ન કોઈ કેમિકલ, ન આધુનિક ટેક્નિક; ગાયના છાણથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા 58 વર્ષીય ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ 3 વર્ષ અગાઉ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે પરંપરાગત ખેતીની રીતો છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી. તેનો પુત્ર જયેશભાઈ પ્રજાપતિ બનાસ ડેરીમાં કામ કરે છે, તે પણ આ પહેલમાં તેની સાથે છે. પિતા અને પુત્ર બંને હવે 7 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જયેશભાઈ કહે છે, જો આપણે આપણા બાળકોને ઝેર નથી આપતા તો પછી ધરતીને પણ ઝેર કેમ આપીએ? આ વિચાર જ તેની ખેતીની દિશા બદલવાનું કારણ બન્યો.

તેને સમજાયું કે રાસાયણિક ખેતી ન માત્ર જમીનને જ નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ અનાજને પણ ઝેરી બનાવી રહી છે. આ જ કારણ છે કે તેણે અને તેના પિતાએ જીવનભર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો. નરસિંહભાઈએ દેશી ગીર જાતિની ગાયો ઉછેરી છે. તે ગાયના છાણ અને મૂત્રમાંથી તેઓ ખાસ જીવામૃત અને પ્રવાહી જીવામૃત તૈયાર કરે છે. આ જૈવિક મિશ્રણ પાકની વૃદ્ધિ અને ઉપજ વધારે છે. તેઓ ઠોસ અમૃતને 15 દિવસમાં ખેતરમાં ભેળવે છે અને 30-35  દિવસમાં તૈયાર ખાતર ખેતરમાં નાખે છે. પાકની જરૂરિયાત મુજબ જીવામૃતનો ઉપયોગ 15-21 દિવસમાં કરવામાં આવે છે.

Farmer
hindi.news18.com

હાલમાં તેઓ ઉનાળુ બાજરીની ખેતી કરી રહ્યા છે. તેમને એક વીઘામાં લગભગ 50-60 મણ બાજરીનું ઉત્પાદન મળે છે. આ બાજરી બજારમાં 600-650 રૂપિયા પ્રતિ મણના ભાવે વેંચાય છે. જો પાક વધુ હોય, તો તેને માર્કેટમાં પણ વેંચવામાં આવે છે, જેથી આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળેલી સફળતાએ ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. તેઓ પણ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. નરસિંહભાઈની મહેનત અને સમર્પણ આજે ગામ માટે એક ઉદાહરણ બની ચૂક્યું છે. પુત્ર જયેશનું કહેવું છે કે તેના પિતાના આધ્યાત્મિક વિચાર અને ધરતી સાથેના જોડાણે તેમને પણ પ્રેરિત કર્યો. નરસિંહભાઈની ખેતી ન માત્ર જમીન માટે સારી સાબિત થઈ, પરંતુ આર્થિક રીતે પણ લાભદાયી બની છે. જ્યાં પહેલા રાસાયણિક ખેતીને કારણે જમીનનું ઉત્પાદન ઘટી રહ્યું હતું, હવે એજ જમીન દરેક સીઝનમાં સારું ઉત્પાદન આપી રહી છે. સાથે જ, રસાયણવ વિનાનું અનાજ ખાવાથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું થયું છે.

About The Author

Related Posts

Top News

લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

જ્યારે ભારતીય IPO બજારમાં એક બાદ એક ઇશ્યૂ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં પણ તમામ IPO શેરબજારમાં રોકાણકારોને...
Business 
લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ તેનું 36 દિવસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન...
National 
'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.