ભારતનો આ 31 વર્ષનો છોકરો સૌથી યુવા અબજપતિ બન્યો, કમાણી 21 હજાર કરોડ

દેશના સૌથી ધનિક લોકોની યાદી બહાર પડી ગઈ છે. મુકેશ અંબાણી ફરી એકવાર M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં નંબર વન ધનિક વ્યક્તિ બન્યા છે, જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને રહ્યા છે. ઘણી નવી એન્ટ્રીઓએ પણ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અબજોપતિ ક્લબમાં જોડાયા છે, તો જ્યારે AIએ પણ પરપ્લેક્સિટી AIના સહ-સ્થાપક અરવિંદ શ્રીનિવાસના રૂપમાં દેશને સૌથી નાના અબજોપતિ આપીને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે, જેની ઉમર હજુ 31 વર્ષની છે.

Aravind Srinivas
hindi.moneycontrol.com

ચેન્નાઈના અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994ના રોજ થયો હતો. IIT મદ્રાસમાંથી B.Tech અને M.Tech પૂર્ણ કર્યા પછી, તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં PHDની ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન, અરવિંદે OpenAI અને Google Brain જેવી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે 2022માં Perplexity AI નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું, અને તેમાં તેને એટલી સફળતા મળી કે, અરવિંદ શ્રીનિવાસ સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાઈ ગયો અને સૌથી યુવા અબજોપતિ બન્યો.

Aravind Srinivas
ebnw.net

શ્રીનિવાસે ફેસબુકના ભૂતપૂર્વ AI વૈજ્ઞાનિક ડેનિસ યારાટ્સ અને ડેટાબ્રિક્સના સહ-સ્થાપક એન્ડી કોનવિન્સ્કી સાથે મળીને આ કંપનીની સ્થાપના કરી હતી. 2023થી, તેઓ એક એન્જલ રોકાણકારની ભૂમિકામાં પણ રહ્યા છે, જે નવી AI તકનીકો પર કામ કરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપે છે. તેમના પોર્ટફોલિયોમાં ElevenLabs જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટેક્સ્ટ-ટુ-સ્પીચ ટૂલ્સમાં સ્પેશિયાલિટી ધરાવે છે.

Aravind Srinivas
msn.com

Perplexity AIAI-સંચાલિત સર્ચ એન્જિન છે અને Google અને ChatGPT જેવી કંપનીઓનો હરીફ છે. અહેવાલો સૂચવે છે કે, જુલાઈ 2025 સુધીમાં તેનું મૂલ્યાંકન રૂ. 1.15 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. તેને Amazon, Nvidia અને SoftBank તરફથી ભંડોળ મળ્યું છે. કેલિફોર્નિયામાં મુખ્ય મથક ધરાવતી આ કંપની સતત આગળ વધી રહી છે.

અરવિંદ શ્રીનિવાસની ધનવાન લોકોની યાદીમાં પ્રવેશ હકીકતમાં ડીપ-ટેક અને AI-સંચાલિત નવીનતામાં ભારતની ઝડપી પ્રગતિ દર્શાવે છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ હોવાનો અંદાજ છે. આ યાદીમાં અરવિંદ શ્રીનિવાસ એકમાત્ર યુવાન વ્યક્તિ નથી. ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23) પણ સામેલ છે.

Aravind Srinivas
karobarsandesh.com

દેશના અમીરોની યાદીમાં 350થી વધુ અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ રૂ. 167 લાખ કરોડ હોવાનો અંદાજ બતાવવામાં આવ્યો છે, જે ગયા વર્ષ કરતા 5 ટકા વધુ છે. અબજોપતિઓની આ સંયુક્ત નેટવર્થ ભારતના GDPના લગભગ અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જણાવી દઈએ કે, 2025ના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી પરિવાર 9.55 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નંબર-1 પર છે, ગૌતમ અદાણી પરિવાર 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે, જ્યારે રોશની નદાર મલ્હોત્રા અને પરિવાર 2.84 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.