પ્રોજેક્ટને અધવચ્ચે છોડીને ISRO માંથી રાજીનામું આપનારા વૈજ્ઞાનિકો અંગે સરકારનો મોટો નિર્ણય, રાજીનામા કે VRS નહીં સ્વીકારાય

ભારત સરકારના અવકાશ વિભાગે 14 જુલાઈ, 2026ના રોજ એક મોટો આદેશ બહાર પાડ્યો હતો. તેમાં જણાવાયું છે કે, ગગનયાન મિશન અને દેશ માટે અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં સામેલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો વહેલા રાજીનામું આપી શકશે નહીં કે વહેલા નિવૃત્ત થઈ શકશે નહીં. આવી કોઈપણ એપ્લિકેશન આવે તો તેને સીધી ઉચ્ચ વિભાગને મોકલવી જોઈએ. આ સમાચારથી ISROમાં એક મોટી સમસ્યા બહાર આવી છે. ISRO એક સમયે સપનાઓની સંસ્થા હતી, પરંતુ હવે અહીંથી સારા લોકો કામ છોડીને બહાર જઈ રહ્યા છે.

સરકારે તમામ ISRO કેન્દ્રોને ગગનયાન અને અન્ય મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ વૈજ્ઞાનિકોના રાજીનામા કે નિવૃત્તિની વિનંતીઓ સીધી સ્વીકારવી નહીં, તેવી સૂચના આપી છે. દરેક કેસ અવકાશ વિભાગને મોકલવો જોઈએ, જ્યાં નિર્ણય લેવામાં આવશે. સરકારે પોતે સ્વીકાર્યું છે કે, આવા ઘણા કેસ દેશના મુખ્ય મિશનને અસર કરી રહ્યા છે. આ આદેશ દર્શાવે છે કે સમસ્યા નાની નથી.

ISROએ પહેલા દેશના તેજસ્વી યુવાનોને આકર્ષિત કર્યા હતા. અહીં કામ કરતા લોકો દેશ માટે કંઈક કરી છૂટવા માંગતા હતા. પરંતુ હવે ઘણા યુવાન વૈજ્ઞાનિકો તેને છોડીને બહાર જઈ રહ્યા છે. કારણ સીધું જ છે, બહાર વધારે પગાર, ઝડપી પ્રમોશન, સારું વાતાવરણ, ઓછી અમલદારશાહી અને સારું કાર્ય-જીવન સંતુલન.

ISRO-Brain-Drain1
aajtak.in

ખાનગી અવકાશ કંપનીઓ સારા પેકેજો આપી રહી છે. ISROમાં કેટલાકને લાગે છે કે નવી વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું નથી, નિર્ણયોમાં વિલંબ થાય છે, અને તેમની મહેનતની પુરી પ્રશંસા કરવામાં આવતી નથી. જ્યારે તેઓનું મન નથી લાગતું, ત્યારે તે લોકો છોડીને ચાલ્યા જાય છે.

સરકારે IN-SPACE બનાવ્યું, ખાનગી કંપનીઓને અવકાશમાં કામ કરવાની મંજૂરી આપી. આ સારી વાત છે. ખાનગી કંપનીઓ રોકેટ, ઉપગ્રહો અને સેવાઓ બનાવી રહી છે. પરંતુ આ બધું ફક્ત ત્યારે જ કામ કરશે જો ISRO મજબૂત રહેશે. જો અનુભવી ISROના અધિકારીઓ છોડીને જતા રહે તો નવી ટેકનોલોજી કોણ વિકસાવશે? ગગનયાન મિશનમાં માનવોને અવકાશમાં મોકલવાનો સમાવેશ થાય છે. તેમાં ખૂબ જ સાવચેતી અને કુશળ કર્મચારીઓની જરૂર છે. જો તેઓ જ છોડીને જતા રહેશે તો મિશન મુશ્કેલ બની જશે.

