બાઈકર્સના દિલની ધડકન છે બુલેટ, આ ખાસિયતોથી લોકો ખરીદવા થાય છે મજબૂર

રસ્તા પર જ્યારે બુલેટ ચાલે છે, તો દરેકની નજર તે તરફ ફરી જતી જોવા મળે છે. તે પાછળનું પહેલું કારણ છે તેનો યુનિક અવાજ અને બીજું કારણ છે અવાજની સાથે તમારા મગજમાં ચાલતું તેનું દમદાર નામ બુલેટ. રસ્તા પર સ્પીડથી દોડતી ભારે-ભરખમ બુલેટ બાઈકર્સની પહેલી પસંદ માનવામાં આવે છે. તેની પાછળ ઘણા કારણો છે, જે લોકોને Royal Enfield બુલેટ ખરીદવા માટે મજબૂર કરે છે.

બુલેટનું 350ccનું એન્જિન તેને એક શાનદાર બાઈક બનાવે છે. સાથે જ એન્જિન લો એન્ડ હાઈ બંને પર જબરજસ્ત ટોર્ક જનરેટ કરે છે. આ કારણે બુલેટ પહાડ હોય કે મેદાન, વરસાદ હોય તથા ઠંડી, દરેક પરિસ્થિતિમાં ધમદાર પરફોર્મન્સ આપે છે. જોકે ભાર-ભરખમ હોવાના કારણે બુલેટને રેતીમાં ચલાવવું થોડું મુશ્કેલ હોય છે. બાકી તે દરેક મામલે શાનદાર સાબિત થાય છે.

બુલેટની એક મોટી ખુબી છે તેનું વજન. ભારે-ભરખમ બુલેટ જ્યારે રોડ પર ચાલે છે તો ઘણી સ્ટેબલ રહે છે. લોકોની બોલીમાં કહીએ તો જમીન પર પકડ ચાલે છે. આશરે 200 કિલોનું વજન તેને રસ્તા પર સ્મૂથ ચાલવામાં મદદગાર સાબિત થાય છે. બાઈકને સંભાળવા માટે બાઈકર્સનું પણ વજન સારું એવું હોવું જોઈએ. આજના સમયે બુલેટ પહેલાના મુકાબલે આધુનિક થઈ ગઈ છે. પહેલા બુલેટને સ્ટાર્ટ કરવી સરળ ન હતી. પરંતુ હવે નવી બુલેટમાં ઈલેક્ટ્રીક સ્ટાર્ટ સિસ્ટમ આવી ગઈ છે. તેના કારણે કોઈ પણ હવે તેને સરળતાથી સ્ટાર્ટ કરી શકે છે. આ કારણ આજે બાઈકર્સને બુલેટ તરફ લોભાવવામાં સફળ રહે છે.

Royal Enfield બુલેટની માઈલેજને લઈને લોકોને ફરિયાદ રહેતી હતી. પરંતુ કંપનીએ હવે આ સમસ્યાને પણ દૂર કરી દીધી છે. નવી બુલેટ ટેક્નોલોજીના અપગ્રેડેશનને લીધે હવે 35 થી 40 કિમી પ્રતિ કલાકની માઈલેજ આપે છે. પરંતુ આટલી માઈલેજ મેળવવા માટે તમારે બુલેટને સંપૂર્ણ રીતે મેઈન્ટેન રાખવી પડશે. Royal Enfield બુલેટમાં સમયની સાથે ઘણા બદલાવો થતા રહ્યા છે. નવા જમાનાની બુલેટ એબીએસ બ્રેકિંગ સિસ્ટમ ટેકનોલોજી સાથે આવે છે. રોયલ એનફીલ્ડના હાલના તમામ મોડલમાં આ ફીચર ઉપલબ્ધ હોય જ છે. સાથે જ લેધરમાંથી બનાવવામાં આવેલી સોફા સીટિંગ જેવી સીટ તમને ખરેખરમાં આરામદાયક રાઈડની મજા આપે છે. તેના તમે લાંબું સફર પણ સરળતાથી ખેડી શકશો.   

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.