ન કોઈ કેમિકલ, ન આધુનિક ટેક્નિક; ગાયના છાણથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા 58 વર્ષીય ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ 3 વર્ષ અગાઉ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે પરંપરાગત ખેતીની રીતો છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી. તેનો પુત્ર જયેશભાઈ પ્રજાપતિ બનાસ ડેરીમાં કામ કરે છે, તે પણ આ પહેલમાં તેની સાથે છે. પિતા અને પુત્ર બંને હવે 7 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. જયેશભાઈ કહે છે, જો આપણે આપણા બાળકોને ઝેર નથી આપતા તો પછી ધરતીને પણ ઝેર કેમ આપીએ? આ વિચાર જ તેની ખેતીની દિશા બદલવાનું કારણ બન્યો.

તેને સમજાયું કે રાસાયણિક ખેતી ન માત્ર જમીનને જ નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ અનાજને પણ ઝેરી બનાવી રહી છે. આ જ કારણ છે કે તેણે અને તેના પિતાએ જીવનભર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો. નરસિંહભાઈએ દેશી ગીર જાતિની ગાયો ઉછેરી છે. તે ગાયના છાણ અને મૂત્રમાંથી તેઓ ખાસ જીવામૃત અને પ્રવાહી જીવામૃત તૈયાર કરે છે. આ જૈવિક મિશ્રણ પાકની વૃદ્ધિ અને ઉપજ વધારે છે. તેઓ ઠોસ અમૃતને 15 દિવસમાં ખેતરમાં ભેળવે છે અને 30-35  દિવસમાં તૈયાર ખાતર ખેતરમાં નાખે છે. પાકની જરૂરિયાત મુજબ જીવામૃતનો ઉપયોગ 15-21 દિવસમાં કરવામાં આવે છે.

Farmer
hindi.news18.com

હાલમાં તેઓ ઉનાળુ બાજરીની ખેતી કરી રહ્યા છે. તેમને એક વીઘામાં લગભગ 50-60 મણ બાજરીનું ઉત્પાદન મળે છે. આ બાજરી બજારમાં 600-650 રૂપિયા પ્રતિ મણના ભાવે વેંચાય છે. જો પાક વધુ હોય, તો તેને માર્કેટમાં પણ વેંચવામાં આવે છે, જેથી આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળેલી સફળતાએ ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. તેઓ પણ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. નરસિંહભાઈની મહેનત અને સમર્પણ આજે ગામ માટે એક ઉદાહરણ બની ચૂક્યું છે. પુત્ર જયેશનું કહેવું છે કે તેના પિતાના આધ્યાત્મિક વિચાર અને ધરતી સાથેના જોડાણે તેમને પણ પ્રેરિત કર્યો. નરસિંહભાઈની ખેતી ન માત્ર જમીન માટે સારી સાબિત થઈ, પરંતુ આર્થિક રીતે પણ લાભદાયી બની છે. જ્યાં પહેલા રાસાયણિક ખેતીને કારણે જમીનનું ઉત્પાદન ઘટી રહ્યું હતું, હવે એજ જમીન દરેક સીઝનમાં સારું ઉત્પાદન આપી રહી છે. સાથે જ, રસાયણવ વિનાનું અનાજ ખાવાથી પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું થયું છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.