Video: દિનેશ પ્રસાદનો લવારો, સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે દેવી દેવતાઓને..

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ થાળે પડ્યો છે ત્યાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક શખ્સે બેફામ લવારો અને નર્યો બકવાસ કરતો વીડિયો વાયરલ કર્યો છે. આનું નામ છે દિનેશ પ્રસાદ. આ માથા અને ધઢ વગરની વાતો કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ધાર્મિક વૈમનસ્ય ફેલાવી રહ્યો છે. આવા શખ્સ સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાવી રહ્યા છે. આ કહે છે કે સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે સનાતનીઓના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.

સાળંગપુર ભીંતચિત્રના વિવાદ વખતે સ્વામીનારાયણના સાધુ નૌતમ સ્વામીએ લવારા કર્યા પછી હવે રાજકોટ સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદ આચાર્ય નામના શખ્સે લગભગ 4 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે આ દિનેશના બોડી લેંગ્વેંજ પણ સાવ ગંદા છે. આ વીડિયોમાં તે એકની એક વાત રિપીટ કરી રહ્યો છે.

દિનેશ પ્રસાદ બોલી રહ્યો છે કે ભગવાન સ્વામીનારાયણે મને આદેશ કર્યો છે કે સનાતનીઓના હવે કોઇ કામ થવાના નથી. જુઠુ બોલીને આવશો તો પણ ભગવાન કામ કરવાના નથી, માટે સનાતનીઓએ સ્વામીનારાયણ ભગવાન પાસે આવવું નહીં. તે કહે છે કે સનાતનીઓએ ભગવાન સ્વામીનારાયણની આસપાસ પણ ફરકવું નહીં.

દિનેશ બકવાસ કરતા આગળ બોલે છે કે દેવી-દેવતાઓ સિવાયના જે કોઇ પણ હોય, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ જ મારી પાસે આવવું. હું તેમના કોઇ પણ જાતની ફી લીધા વગર રોગ મટાડી દઇશ.

આનો બીજો લવારો સાંભળો, એ કહે છે કે સનાતનીઓએ મારી પાસે ફરકવાનું નથી અને તેમના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.ભગવાન સ્વામીનારાયણ સનાતનીઓથી કુરાજ થયા છે.

સનાતનીઓ સિવાય બધાને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે અને સનાતનીઓ સિવાય બધા પર ભગવાન લીલા કરશે. તે કહે છે કે સનાતનીઓ એમ કહે છે કે સ્વામીનારાયણ ભગવાન નથી. તો હવે સ્વામીનારાયણ ભગવાને નક્કી કર્યું છે કે સનાતનીઓને બતાવી દઇશ કે ભગવાન કોણ છે.

એલફેલ બોલનારો દિનેશ કહે છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ સાંભળી લે આપણે દેવી દેવતાઓ સાથે કોઇ લેવા દેવા રાખવાની નથી. સ્વામીનારાયણ ભગવાન આખો ધર્મ અલગ કરી રહ્યા છે અને આપણે બધાએ તેમાં જોડાવવાનું છે.

તેણે છેલ્લે કહ્યું કે જો આપણે ભગવાન સ્વામીનારાયણના નવા ધર્મ સાથે નહીં જોડાઇશું તો પછી આપણો સંપ્રદાય બંધ થઇ જશે.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.