Video: દિનેશ પ્રસાદનો લવારો, સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે દેવી દેવતાઓને..

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ થાળે પડ્યો છે ત્યાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક શખ્સે બેફામ લવારો અને નર્યો બકવાસ કરતો વીડિયો વાયરલ કર્યો છે. આનું નામ છે દિનેશ પ્રસાદ. આ માથા અને ધઢ વગરની વાતો કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ધાર્મિક વૈમનસ્ય ફેલાવી રહ્યો છે. આવા શખ્સ સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાવી રહ્યા છે. આ કહે છે કે સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે સનાતનીઓના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.

સાળંગપુર ભીંતચિત્રના વિવાદ વખતે સ્વામીનારાયણના સાધુ નૌતમ સ્વામીએ લવારા કર્યા પછી હવે રાજકોટ સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદ આચાર્ય નામના શખ્સે લગભગ 4 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે આ દિનેશના બોડી લેંગ્વેંજ પણ સાવ ગંદા છે. આ વીડિયોમાં તે એકની એક વાત રિપીટ કરી રહ્યો છે.

દિનેશ પ્રસાદ બોલી રહ્યો છે કે ભગવાન સ્વામીનારાયણે મને આદેશ કર્યો છે કે સનાતનીઓના હવે કોઇ કામ થવાના નથી. જુઠુ બોલીને આવશો તો પણ ભગવાન કામ કરવાના નથી, માટે સનાતનીઓએ સ્વામીનારાયણ ભગવાન પાસે આવવું નહીં. તે કહે છે કે સનાતનીઓએ ભગવાન સ્વામીનારાયણની આસપાસ પણ ફરકવું નહીં.

દિનેશ બકવાસ કરતા આગળ બોલે છે કે દેવી-દેવતાઓ સિવાયના જે કોઇ પણ હોય, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ જ મારી પાસે આવવું. હું તેમના કોઇ પણ જાતની ફી લીધા વગર રોગ મટાડી દઇશ.

આનો બીજો લવારો સાંભળો, એ કહે છે કે સનાતનીઓએ મારી પાસે ફરકવાનું નથી અને તેમના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.ભગવાન સ્વામીનારાયણ સનાતનીઓથી કુરાજ થયા છે.

સનાતનીઓ સિવાય બધાને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે અને સનાતનીઓ સિવાય બધા પર ભગવાન લીલા કરશે. તે કહે છે કે સનાતનીઓ એમ કહે છે કે સ્વામીનારાયણ ભગવાન નથી. તો હવે સ્વામીનારાયણ ભગવાને નક્કી કર્યું છે કે સનાતનીઓને બતાવી દઇશ કે ભગવાન કોણ છે.

એલફેલ બોલનારો દિનેશ કહે છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ સાંભળી લે આપણે દેવી દેવતાઓ સાથે કોઇ લેવા દેવા રાખવાની નથી. સ્વામીનારાયણ ભગવાન આખો ધર્મ અલગ કરી રહ્યા છે અને આપણે બધાએ તેમાં જોડાવવાનું છે.

તેણે છેલ્લે કહ્યું કે જો આપણે ભગવાન સ્વામીનારાયણના નવા ધર્મ સાથે નહીં જોડાઇશું તો પછી આપણો સંપ્રદાય બંધ થઇ જશે.

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.