મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને આપ્યો આ આદેશ

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં સતત સોમવારથી સુનાવણી ચાલતી હતી ત્યારે આજે બુધવારે ગુજરાત હાઈકોર્ટે મૃતક પરીવારને 10-10 વળતર આપવા તેમજ ઘાયલ પીડિતને 2-2 લાખ વળતર આપવા માટે આદેશ કર્યો છે. રુપિયાથી ગયેલા જીવની કિંતન ના કરી શકાય તેમ પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું, આ સાથે વચગાળાનો આદેશ આપતા વળતરની સહાય ચુકવવા માટે કહ્યું છે. ઓરેવાએ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામેલ છે ત્યારે કોર્ટે અત્યાર પુરતો વચગાળાનો આદેશ સહાય મામલે આપ્યો છે.

કોર્ટમાં મૃતક પરીવારને રુ. 5-5 લાખનું વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી દૂર્ધટનામાં મૃતક પરીવારને 3.5 લાખ અને 1.5 લાખ ઘાયલ પીડિતોને ચૂકવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે આજે 5 લાખના વળતરની તૈયારી દર્શાવ્યા બાદ વકીલ તરફથી એવું પણ રજૂઆત કરાઈ હતી કે, તેમની કેટલીક મર્યાદા છે. જો કે, હાઈકોર્ટ તરફથી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાતા 10-10 લાખ મૃતક પરીવારને ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જીવ ગયો છે. ત્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમગ્ર દેશમાં કંપારી કરી દે તેવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટની પણ ચરના કરવામાં આવી હતી. જેમાં જયસુખ પટેલ સહીતના તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.