એક વિવાદ શાંત થયો ત્યાં બીજો ઉભો થયો, હવે કિંગ ઓફ સાળંગપુરનું તિલક બદલવા માગ

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિંતોનો વિવાદ હજુ માંડ શાંત પડ્યો છે ત્યારે હવે બીજો વિવાદ ઉભો થયો છે. કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલીને સનાતન ધર્મનું તિલક લગાવાની માંગ ઉઠી છે.

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોમાં હનુમાન દાદાને સ્વામીનારાયણના સેવક બતાવાયા હોવાનું ધ્યાન પર આવતા એક સપ્તાહથી વિવાદ ચાલતો હતો. ગુજરાતના સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કર્યા પછી બે દિવસમાં વિવાદીત ભીંત ચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે બધાને થયું હતું કે હાશ, ચાલો વિવાદ શમી તો ગયો. પરંતુ હવે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું તિલક બદલવાનો વિવાદ ઉભો થયો છે.

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવમાં આવ્યું છે તેને બદલવાની માંગ કરી છે. આ માટે મંદિરના મહંત સનાતન ધર્મનું તિલક લઇને સાળંગપુર પહોંચશે.

બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હનુમાનદાદાને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. આ માટે ચાંદીનું તિલક બનાવડાવવામાં આવ્યું છે, એ ચાંદીનું તિલક હનુમાનદાદાની પ્રતિમાને લગાવવામાં આવશે.

સોમવારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ અને ત્રિપાંખ સાધુ સમાજ દ્રારા કલેકટર કચેરીમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાની વિશાળ પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલવાની માંગ કરવામાં આવી હતી.

લગભગ 30 ઓગસ્ટથી સાળંગપુર મંદિરમા હનુમાનદાદાના અપમાનનો વિવાદ શરૂ થયો હતો અને વિવાદિત ભીંતચિતો હટાવવવા માટે સાધુ સંતો સહિત અનેક લોકોએ માંગ કરી હતી. ભારે વિવાદને કારણે મંદિર પરિસરમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતા એક વ્યકિત સાળંગપુર મંદિરમાં કુહાડી સાથે ઘુસી ગયો હતો અને તેણે ભીંતચિંત્રોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ એ પહેલાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

સાધુ સંતો અને સમાજના અગ્રણીઓએ મનોમંથન કરીને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે સાળંગપુર મંદિરમાંથી બધા વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.

લોકો એવું ઇચ્છે કે હવે નવો વિવાદ ઉભો થયો છે તે પણ ઝડપથી શાંત થઇ જાય.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.