બિપરજોય’ વાવાઝોડાનું સૌથી વધારે જોખમ આ તારીખે ગુજરાતમાં જોવા મળશે: IMD

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડોકટર મૃત્યંજય મહાપાત્રએ રવિવારે સાંજે બિપરજોય ચક્રવાતને લઇને મહત્ત્વનું અપડેટ આપ્યું છે.  તેમણે કહ્યું છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' 15મી જૂને બપોરના સુમારે અથવા બપોર પહેલા સૌરાષ્ટ્ર અને જિલ્લા કચ્છને પાર કરે તેવી શક્યતા છે. જે દિવસે તે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરે તે દિવસે લોકોએ સલામત સ્થળોએ રહેવું જોઈએ. લોકો ઘરની બહાર ન નિકળે. ડો. મહાપાત્રએ કહ્યું છે કે 15 જૂને જ્યારે વાવાઝોડું કચ્છના દરિયા કાંઠેથી પસાર થશે ત્યારે કચ્છ, જામનગર, દ્રારકા, મોરબીમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારના લોકોને પહેલેથી ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ બિપરજોય વાવાઝોડા પર અપડેટ આપતા કહ્યું છે કે આ વાવાઝોડું અત્યારે પોરબંદરથી 450 કિ.મી દુર દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીત છે. અમારી ધારણા છે કે તે ઉત્તરની દિશા તરફ આગળ વધશે. 15મી જૂન બપોરે અથવા બપોર પહેલા બિપરજોય વાવાઝોડું કચ્છ વિસ્તારના દરિયા કિનારેથી પસાર થશે. મતલબ કે કરાંચીથી માંડવીની વચ્ચે કચ્છ જિલ્લાના દરિયાને પાર કરશે.

ડો. મહાપાત્રાએ કહ્યું કે, જ્યારે 15 જૂને બિપરજોય વાવાઝોડું દરિયાની નજીક આવશે ત્યારે તેની પવનની ઝડપ ઘટીને 125થી 135 કિ.મીની હશે જે વધીને 150 કિ.મી સુધી જઇ શકે છે. આ પવનની ગતિનો મતલબ એ થાય છે કે વેરી સિરયસલી સાયક્લોન સ્ટ્રોમ આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે દરિયો અત્યારે અશાંત છે અને પવનની ગતિ 160-170 કિ.મી વચ્ચેની છે.  શિપ્સ ઓફશોર ઓપરેશન, માછીમારો અને દરિયાકાંઠે વસ્તા લોકો માટે મોટું જોખમ છે. અમે 15 જૂન સુધી દરિયા નહીં ખેડવા માટે માછીમારોને ચેતવણી આપેલી છે. 15 જૂન સુધી કોઇ પણ વ્યકિતકે માછીમારો ઉત્તર અરબ સાગર અને કેન્દ્રીય અરબ સાગરમાં ન જાય. તેમણે કહ્યું કે, જે લોકો હજુ દરિયાકાંઠા વિસ્તારમાં છે તે સલામત સ્થળે ચાલ્યા જાય,કારણ કે વાવાઝોડીની ગંભીરતા વધારે છે.

ડો. મહાપાત્રએ કહ્યું કે, જ્યારે 15 જૂને વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પરથી પસાર થશે ત્યારે એકસ્ટ્રીમલી હેવી રેઇન ફોલ થશે. લગભગ 20CM. જેટલો વરસાદ પડશે. ખાસ કરીને કચ્છ ડિસ્ટ્રીક્ટ, જામનગર, દ્રારકા, મોરબીને ભારે અસર થશે. જ્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે ત્યારે સમુદ્ધી લહેર પણ આવે છે જે સામાન્ય કરતા 2થી 3 સેન્ટિમીટર વધારે હશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.