ડિઝલ વાહનો પર 10 ટકા GSTની ખબરમાં કેટલું સત્ય છે. જાણો ગડકરીએ શું કહ્યું

ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GSTલગાવવાના સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું કે, હાલમાં એવી કોઈ દરખાસ્ત મોકલવામાં આવી નથી જેમાં ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GST ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવી હોય.

થોડા કલાકો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે નીતિન ગડકરીએ નાણામંત્રીને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં તેમણે ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા ટેક્સ લગાવવાની વાત કરી હતી. જો કે, હવે જ્યારે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી દીધી છે કેહાલમાં ડીઝલ વાહનો પર કોઈપણ પ્રકારનો વધારાનો ટેક્સ લાદવામાં આવશે નહીં. એટલે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.

પહેલા એવા સમાચાર આવ્યા હતા કેકે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ડીઝલ કારને લઈને નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાહન ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 63મા વાર્ષિક સંમેલનમાં નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને નાણાં મંત્રીને મળવાના છે.

મીડિય રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ હતું કે વાયુ પ્રદુષણને ઘટાડવા માટે ડીઝલ વાહનો અને જનરેટર સેટ પર પ્રદુષણ ટેક્સ તરીકે 10 ટકા વધારાનો GST લગાવવા માટે ગડકરી નાણામંત્રીને ભલામણ કરવાના છે.

હાલમાં દેશમાં મોટા ભાગના કોમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલે છે, જો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો ભારતમાં ડીઝલ કાર ઘણી મોંઘી થઈ જશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડા સહિત વિવિધ કાર ઉત્પાદકોએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ડીઝલ કારમાં પહેલેથી જ નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદકોએ તેને બજારમાં વેચવાનું બંધ કરવું પડશે. ડીઝલને ખતરનાક ઈંધણ ગણાવતા તેમણે કહ્યું કે દેશમાં માંગને પહોંચી વળવા ઈંધણની આયાત કરવી પડે છે. ગડકરીએ કહ્યુ હતું કે, ડીઝલને અલવિદા કહી દેજો નહી તો અમે એટલો ટેક્સ વધારી દઇશું કે ડીઝલ કાર વેચવી મુશ્કેલ થઇ પડશે.

હાલમાં, ઓટોમોબાઈલ પર 28 ટકા GST અને વાહનના પ્રકાર પર આધાર રાખીને 1 ટકાથી 22 ટકા સુધીનો વધારાનો ટેક્સ લાગે છે. નીતિન ગડકરીએ ઓટો ઉદ્યોગને ઇથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઇકો-ફ્રેન્ડલી વૈકલ્પિક ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.