ધનતેરસ 2025: ધન અને સમૃદ્ધિનો તહેવાર — જાણો સોનું ખરીદવાનો શુભ મુહૂર્ત

આવતા 18 ઓક્ટોબર, શનિવારના રોજ ધનતેરસનો પાવન તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ, ધનતેરસની સાંજે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન, સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમની કૃપાથી જીવનમાં સુખ અને વૈભવની વૃદ્ધિ થાય છે.

પરંપરા અનુસાર, ધનતેરસના દિવસે સોનું, ચાંદી અથવા તેનાથી બનેલા દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધાતુ ખરીદવાથી ઘરમાં ધનનો પ્રવેશ થાય છે. જો તમે પણ આ વર્ષે ધનતેરસ પર ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા હો, તો નીચે જણાવેલા શુભ મુહૂર્તમાં ખરીદી કરવી શ્રેષ્ઠ રહેશે.

Dhanteras-2
cnbctv18.com

ધનતેરસના મુખ્ય સમય

ત્રયોદશી તિથિનો પ્રારંભ: 18 ઓક્ટોબર, શનિવાર – બપોરે 12:18 વાગ્યે

તિથિનો સમાપન: 19 ઓક્ટોબર, રવિવાર – બપોરે 1:51 વાગ્યે

પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી રાત્રે 8:20 સુધી

પ્રદોષ કાળ: સાંજે 5:48 થી રાત્રે 8:20 સુધી

સોનું ખરીદવાનું મુખ્ય મુહૂર્ત

આ વર્ષે ધનતેરસ પર સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત કુલ 18 કલાક અને 6 મિનિટનું રહેશે.

શરૂઆત: 18 ઓક્ટોબર, બપોરે 12:18 વાગ્યે

સમાપન: 19 ઓક્ટોબર, સવારે 6:24 વાગ્યે

ધનતેરસના દિવસે સોનું ખરીદવાના શુભ ચોઘડિયા મુહૂર્ત

ચલ (સામાન્ય) મુહૂર્ત: 12:06 PM – 1:32 PM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત: 1:32 PM – 2:57 PM

અમૃત (સર્વોત્તમ) મુહૂર્ત: 2:57 PM – 4:23 PM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત: 5:48 PM – 7:23 PM

શુભ (ઉત્તમ) મુહૂર્ત: 8:57 PM – 10:32 PM

અમૃત (સર્વોત્તમ) મુહૂર્ત: 10:32 PM – 12:06 AM

ચલ (સામાન્ય) મુહૂર્ત: 12:06 AM – 1:41 AM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત (19 ઑક્ટો): 4:50 AM – 6:24 AM

Dhanteras1
mypandit.com

ધનતેરસના બીજા દિવસે પણ સોનું ખરીદવાની તક

19 ઓક્ટોબર, રવિવારે પણ ધન ત્રયોદશી તિથિ યથાવત રહેશે. તેથી આ દિવસે પણ સવારે 6:24 થી બપોરે 1:51 સુધી સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

આ દિવસના ચોઘડિયા મુહૂર્ત:

ચલ (સામાન્ય): 7:50 AM – 9:15 AM

લાભ (ઉન્નતિ): 9:15 AM – 10:40 AM

અમૃત (સર્વોત્તમ): 10:40 AM – 12:06 PM

About The Author

Related Posts

Top News

રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2025 મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો, ...
Sports 
રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત...
Tech and Auto 
થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980...
Science 
અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Gujarat 
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.