મહિલાઓનો ઠાઠ જુઓ, કમર પર બંદુક, ચહેરા પર મુસ્કાન અને 200 કિલો ઘરેણા સાથે ગરબો

રાજકોટમાં આહીર સમાજના એક અગ્રણીના પુત્રના લગ્નના કાર્યક્રમમાં મહિલાઓનો ઠાઠ જોઇને બધાની આંખો અંજાઇ ગઇ હતી. પરંપરાગત વસ્ત્રોમાં આહીર સમાજની મહિલાઓ સુંદર લાગતી હતી.

રાજકોટમાં આહીર સમાજના યુવાનના લગ્નના આગલા દિવસે નિકળેલા ફુલેકામાં આહિરાણીઓનો ઠાઠ ચર્ચાનો વિષય બન્યો હતો. કમર પર બંદુક, ગળામાં સોનાનો હાર અને ચહેરા પર મનમોહક સ્મિત જોઇને લોકો આફરીન થઇ ગયા હતા. 200 કિલો ઘરેણાં પહેરીને આ આહિરાણીઓ ગરબે ઘુમી એ દ્રશ્ય અદભુત હતું.

રાજકોટના આહીર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભાના પુત્ર સત્યજિતના સુરતના રામશી ગેરિયાની પુત્રી કેયુરી સાથે નક્કી કરાયા છે. ગુરુવારે સત્યજિતનું રાજકોટમાં ફુલેકુ નિકળ્યું હતું. ફુલેકું એટલે ગુજરાતની એક પરંપરા મુજબ લગ્નના આગલા દિવસે યુવાન અશ્વ પર ચડીને મંદિરે દર્શન કરવા જતો હોય છે. તે સમયે મોટી સંખ્યામાં તેના પરિવારજનો સ્નેહી સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ ફુલેકામાં જોડાતા હોય છે.આ પરંપરા મુજબ લગ્નના આગલા દિવસે વરરાજો ઈશ્વર પાસેથી પોતાનું નવજીવન શરૂ કરવા માટે આશીર્વાદ મેળવતો હોય છે.

સત્યજિતના ફુલેકામાં મહિલાઓનું આકર્ષણ એટલા માટે રહ્યું હતું કારણકે તેમણે કોઇ મોર્ડન પહેરવેશને બદલે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા, દરેક મહિલાઓના ગળામાં સોનાનો સુશોભિત હાર હતો, કમર પર બંદુક લટકતી હતી અને તેમના ચહેરા પર તેજસ્વી સ્મિત હતું જેને કારણે તેમની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. શું મહિલાઓનો ઠાઠ હતો. એટલું જ નહીં આ બધી મહિલાઓ એક અંદાજ મુજબ 200 કિલો ઘરેણાં સાથે ગરબે પણ ઘુમી હતી.

સત્યજિત હેરભાના ફુલેકું ધામધુમ પૂર્વક નિકળ્યુ હતું. 5 જેટલી બગીઓ હતી, 400થી 500 જેટલા લોકો જોડાયા હતા અને રસ્તા પર લાખો રૂપિયા ઉડાવાયા હતા. જાણવા મળેલી માહિતી મુજબ રસ્તા પર જેટલા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા તે બધા ગૌશાળાને દાન કરી દેવામાં આવશે.

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.