ન કોઈ કેમિકલ, ન આધુનિક ટેક્નિક; ગાયના છાણથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા 58 વર્ષીય ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ 3 વર્ષ અગાઉ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે પરંપરાગત ખેતીની રીતો છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી. તેનો પુત્ર જયેશભાઈ પ્રજાપતિ બનાસ ડેરીમાં કામ કરે છે, તે પણ આ પહેલમાં તેની સાથે છે. પિતા અને પુત્ર બંને હવે 7 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જયેશભાઈ કહે છે, જો આપણે આપણા બાળકોને ઝેર નથી આપતા તો પછી ધરતીને પણ ઝેર કેમ આપીએ? આ વિચાર જ તેની ખેતીની દિશા બદલવાનું કારણ બન્યો.

તેને સમજાયું કે રાસાયણિક ખેતી ન માત્ર જમીનને જ નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ અનાજને પણ ઝેરી બનાવી રહી છે. આ જ કારણ છે કે તેણે અને તેના પિતાએ જીવનભર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો. નરસિંહભાઈએ દેશી ગીર જાતિની ગાયો ઉછેરી છે. તે ગાયના છાણ અને મૂત્રમાંથી તેઓ ખાસ જીવામૃત અને પ્રવાહી જીવામૃત તૈયાર કરે છે. આ જૈવિક મિશ્રણ પાકની વૃદ્ધિ અને ઉપજ વધારે છે. તેઓ ઠોસ અમૃતને 15 દિવસમાં ખેતરમાં ભેળવે છે અને 30-35  દિવસમાં તૈયાર ખાતર ખેતરમાં નાખે છે. પાકની જરૂરિયાત મુજબ જીવામૃતનો ઉપયોગ 15-21 દિવસમાં કરવામાં આવે છે.

Farmer
hindi.news18.com

હાલમાં તેઓ ઉનાળુ બાજરીની ખેતી કરી રહ્યા છે. તેમને એક વીઘામાં લગભગ 50-60 મણ બાજરીનું ઉત્પાદન મળે છે. આ બાજરી બજારમાં 600-650 રૂપિયા પ્રતિ મણના ભાવે વેંચાય છે. જો પાક વધુ હોય, તો તેને માર્કેટમાં પણ વેંચવામાં આવે છે, જેથી આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળેલી સફળતાએ ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. તેઓ પણ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. નરસિંહભાઈની મહેનત અને સમર્પણ આજે ગામ માટે એક ઉદાહરણ બની ચૂક્યું છે. પુત્ર જયેશનું કહેવું છે કે તેના પિતાના આધ્યાત્મિક વિચાર અને ધરતી સાથેના જોડાણે તેમને પણ પ્રેરિત કર્યો. નરસિંહભાઈની ખેતી ન માત્ર જમીન માટે સારી સાબિત થઈ, પરંતુ આર્થિક રીતે પણ લાભદાયી બની છે. જ્યાં પહેલા રાસાયણિક ખેતીને કારણે જમીનનું ઉત્પાદન ઘટી રહ્યું હતું, હવે એજ જમીન દરેક સીઝનમાં સારું ઉત્પાદન આપી રહી છે. સાથે જ, રસાયણવ વિનાનું અનાજ ખાવાથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું થયું છે.

About The Author

Related Posts

Top News

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

જાડેજાએ IPL 2026 રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં રહેમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી!

રણવીર સિંહના 'ધુરંધર' ગીતે માત્ર ચાહકોને જ પ્રભાવિત કર્યા નથી, પરંતુ ક્રિકેટરો અને રાજકારણીઓ પણ તેમના વીડિયોમાં...
Entertainment 
જાડેજાએ IPL 2026 રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં રહેમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.