જાણો ભગુડા મોગલધામનો ઈતિહાસ અને શા માટે મંદિરના ખજાનચી છે મુસ્લિમ વ્યક્તિ

ભાવનગર જિલ્લામાં માતા મોગલનું ભાગુડા ધામ આવેલું છે. ભગુડા ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે આવેલું. ભગુડા ગામમાં 450 વર્ષ પહેલા નળરાજાની તપોભૂમિમાં માતા મોગલ પધાર્યા હતા. મોગલ માતાજીના ચાર ધામમાંથી એક ધામ ભગુડાનું મોગલધામ છે. શું તમને ભગુડા મોગલધામનો ઈતિહાસ ખબર છે? આજે અમે તમને મોગલધામના ઈતિહાસ બાબતે જણાવીશું.

આશરે 450 વર્ષ પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજના લોકો તેમના પરિવારના સભ્યોની સાથે ગીરમાં ચાલ્યા ગયા હતા. ગીરમાં આહીર અને ચારણ પરિવારના બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે બહેન કરતા પણ વધારે વિશેષ સંબંધ બંધાયો હતો. ત્યારે ચારણ પરિવારના વૃદ્ધ મહિલા તેમના ઘરે મોગલ માતાજીની પૂજા કરતા હતા. મોગલ માતા આહીર પરિવારનું કલ્યાણ અને રક્ષણ કરે તે માટે ચારણ પરિવારના વૃદ્ધ મહિલાએ મોગલ માતાજીને કાપડમાં આહીર પરિવારને આપ્યા હતા. ત્યારબાદ આહીર પરિવારના સભ્યો ફરીથી ભગુડામાં રહેવા ચાલ્યા આવ્યા.

આહીર પરિવાર દ્વારા વિધિવિધાનથી માતા મોગલની પૂજા કરવામાં આવી. આહીર પરિવારે પોતાના નલીયાવાલા મકાનની અંદર એક ગોખલામાં માતાજીની સ્થાપના કરી. ત્યારથી જ કામળીયા સોરઠીયા આહીર પરિવારોને માતા મોગલ પર ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. લોકોનું કહેવું છે કે, ભગુડા મોગલધામમાં કોઈ પણ ભક્ત આવીને મનથી માતાજીનું સ્મરણ કરે છે એટલે તેની મનોકામના માતાજી પૂર્ણ કરે છે.

આર્હી પરિવાર દ્વારા જે જગ્યા પર મોગલ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં 23 વર્ષ પૂર્વે એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આજે ભગુડાનું મોગલધામ આખા વિશ્વમાં વિખ્યાત બન્યું છે. મોગલધામમાં જે દર્શનાર્થીઓ આવે છે તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

મોગલધામને લઇને આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે, મોગલધામમાં ખજાનચીની જવાબદારી એક મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે. આ મુસ્લિમ વ્યક્તિનું નામ રમઝાન શેઠ બોરડાવાળા છે. રમઝાન શેઠ પરિવારની સાથે તળાજાના બોરડા ગામમાં રહેતા હતા. તેમને માતાજીની માનતા રાખી હતી કે તેમનું કામ થઇ જશે એટલે તેઓ માતાજીના મંદિરમાં 1000નું દાન આપશે. રમઝાન શેઠે જે મનોકામના માની હતી તે પૂરી થઇ. એટલે તેમને આહીર સમાજના લોકોને મંદિરમાં 1000 રૂપિયાનું દાન આપવાની વાત કરી.

પણ તે સમયે મંદિરના દાનપેટી નહોતી. તેથી રમઝાન શેઠ દ્વારા મંદિર માટે 350 રૂપિયાની એક દાન પેટી બનાવી અને ત્યારબાદ આ દાન પેટીમાં 650 રૂપિયાનું દાન આપ્યું. આ રીતે તેમને 1000 રૂપિયાની માનતાને પૂર્ણ કરી. ત્યારબાદ રમઝાન શેઠને માતાજી પર વધારે વિશ્વાસ બેસતો ગયો અને તેમને બીજી વખત મંદિરમાં 10 હજાર રૂપિયાનું દાન આપ્યું. રમઝાન શેઠની માતાજી પ્રત્યેની આસ્થાને જોઈને તેમને મંદિર ટ્રસ્ટના ખજાનચી બનાવવામાં આવ્યા છે. બસ ત્યારથી લઇને આજ સુધીમાં મંદિરની દાનપેટી રમઝાન શેઠના હાથે જ ખોલવામાં આવે છે.

મોગલ માતાજીના ચાર ધામ છે. જેમાં એક ધામ ભીમરાણામ, બીજું ધામ ગોરયાળી, ત્રીજું ધામ રાણેસર અને ચોથું ધામ ભગુડા છે. ભગુડાધામમાં વૈશાખ સુદ 12ના રોજ મોટો પાટોત્સવ ઉજવવામાં આવે છે. તો મોગલધામમાં એક પણ દુકાન કે ઘર એવું નથી કે ત્યાં તાળું હોય. લોક વાયકા અનુસાર માતાજી ચોર પર કોપાયમાં થાય છે. તેથી આજ સુધીમાં ભગુડામાં ક્યારેય પણ ચોરીની ઘટના બની નથી.

મંગળવારના રોજ મોગલ માતાજીના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી મંગળવાર અને રવિવારના રોજ મંદિરે લોકોની જનમેદની ઉમટે છે. કામળીયા સોરઠીયા આહીર પરિવારના 60 કુટુંબનો ભેળીયો દર ત્રણ વર્ષે માતાજીને ચડે છે. એવું પણ કહેવામાં આવે છે કે, આશરે 1800થી 2000 વર્ષ પહેલા મોગલ માતાજીનો જન્મ બેટ-દ્વારકાના ભીમરાણા ગામમાં થયો હતો.

About The Author

Related Posts

Top News

GIFT સિટીમાં શૂટ સ્પેસનું કરોડોનું ફુલેકું, અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ સહિત 2ની અટકાયત

ગાંધીનગરના GIFT સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે રોકાણકારોનું કરોડો...
Gujarat 
GIFT સિટીમાં શૂટ સ્પેસનું કરોડોનું ફુલેકું, અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ સહિત 2ની અટકાયત

બંગાળ ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથ પર BJPને મળ્યા 97% વોટ, નેતાએ ઉઠાવ્યો સવાલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ જોરદાર જીત મેળવી હોવા છતાં, આ વખતનો જંગ અત્યંત...
Politics 
બંગાળ ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથ પર BJPને મળ્યા 97% વોટ, નેતાએ ઉઠાવ્યો સવાલ

ફરી યુદ્ધના ભણકારા: છેલ્લા 72 કલાકના આ 11 મોટા અપડેટ્સ જેણે દુનિયામાં ચિંતા વધારી

છેલ્લા ત્રણ દિવસમાં અમેરિકા, ઇરાન અને મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) માંથી કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે, જેને...
World 
ફરી યુદ્ધના ભણકારા: છેલ્લા 72 કલાકના આ 11 મોટા અપડેટ્સ જેણે દુનિયામાં ચિંતા વધારી

આવા લાંચિયા શિક્ષકો ભણાવતા શું હશે? 2 પ્રોફેસરો વિદ્યાર્થીની હાજરી વધારવા 20000ની લાંચ લેતા પકડાયા

રાજસ્થાનથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં ACB સતત ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી રહી છે....
Education 
આવા લાંચિયા શિક્ષકો ભણાવતા શું હશે? 2 પ્રોફેસરો વિદ્યાર્થીની હાજરી વધારવા 20000ની લાંચ લેતા પકડાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.