'હે ભગવાન, તેં આ શું કર્યું...' વરરાજા ગાડીમાંથી ઉતરીને બગી પર ચઢવા જતો હતો, ત્યાં મોત...

બાગપતમાં ખુશીથી તરબોળ લગ્નની રાત થોડીવારમાં જ એવા આક્રંદથી ગુંજી ઉઠી કે આખો વિસ્તાર હચમચી ગયો. સરુરપુર ગામમાં, જ્યાં લગ્નમાં 'ચડત'ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, ઘરઆંગણે ફૂલોથી શણગારેલી બગ્ગી દરવાજા પર ઉભી હતી, અને લગ્નમાં જનારા જાનૈયાઓ ઢોલ નગારાના તાલ પર નાચતા હતા. પરંતુ ભાગ્યએ અણધાર્યો વળાંક લીધો, જેની કોઈએ કલ્પના પણ સુધ્ધાં કરી ન હતી. વરરાજા બનેલા સુબોધ, જેને એક ઝડપથી આવતી ટ્રકે ટક્કર મારી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. સુબોધના જમીન પર પછડાતાં જ ઢોલ વાગતા બંધ થઈ ગયા, શહેનાઈનો અવાજ બંધ થઈ ગયો, અને થોડીવાર પહેલા લગ્નમાં જે ઉત્સવનું વાતાવરણ હતું તે શોકમાં ફેરવાઈ ગયું.

બિનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના પિછૌકરા ગામના રહેવાસી સુબોધના લગ્ન સરુરપુરમાં કરવાના હતા. પરિવાર અને સંબંધીઓ ઉત્સાહ સાથે લગ્નની જાન સાંજે ગામમાં પહોંચી. પરિવારના સભ્યોના ચહેરા ખુશીથી ઝળહળી રહ્યા હતા, કન્યાના કુટુંબીજનો ઉત્સાહ છલકાઈ રહ્યો હતો અને વાતાવરણ શહેનાઈના અવાજથી ભરાઈ ગયું હતું. રાત્રે લગભગ 9:30 વાગ્યે, વરરાજાને 'ચડત' સમારંભ માટે બોલાવવામાં આવ્યો. દરવાજા પર ફૂલોથી શણગારેલી બગ્ગી ઉભી હતી, જ્યાં સુબોધ લગ્નની જાનને કન્યાના ઘરે લઈ જવાનો હતો. પરિવાર અને સંબંધીઓ વરરાજાને ઘેરીને ઉભા હતા, અને સ્ત્રીઓએ મંગળ ગીતો ગાવાનું શરુ કર્યું હતું. પરંતુ આ બધા ઉત્સાહ વચ્ચે, મૃત્યુ પણ એ જ રસ્તે આવી ગયું. જેવો સુબોધ પોતાની ગાડીમાંથી ઉતરીને બગ્ગી તરફ બે ડગલાં આગળ વધ્યો કે તરત જ પાછળથી એક ઝડપ ગતિમાં ટ્રક આવી અને તેને કચડીને આગળ નીકળી ગયો. કોઈ કઈ સમજે તે પહેલાં ટ્રક ડ્રાઈવર ઝડપથી વાહન લઈને ત્યાંથી ભાગી ગયો.

Groom-Truck Accident
newstak.in

વરરાજાને પછડાયેલો જોઈને, પરિવારના સભ્યો ચીસો પાડીને તેની તરફ દોડી ગયા. લગ્નની ખુશીઓ આઘાતમાં ફેરવાઈ ગયો. સ્ત્રીઓએ ચીસો પાડવા લાગી, અને બાળકો ડરથી રડવા લાગ્યા. જે ઘરમાં વરમાળાની તૈયાર થઈ રહી હતી ત્યાં અચાનક મોતની કાલિમા છવાઈ ગઈ. કન્યાનો પરિવાર વારંવાર એક વાત કહેતો રહ્યો, 'હે ભગવાન, તેં આ શું કર્યું? હજુ તો લગ્ન થવાના બાકી હતા... આ શું થઇ ગયું?' થોડીવાર પહેલા જે ગામમાં ઢોલ નગારાના અવાજથી છવાઈ ગયું હતું ત્યાં હવે શાંતિ અને ચીસો જ બાકી રહી ગઈ હતી. લગ્નની વિધિઓ વચ્ચે જ અટકી ગઈ. કન્યાનો પરિવાર પણ શોકમાં ડૂબી ગયો. કન્યાને અકસ્માતની જાણ થતાં તે બેહોશ થઈને પડી ગઈ. પરિવાર તાત્કાલિક સુબોધને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કર્યો. CMSના ઇન્ચાર્જ ડૉ. રાજ સિંહે જણાવ્યું કે, મૃતદેહ લાવવામાં આવ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે, સુબોધના લગ્ન હતા અને લગ્નમાં 'ચડત' પહેલા જ આ અકસ્માત થયો હતો.

અકસ્માત પછી, ટ્રક ડ્રાઈવર વાહન લઈને ભાગી ગયો. પોલીસે નજીકના તમામ રસ્તાઓ પર તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજની સમીક્ષા કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે. એવી શંકા છે કે ટ્રક ડ્રાઈવર નશામાં હશે અથવા તેણે વધુ ઝડપના કારણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હશે. પોલીસ સ્ટેશને જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ફરાર ડ્રાઈવરની શોધ ચાલી રહી છે.

જે ઘરમાં હલ્દી, મહેંદી અને લાગણીના રંગો ભરેલા હતા તે ઘરમાં રાતોરાત માતમ છવાઈ ગયો હતો. ઘરની સ્ત્રીઓ વારંવાર રડતી અને પૂછતી સંભળાઈ હતી કે, 'શું વરરાજાના લગ્નમાં 'ચડત' પણ મૃત્યુમાં ફેરવાઈ શકે છે?' વડીલોએ કહ્યું કે, તેમણે ગામમાં આવી દુર્ઘટના ક્યારેય જોઈ નથી. કન્યાના ઘરમાં પણ શોક છે. સંબંધીઓ અને પડોશીઓ સતત પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દરેકના ચહેરા પર આઘાત સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.