કેરીના પાકને ભારે નુકશાનની ભીતિ, આગામી 2 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

કચ્છ અને સૌરાષ્ટ્ર સહીતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભારે નુકશાન કેરીના પાકને થવાની શક્યતા છે. કમોસમી વરસાદે આ વખતે તારાજી સર્જી છે જેમાં ઉભા પાકને ભારે નુકશાન થવાનો ભય છે. ત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ કેરીના પાકને નુકશાન થવાના કારણે મોડે મોડે કેરીનો સ્વાદ ચાખવા મળશે આ ઉપરાંત મોંઘી કેરી શરુઆતમાં બજારમાં ઉપલબ્ધ થશે.

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહીતના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ અનુસાર જામનગર, રાજકોટ, પાટણમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

કચ્છમાં પણ આજે માવઠાના કારણે ખેતીના પાકને નુકશાન થયું છે. અત્યારે કચ્છમાં લખતપ, નખત્રાણા, માંડવી સહીતના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે. આ ઉપરાંત કેરી, દાડમ સહીતના પાકોને પણ ભારે નુકશાન થવાની ભિતી છે. આ ઉપરાંત જખૌ પોર્ટ પર ભારે પવન સાથે માવઠા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બદલાયેલા વાતાવરણ સાથે પવન ફુંકાતા આ વિસ્તારના ખેડૂતોની પણ ચિંતા વધી છે.

જુનાગઢ જિલ્લામાં પણ દાણાપીઠ દિવાન ચોક સહીતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થતા નુકશાની ખેડૂતોના પાકને થઈ શકે છે. જુનાગઢ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.