Appleએ iPhoneમાં ‘સંચાર સાથી’ એપ નાખવાની કેમ ના પાડી? ઘણા કારણો છે

એપલ કંપનીએ ભારત સરકારના એ આદેશને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં તમામ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી નામની સરકારી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી જરૂરી ગણાવી હતી. જો કે સરકારે હવે આ આદેશ પાછો ખેચી લીધો છે, પણ આ પહેલા  Apple કંપનીએ સરકારને લેખિતમાં પોતાનો આપત્તિ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. સંચાર સાથી એપ સરકારે બનાવી છે, જેથી ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકાય, તેને બ્લોક કરી શકાય અને ખોટા કામોમાં ઉપયોગ થતા રોકી શકાય. સરકારનું કહેવું છે કે આનાથી સાયબર છેતરપિંડી અને ફોન ચોરીની સમસ્યા ઓછી થશે. પરંતુ એપલે તેને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો ઇનકાર કેમ કર્યો, ચાલો જાણીએ.

સરકારે ગુપ્ત રીતે એપલ, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓને 90 દિવસની અંદર બધા નવા ફોન પર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. જૂના ફોનમાં પણ અપડેટ દ્વારા આ એપ નાખવાની હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, યુઝર્સ એપને ડીલિટ અથવા ડિસેબલ ન કરી શકે.

Sanchar-Saathi-App1
navbharattimes.indiatimes.com

રોઇટર્સના અહેવાલ મુજબ, એપલનું કહેવું છે કે તે વિશ્વના કોઈપણ દેશમાં આવા આદેશોનું પાલન કરતી નથી. કંપનીને ડર છે કે આમ કરવાથી તેના iPhoneની ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ નુકસાન પહોંચશે. એપલની સમગ્ર સિસ્ટમ (iOS) ચુસ્તપણે બંધ હોય છે. કોઈ બાહ્ય એપ તેમાં ઊંડાણપૂર્વક ઘૂસી નહીં શકે. એપલને ડર છે કે,  જો સરકારી એપને બળજબરીપૂર્વક નાખશે તો હેકર્સને તક મળી શકે છે અને યુઝર્સના વ્યક્તિગત ડેટા જોખમમાં પડી શકે છે. એટલે એપલે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે કે એપલની સિક્યોરિટીને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે?

એપની પ્રાઈવસી પોલિસીમાં લખ્યું છે કે, iPhone યુઝર્સ પાસેથી કેમેરા, ફોટા અને ફાઇલો જોવાની પરવાનગી માંગવામાં આવશે. એન્ડ્રોઇડ ફોન કોલ લોગ, મેસેજ અને ફોન કોલ્સ સુધીનું ઍક્સેસ પણ માગી રહી છે. એપલને ડર છે કે આ એપ દ્વારા ફોનની જાસૂસી કરી શકાય છે, આજ કારણ છે કે તેણે પોતાના ફોનમાં સંચાર સાથી એપ નાખવાનો ઇનકાર કરી દીધો છે.

Sanchar-Saathi-App2
business-standard.com

સરકારના આ આદેશ પર હોબાળો થયા બાદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ એપ પૂરી રીતે વૈકલ્પિક છે. યુઝર ઈચ્છે તો તેને રાખે અથવા ગમે ત્યારે ડીલિટ કરી શકે છે. જો કે, અગાઉના આદેશમાં ડીલિટ કરવાની વાત લખી નહોતી.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.