બેંક લોકરમાં રાખેલા 18 લાખ રૂપિયા પર ઉધઇ લાગી ગઇ, શું ગ્રાહકને વળતર મળશે?

ઉત્તર પ્રદેશથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જે તમને કામ લાગી શકે છે. જો તમે લોકરમાં રોકડ રૂપિયા રાખ્યા હોય અને તમે જ્યારે રૂપિયા કાઢવા જાવ ત્યારે એ રૂપિયા પર ઉધઇ લાગી ગઇ હોય અને તમારા રૂપિયા નકામા થઇ જાય તો શું થાય? તો તમને એ માહિતી આપીશું કે તમને વળતર મળે કે નહીં. બેંકોના નિયમો શું છે?

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા અલકા પાઠકે પોતાની દીકરીના લગ્નમાં જરૂર પડશે એવી ધારણાએ ઓક્ટોબર 2022માં બેંક ઓફ બરોડાના બેંક લોકરમાં 18 લાખ રૂપિયા મુકી રાખ્યા હતા.પરંતુ જ્યારે અલકા પાઠકને  લોકર એગ્રીમેન્ટ રીન્યુ કરવા અને જાણકારી જમા કરવા માટે બેંકમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અલકાએ લોકર ખોલ્યુ તો તેના હોંશ ઉડી ગયા હતા. બધી નોટો રાખ થઇ ગઇ હતી, કારણકે ઉધઇએ ચલણી નોટ સાફ કરી નાંખી હતી.

બેંક ઓફ બરોડાના લોકર એગ્રીમેન્ટમાં એવો નિયમ છે કે લોકરના ઉપયોગ કરવાનું લાયસન્સ કાયદેસર હેતુઓ જેમ કે ઘરેણાં અથવા દસ્તાવેજો રાખવા માટે છે. પરંતુ રોકડા રૂપિયા કે કરન્સી સ્ટોરેજ માટે નથી.

બેંકની વેબસાઇટમાં જણાવ્યા મુજબ, ચોરી, ઘરફોડ ચોરી અથવા લૂંટ જેવા સંજોગોમાં લોકરને નુકશાન થાય તો બેંક જવાબદાર ગણાશે. એમાં કહેવામાં આવ્યું છે કે, હાલના સેફ ડિપોઝિટ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા ભાડા ચૂકવવા માટે બેંક જવાબદાર રહેશે. આ વળતર આગ, મકાન ધરાશાયી અથવા છેતરપિંડીના કિસ્સામાં પણ લાગુ પડે છે.

બેંક લોકરના આ તમામ નિયમો તમારે જાણવા જેવા છે જેથી તમે કોઇ ગેરમસજ હોય તો દુર થશે.

જો બેંકની બેદરકારી, લોકરની સામગ્રીની ચોરી, આગ કે કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો બેંકે ગ્રાહકને વળતર તરીકે લોકરનું 100 ગણું ભાડું ચૂકવવું પડશે. એટલે કે જો તમારા લોકરનું ભાડું 2 હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે તો વળતર 2 લાખ રૂપિયા થશે.

બેંક લોકરના ભાડાના 100 ગણા એ સાંભળીને મોટું લાગે, પરંતુ મોટા ભાગના કેસોમાં લોકરમાં જે સામાન રાખ્યો હોય તેના કરતા 100 ગણાં ભાડાંની રકમ ઓછી હોય છે, એવા સંજોગોમાં 2 વિકલ્પ હોય છે.

એક, કાં તો તમે લોકરને બદલે જ્વેલરીનો સીધો વીમો મેળવો છો અથવા તો કેટલીક બેંકો છે જે બેંક લોકરનો પણ વીમો કરાવે છે.આમ કરવાથી તમને ઓછું નુકસાન થશે.

એક્ટ ઓફ ગોડ અથવા કુદરતી આફતો જેમ કે ભૂંકપ, રેલના સંજોગામાં બેંક વળતર નહીં આપશે, પરંતુ બેંકોએ લોકરને સુરક્ષિત રાખવા માટે પુરતી વ્યવસ્થા કરવી પડશે.

લોકરમાં બેંકોએ CCTV રાખવા પડે છે. CCTVના ફુટેજ 180 દિવસ એટલે કે 6 મહિના સુધી ડિલીટ કરી શકાતા નથી.

એન્ટ્રી અને એક્ઝિટ દરવાજો પણ એક જ હોવો જોઇએ.

બેંકને ટર્મ ડિપોઝિટ લેવાનો અધિકાર છે, એટલે કે, તે ત્રણ વર્ષની એડવાન્સ ડિપોઝિટ લઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિ 3 વર્ષ સુધી ભાડું ચૂકવતું નથી, તો બેંક ટર્મ ડિપોઝિટ જપ્ત કરી શકે છે. લોકર પણ ખોલી શકે છે. પરંતુ આ માટે બેંકે તેના ગ્રાહકને નોટિસ, મેસેજ, ઈમેલ મોકલવો પડશે અને અખબારમાં જાહેર સૂચના પણ પ્રસિદ્ધ કરવી પડશે.

જો તમે લોકરનો લાંબા સમય સુધી ઉપયોગ કરતા નથી તો બેંક તમારું લોકર ઓપન કરી શકે છે, એનો પિરિયડ છે 7 વર્ષનો. એટલે તમારા લોકરનો વર્ષમાં એકવાર ઉપયોગ કરવો જોઇએ.

લોકર બે લોકો ભેગા થઇને પણ લઇ શકે છે.

લોકરમાં રાખેલા સામાનને જો ગ્રાહક કોઇ નુકશાન પહોંચાડે તો બેંક વળતર નહીં આપશે.

જો તમારી લોકરની ચાવી ગુમ થઇ જાય તો વેરિફિકેશન પ્રોસેસ અને કેટલોક ચાર્જ વસુલ કરીને તમે ફરી લોકર ઓપરેટ કરી શકો છો.

નોમિનેશન ફોર્મ ભરવું જરૂરી છે. નોમિનેશન ન હોય તો તમારા કાયદાકીય વારસદારને લોકરનો સામાન સોંપી દેવામાં આવશે.

તમે લોકરમાં તમારી મરજી મુજબનો સામાન મુકી શકતા નથી. માત્ર ઘરેણાં, દસ્તાવેજો, વીમા પોલીસી, બોન્ડ, પ્રોપર્ટીના દસ્તાવેજા કે જરૂરી સર્ટિફિકેટ રાખી શકો. બંદુક, પિસ્તોલ જેવી વસ્તુઓ ન રાખી શકો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.