Video: દિનેશ પ્રસાદનો લવારો, સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે દેવી દેવતાઓને..

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ થાળે પડ્યો છે ત્યાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક શખ્સે બેફામ લવારો અને નર્યો બકવાસ કરતો વીડિયો વાયરલ કર્યો છે. આનું નામ છે દિનેશ પ્રસાદ. આ માથા અને ધઢ વગરની વાતો કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ધાર્મિક વૈમનસ્ય ફેલાવી રહ્યો છે. આવા શખ્સ સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાવી રહ્યા છે. આ કહે છે કે સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે સનાતનીઓના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.

સાળંગપુર ભીંતચિત્રના વિવાદ વખતે સ્વામીનારાયણના સાધુ નૌતમ સ્વામીએ લવારા કર્યા પછી હવે રાજકોટ સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદ આચાર્ય નામના શખ્સે લગભગ 4 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે આ દિનેશના બોડી લેંગ્વેંજ પણ સાવ ગંદા છે. આ વીડિયોમાં તે એકની એક વાત રિપીટ કરી રહ્યો છે.

દિનેશ પ્રસાદ બોલી રહ્યો છે કે ભગવાન સ્વામીનારાયણે મને આદેશ કર્યો છે કે સનાતનીઓના હવે કોઇ કામ થવાના નથી. જુઠુ બોલીને આવશો તો પણ ભગવાન કામ કરવાના નથી, માટે સનાતનીઓએ સ્વામીનારાયણ ભગવાન પાસે આવવું નહીં. તે કહે છે કે સનાતનીઓએ ભગવાન સ્વામીનારાયણની આસપાસ પણ ફરકવું નહીં.

દિનેશ બકવાસ કરતા આગળ બોલે છે કે દેવી-દેવતાઓ સિવાયના જે કોઇ પણ હોય, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ જ મારી પાસે આવવું. હું તેમના કોઇ પણ જાતની ફી લીધા વગર રોગ મટાડી દઇશ.

આનો બીજો લવારો સાંભળો, એ કહે છે કે સનાતનીઓએ મારી પાસે ફરકવાનું નથી અને તેમના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.ભગવાન સ્વામીનારાયણ સનાતનીઓથી કુરાજ થયા છે.

સનાતનીઓ સિવાય બધાને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે અને સનાતનીઓ સિવાય બધા પર ભગવાન લીલા કરશે. તે કહે છે કે સનાતનીઓ એમ કહે છે કે સ્વામીનારાયણ ભગવાન નથી. તો હવે સ્વામીનારાયણ ભગવાને નક્કી કર્યું છે કે સનાતનીઓને બતાવી દઇશ કે ભગવાન કોણ છે.

એલફેલ બોલનારો દિનેશ કહે છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ સાંભળી લે આપણે દેવી દેવતાઓ સાથે કોઇ લેવા દેવા રાખવાની નથી. સ્વામીનારાયણ ભગવાન આખો ધર્મ અલગ કરી રહ્યા છે અને આપણે બધાએ તેમાં જોડાવવાનું છે.

તેણે છેલ્લે કહ્યું કે જો આપણે ભગવાન સ્વામીનારાયણના નવા ધર્મ સાથે નહીં જોડાઇશું તો પછી આપણો સંપ્રદાય બંધ થઇ જશે.

Related Posts

Top News

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
Tech and Auto 
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે

આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
World 
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.