જૈન તીર્થ બચાવવા મૂનિના પ્રાણ ત્યાગ, 10 દિવસથી ઉપવાસ પર બેઠા હતા

છેલ્લાં લગભગ પંદરેક દિવસથી સમેત શિખર અને શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે દેશભરના જૈન સમાજના લોકો જબરદસ્ત લડત આપી રહ્યા છે એ દરમિયાન પવિત્ર તીર્થને બચાવવા માટે છેલ્લાં 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા જૈન મૂનિનું મંગળવારે જયપુરમાં નિધન થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. જૈન સંતો અને અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ઝારખંડમાં જૈન તીર્થસ્થળ સમેત શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર 72 વર્ષના હતા.

ઝારખંડ સરકારના નિર્ણય બાદ સુજ્ઞેયસાગર 25મી ડિસેમ્બરથી સાંગાનેરમાં ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું કે, મુનિશ્રીએ સમેત શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે. તેઓ તેની સાથે જોડાયેલા હતા. જૈન સાધુ સુનિલ સાગરે કહ્યું કે સમેત શિખર અમારું ગૌરવ છે. આજે સાંજે 6 વાગ્યે મુનિ સુજ્ઞેય સાગર મહારાજનું નિધન થયું. જ્યારે તેમને ખબર પડી કે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર તેમણે પોતાની જાતને ધર્મને સમર્પિત કરી દીધી છે. હવે મુનિ સમર્થ સાગરે પણ અન્નકૂટની આહુતિ આપીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.

મુનિ સુજ્ઞેય સાગરનો જન્મ જોધપુરના ભિલાડામાં થયો હતો, પરંતુ તેમનું કાર્યસ્થળ મુંબઈમાં અંધેરી હતું. તેમણે ગિરનારમાં આચાર્ય સુનિલ સાગર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. બાંસવાડામાં મુનિ દીક્ષા અને સમેત શિખરમાં ક્ષુલક દીક્ષા લીધી. શરૂઆતથી ઋષિએ વ્રત રાખ્યું અને અંતે તીર્થને બચાવવા ઉપવાસ રાખ્યા. સંતનું ઘરેલું નામ નેમિરાજ હતું.

દરમિયાન જયપુરમાં જૈન સાધુ આચાર્ય શંશાકે જણાવ્યું હતું કે, જૈન સમુદાય હાલમાં સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માટે અહિંસક રીતે આંદોલન કરી રહ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.