Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે

એપલ કંપનીએ ભારત સરકારના એ આદેશને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં તમામ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી નામની સરકારી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી જરૂરી ગણાવી હતી. જો કે સરકારે હવે આ આદેશ પાછો ખેચી લીધો છે, પણ આ પહેલા  Apple કંપનીએ સરકારને લેખિતમાં પોતાનો આપત્તિ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. સંચાર સાથી એપ સરકારે બનાવી છે, જેથી ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકાય, તેને બ્લોક કરી શકાય અને ખોટા કામોમાં ઉપયોગ થતા રોકી શકાય. સરકારનું કહેવું છે કે આનાથી સાયબર છેતરપિંડી અને ફોન ચોરીની સમસ્યા ઓછી થશે. પરંતુ એપલે તેને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો ઇનકાર કેમ કર્યો, ચાલો જાણીએ.

સરકારે ગુપ્ત રીતે એપલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓને 90 દિવસની અંદર બધા નવા ફોન પર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. જૂના ફોનમાં પણ અપડેટ દ્વારા આ એપ નાખવાની હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, યુઝર્સ એપને ડીલિટ અથવા ડિસેબલ ન કરી શકે.

Sanchar-Saathi-App1
navbharattimes.indiatimes.com

રોઇટર્સના અહેવાલ મુજબ, એપલનું કહેવું છે કે તે વિશ્વના કોઈપણ દેશમાં આવા આદેશોનું પાલન કરતી નથી. કંપનીને ડર છે કે આમ કરવાથી તેના iPhoneની ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ નુકસાન પહોંચશે. એપલની સમગ્ર સિસ્ટમ (iOS) ચુસ્તપણે બંધ હોય છે. કોઈ બાહ્ય એપ તેમાં ઊંડાણપૂર્વક ઘૂસી નહીં શકે. એપલને ડર છે કે,  જો સરકારી એપને બળજબરીપૂર્વક નાખશે તો હેકર્સને તક મળી શકે છે અને યુઝર્સના વ્યક્તિગત ડેટા જોખમમાં પડી શકે છે. એટલે એપલે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે કે એપલની સિક્યોરિટીને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે?

એપની પ્રાઈવસી પોલિસીમાં લખ્યું છે કે, iPhone યુઝર્સ પાસેથી કેમેરા, ફોટા અને ફાઇલો જોવાની પરવાનગી માંગવામાં આવશે. એન્ડ્રોઇડ ફોન કોલ લોગ, મેસેજ અને ફોન કોલ્સ સુધીનું ઍક્સેસ પણ માગી રહી છે. એપલને ડર છે કે આ એપ દ્વારા ફોનની જાસૂસી કરી શકાય છે, આજ કારણ છે કે તેણે પોતાના ફોનમાં સંચાર સાથી એપ નાખવાનો ઇનકાર કરી દીધો છે.

Sanchar-Saathi-App2
business-standard.com

સરકારના આ આદેશ પર હોબાળો થયા બાદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ એપ પૂરી રીતે વૈકલ્પિક છે. યુઝર ઈચ્છે તો તેને રાખે અથવા ગમે ત્યારે ડીલિટ કરી શકે છે. જો કે, અગાઉના આદેશમાં ડીલિટ કરવાની વાત લખી નહોતી.

About The Author

Related Posts

Top News

નિર્મલા સીતારમણ આ વસ્તુ પર ખતરનાક ટેક્સ નાખવાના છે, કિંમતમાં 10 ગણો થશે વધારો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ ( અમેડમેન્ટ )બિલ  2025 રજૂ કર્યું અને સંસદમા પસાર પણ થઇ...
National 
નિર્મલા સીતારમણ આ વસ્તુ પર ખતરનાક ટેક્સ નાખવાના છે, કિંમતમાં 10 ગણો થશે વધારો

Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે

એપલ કંપનીએ ભારત સરકારના એ આદેશને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં તમામ નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી...
Tech and Auto 
Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે

‘લાલો’ ફિલ્મે 100 કરોડની કમાણી કરી તો શું શૂટ થઇ તે ઘર માલિક મદદ કરવી જોઈએ

ગુજરાતી ફિલ્મ લાલોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી અને 100 કરોડની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ તરીકે ઇતિહાસ રચી...
Entertainment 
‘લાલો’ ફિલ્મે 100 કરોડની કમાણી કરી તો શું શૂટ થઇ તે ઘર માલિક મદદ કરવી જોઈએ

વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા

આ દુનિયામાં ઘણા બધા જીવ-જંતુઓ છે. તેમાંથી ઘણા બધા જીવ કે પછી પ્રાણીઓને લોકો પ્રેમ કરે છે, જ્યારે કેટલાકથી...
Gujarat 
વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.