitis ની બીમારી સૌથી વધારે જોવા મળી છે.રાજ્યની સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે.

આંખ આવવી એટલે આંખો લાલ લાલ થઇ જવી અને આ સામાન્ય રીતે દર સીઝનમાં આવે જ છે. સુરતમાં Conjunctivitis ની બીમારીએ રીતસરનો અજગર ભરડો લઇ લીધો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇન લાગી રહી છે અને જાણવા મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આંખ આવવાની બીમારી માટેની જ દવા 5થી 7 કરોડ રૂપિયાની વેચાઇ ગઇ છે. રોજના 5થી 7 હજાર રૂપિયાના ટીપા વેચાઇ રહ્યા છે.

સુરતની સિવિલ હોસ્પિટલના આંખના ડિપાર્ટમેન્ટના વડા ડો. પ્રીતિ કાપડિયાનું કહેવું છે કે, સુરતમાં અત્યારે આંખના કેસોમાં વધારો થયો છે. ડોકટરે કહ્યું કે આ વાઇરલ ઇન્ફેક્શનને કારણે ખુબ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, કોકાઇ વાયરસ અને ફ્લૂ જેવા કેટલાંક વાયરસથી Conjunctivitis થાય છે. આ વખતે એડીનો વાયરસને કારણે આંખ આવવાના કેસ વધ્યા છે. મોટી ઉંમરના લોકો અને બાળકોમાં આ બીમારી વધારે જોવા મળે છે.

ભાવનગરમાં પણ આ જ સ્થિતિ છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી રહી છે અને અહીં પણ અડીનો વાયરસને કારણે આંખ આવવાના કેસો વધી રહ્યા છે. ચોમાસાના વરસાદી પાણીમાં એડીનો વાયરસ  વધારે થાય છે. આ વાયરસ  આંખ કે નાકમાંથી પ્રવેશ કરે છે. જો કે સારી વાત એ છે કે 5થી 7 દિવસમાં જરૂરી કાળજી રાખવાથી આંખ આવવાની બીમારી મટી શકે છે.

તબીબોના કહેવા મુજબ જ્યારે આંખ આવે ત્યારે આટલું ધ્યાનમાં રાખજો

આંખને હાથ લગાવવો નહી, રૂમાલ,કપડાથી આંખો લુછવી નહીં કે ખંજવાળવી નહી, હસ્તધૂનન કરવાનું ટાળવું, જેમને બીમારી હોય તેમણે પોતાના રૂમાલ, નેપકીન વગેરે વસ્તુઓ અલગ રાખવી, ચાવી, પેન, જેવી વસ્તુઓ કોઇને આપવી નહીં.,જાહેર સ્થળોએ જવું નહી, ડોકટરોને પુછ્યા વગર આંખના ટીપા વાપરવા નહી.

આંખ આવે તો આટલું જરૂરથી કરવું.

આંખમાંથી જે પાણી નિકળે તેની ટીશ્યુ પેપરથી લુછીને સીધું ડસ્ટબીનમાં નાંખવું. આંખમાં ખંજવાળ વધારે આવે તો સુકો ઠંકો શેક કરવો, પોકેટ સેનેટાઇઝર સાથે રાખવા અને વારંવાર હાથ ધોવા, ડોકટરોની સલાહ મુજબ આઇ ડ્રોપ લેવા.

તબીબોની સલાહ છે કે આંખ આવવાના સંજોગોમાં તાત્કાલિક તમારા નજીકના અથવા ફેમિલી ડોકટરોનો સંપર્ક કરવો જોઇએ અને તેમની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ. સામાન્ય રીતે 5 દિવસ કે 8 દિવસમાં આંખ આવવાની બીમારી મટી જાય છે

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.