ISROની સફળતાનું રહસ્ય એ હતું કે વૈજ્ઞાનિકોને સ્વતંત્રતા હતી, ભૂલોમાંથી શીખતાં હતા અને ટીમ બનાવીને કામ કરતા હતા. વિક્રમ સારાભાઈ અને સતીશ ધવન જેવા દિગ્ગજ વ્યક્તિઓ ત્યાં એક સંસ્કૃતિ સ્થાપિત કરીને ગયા. લોકો એટલા માટે ટકી રહ્યા, કારણ કે તેમને લાગ્યું કે તેઓ દેશ માટેના એક મોટા કામનો ભાગ છે. હવે, કેટલાક કહે છે કે સંસ્થામાં સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને યુવાનો માટે તકો ઓછી થઈ રહી છે. આ જ કારણ છે કે આવા પ્રતિબંધનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.

ગગનયાન ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે. તેમાં ખૂબ જ અદ્યતન ટેકનોલોજીની જરૂર છે. જો તેમાં સામેલ વૈજ્ઞાનિકો છોડીને જતા રહેશે તો કામ પર અસર પડશે. સરકારે આ સમસ્યાને યોગ્ય રીતે ઓળખી અને આદેશ બહાર પાડ્યો. જોકે, આ ફક્ત એક કામચલાઉ ઉકેલ છે. લાંબા ગાળાના વિલંબથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

photo_2026-07-16_14-10-39
aajtak.in

ખાનગી કંપનીઓ ઇસરોની જૂની ટેકનોલોજી અને જ્ઞાન પર કામ કરી રહી છે. ઇસરોએ દાયકાઓના રાષ્ટ્રીય ટેક્સના પૈસાથી તેનો પાયો બનાવ્યો છે. જો ઇસરો નબળું પડે છે, તો ખાનગી ક્ષેત્રને પણ અસર થશે. બંનેએ સાથે મળીને કામ કરવું જોઈએ. ઇસરોએ મોટા સંશોધન અને નવા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને ખાનગી કંપનીઓએ વ્યવસાય કરવો જોઈએ. પરંતુ આ માટે, ઇસરોને એક આકર્ષક સ્થળ બનાવવું જરૂરી છે.

આ આદેશથી સમસ્યા બહાર આવી છે, પરંતુ તે તેનો ઉકેલ નથી. સરકારે વૈજ્ઞાનિકો સાથે વાત કરવી જોઈએ અને તેમની ફરિયાદો સાંભળવી જોઈએ. પગાર વધારવો જોઈએ, પ્રમોશન સરળ બનાવવા જોઈએ, સંશોધન ભંડોળ પૂરું પાડવું જોઈએ અને સારું કાર્ય વાતાવરણ બનાવવું જોઈએ. યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવાની તકો આપવી જોઈએ. ત્યારે જ તેઓ ખુશીથી ત્યાં રહેશે.

ભારત 2040 સુધીમાં એક મોટું અવકાશ રાષ્ટ્ર બનવા માંગે છે. આ કરવા માટે, ઇસરોએ ફરી એકવાર સપનાનું કેન્દ્ર બનવું જોઈએ. જ્યાં લોકો આવવા અને રહેવા માંગે. ફક્ત ઓર્ડર જ નહીં, પણ સારું વાતાવરણ, સારા પગાર અને યોગ્ય નેતૃત્વ થકી જ આ કામ ચાલશે. દેશના વૈજ્ઞાનિકો હજુ પણ ISROમાં યોગદાન આપવા માંગે છે. તેમને યોગ્ય તક અને પ્રોત્સાહનની જરૂર છે.

ISROનો આ નવો ઓર્ડર દર્શાવે છે કે, સારા વૈજ્ઞાનિકો જઈ રહ્યા છે. ગગનયાન અને દેશના સપનાઓ માટે આને ગંભીરતાથી લેવું જોઈએ. આ પ્રતિબંધ કામચલાઉ છે. વાસ્તવિક ઉકેલ ISROને ફરીથી આકર્ષક અને મજબૂત બનાવવાનો છે. જો આપણે આજે ધ્યાન કેન્દ્રિત કરીશું, તો ભારત કાલે અવકાશમાં વધુ આગળ વધશે. વૈજ્ઞાનિકોને રોકવા માટે નિયમોની જરૂર નથી, પરંતુ સપના અને પ્રેરણાની જરૂર છે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

E20 પેટ્રોલ. તમે કદાચ નામ સાંભળ્યું હશે. તાજેતરમાં, જંતર-મંતર પર ભૂખ હડતાળ, ઉપવાસ અને Gen-Zના પ્રદર્શન વચ્ચે...
Tech and Auto 
'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની...
Politics 
છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.