એક તરફ ચંદ્રયાન-3એ પગ મૂક્યો અને બીજી તરફ 13 કંપનીઓએ 20 હજાર કરોડની કમાણી કરી

ISROનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6 વાગ્યેને 4 મિનિટ સફળતા પૂર્વક લેન્ડિંગ કરી ગયું હતું. ભારતની, વેજ્ઞાનિકોની, દેશવાસીઓની બધાની આમા સિદ્ધી છે, પરુંતુ ચંદ્રયાનના વિવિધ પાર્ટસનો પુરવઠો પુરો પાડનારી કંપનીઓએ એક સપ્તાહમાં શેરબજારમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. બ્લુમબર્ગના એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર પગ મુકીને અને ત્રિરંગો લહેરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સફળતા કોઈ એક ISROની નથી પરંતુ તેના નિર્માણમાં યોગદાન આપનાર તમામ કંપનીઓની છે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન ચંદ્ર પર પગ મૂકે તે પહેલા જ દેશની 13 કંપનીઓએ 20 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ એવી કંપનીઓ છે, જે એરોસ્પેસ બિઝનેસ સાથે સંકળાયેલી છે. આનો મતલબ સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં તેમની કમાણી વધુ કેટલી વધવાની છે.

ચંદ્રયાન-3એ સાઉથ પોલ પર સોફ્ટ લોન્ચિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે અને આવું કરનારો ભારત પહેલો દેશ છે. ચંદ્રયાન-3ની સાથે 20,000 કરોડ રૂપિયાની કમાણી કરનારી દેશની 13 કંપનીઓના શેરો શેરબજારમાં લિસ્ટેડ છે અને તેમની કંપનીઓના શેરના ભાવોમાં ઉછાળો આવવાને કારણે કમાણી થઇ છે.

બ્લુમબર્ગે જાહેર કરેલા આંકડા મુજબ, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટસથી માંડીને રોકેટના કમ્યુનિકેશન અને નેવિગેશનના ઉપયોગમા આવતા મેટલ ગિયર્સ સુધીના ડિવાઇસીઝનો પુરવઠો પુરો પાડનારી 13 કંપનીઓએ શેરબજારમાં આ સપ્તાહમાં તેમના માર્કેટ કેપમાં 2.5 બિલિયન ડોલરથી વધુ એટલે કે ભારતીય રૂપિયામાં 20,000 કરોડથી વધારેની કમાણી કરી છે.

સ્પેસ ક્રાફ્ટ સપ્લાયર્સમાં સૌથી વધારે ફાયદો ઇન્ડસ્ટ્રીયલ ગેસ કંપની Linde India Limitedને થયો છે. આ દરમિયાન આ કંપનીના શેરોના ભાવમાં 23 ટકાની તેજી જોવા મળી હતી. સેન્ટમ ઇલેકટ્રોનિક્સ, જેણે મૂન મિશન માટે મહત્ત્વપૂર્ણ મોડ્યૂલ અને સિસ્ટમ પુરી પાડી હતી તેના શેરમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રોવાઇડર જેના  ISRO પોતે પણ કસ્ટમર છે તેવી કંપની Avantel Ltdના શેરના ભાવમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

મુંબઈ સ્થિત વેલ્થમિલ્સ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડના સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે મૂન મિશન જેવા મહત્વના પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાથી આ ક્ષેત્રની કંપનીઓ માટે તકો ખુલી શકે છે. તેમણે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં વૈશ્વિક પ્રોજેક્ટનો ભાગ બની શકે છે અને તેમના ઉત્પાદનો અને સેવાઓની નિકાસ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.