હનુમાનજી અને સુરસા... બુદ્ધિ, શક્તિ અને ધીરજની જીત

જ્યારે શ્રીરામના પરમ ભક્ત અને દૂત પવનપુત્ર હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા જઈ રહ્યા હતા, ત્યારે તેમને માર્ગમાં અનેક અડચણોનો સામનો કરવો પડ્યો. તેમાંથી એક હતી  નાગમાતા સુરસા. આ પ્રસંગ રામાયણના સુંદર અને ભક્તિમય કિસ્સાઓમાંનો એક છે જે હનુમાનજીની અપાર બુદ્ધિ, શક્તિ અને ધીરજની જીતને દર્શાવે છે.

લંકા તરફ જતાં હનુમાનજીએ સમુદ્ર ઉપરથી ઉડાન ભરી. તેમની ગતિ એવી હતી કે જાણે પવન દેવ પોતે પોતાના પુત્રને લક્ષ્ય સુધી પહોંચાડવા પ્રેરણા આપી રહ્યા હોય. ત્યાં જ અચાનક સમુદ્રમાંથી એક વિશાળ આકૃતિ પ્રગટ થઈ નાગમાતા સુરસા. દેવતાઓએ તેમને હનુમાનજીની પરીક્ષા લેવા મોકલ્યા હતા. સુરસાએ હનુમાનજી સામે આવીને કહ્યું, "હે વાનર! આજે તું મારું ભોજન બનીશ. મારા મુખમાં પ્રવેશ કર્યા વિના કોઈ મારી સામેથી આગળ વધી શકે નહીં." તેમના શબ્દોમાં પડકાર હતો પરંતુ હનુમાનજીએ તેને દુશ્મની ન સમજી એક તક તરીકે જોયું.

02

હનુમાનજીએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, "માતા સુરસા! હું શ્રીરામનો દૂત છું અને માતા સીતાની શોધમાં લંકા જઈ રહ્યો છું. આ કાર્ય ખૂબ જ મહત્વનું છે. કૃપા કરીને મને જવા દો. મારું કામ પૂરું થયા પછી હું પાછો આવીને તમારી સામે હાજર થઈશ." પણ સુરસા પોતાની પરીક્ષામાં અડગ હતાં. તેમણે પોતાનું મુખ વિશાળ કરવાનું શરૂ કર્યું અને કહ્યું, "જો તારામાં સામર્થ્ય હોય તો મારા મુખમાંથી પસાર થઈ જા."

હનુમાનજીએ પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો. તેમણે વિચાર્યું કે શક્તિનો ઉપયોગ તો કરવો જ પડશે પરંતુ સુરસા માતાનું સન્માન પણ જાળવવું જરૂરી છે. આથી તેમણે પોતાનું શરીર વધુ વિશાળ કરવાનું શરૂ કર્યું. સુરસાનું મુખ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ હનુમાનજીનું શરીર તેનાથી પણ વધુ વિશાળ થતું ગયું. આ દૃશ્ય અદ્ભુત હતું એક બાજુ નાગમાતાની શક્તિ અને બીજી બાજુ હનુમાનજીનું બળ. અંતે સુરસાનું મુખ એટલું વિશાળ થયું કે તે પહાડોને પણ ગળી શકે અને હનુમાનજી પણ એટલા જ વિશાળ બન્યા.

પછી હનુમાનજીએ પોતાની ચતુરાઈ બતાવી. અચાનક તેમણે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઝડપથી સુરસાના મુખમાં પ્રવેશ કર્યો અને તરત જ બહાર નીકળી આવ્યા. આ બધું એટલી ઝડપથી થયું કે સુરસા આશ્ચર્યચકિત થઈ ગયાં. હનુમાનજીએ ફરી હાથ જોડીને કહ્યું, "માતા! મેં તમારા વચનનું પાલન કર્યું અને તમારા મુખમાંથી પસાર થઈ ગયો. હવે કૃપા કરીને મને જવાની પરવાનગી આપો." સુરસા પ્રસન્ન થયાં. તેમણે કહ્યું, "હે હનુમાન! તારી બુદ્ધિ, શક્તિ અને ધીરજ અજોડ છે. જા, તારું કાર્ય સફળ થાઓ." આમ કહીને તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યા.

03

આ રીતે હનુમાનજીએ પોતાની શક્તિ અને બુદ્ધિથી જીત મેળવી અને સુરસા માતાનું સન્માન પણ જાળવ્યું. આ કથા આપણને શીખવે છે કે સાચી જીત એ જ છે જે વિવેક અને સન્માન સાથે મળે. હનુમાનજીનો આ પ્રસંગ ભક્તો માટે પ્રેરણાનું સાધન છે જે તેમની ભક્તિ, બળ અને નમ્રતાનું અનુપમ ઉદાહરણ આપે છે.

પ્રાર્થના...

મારા રામ... કરુણા રાખજો, સૌનું ભલું થાજો. કલયુગે સાક્ષાત દેવ હનુમાનજી મહારાજને અમારી સાથે રાખજો.

About The Author

Related Posts

Top News

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.