ભારતનો આ 31 વર્ષનો છોકરો સૌથી યુવા અબજપતિ બન્યો, કમાણી 21 હજાર કરોડ

દેશના સૌથી ધનિક લોકોની યાદી બહાર પડી ગઈ છે. મુકેશ અંબાણી ફરી એકવાર M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં નંબર વન ધનિક વ્યક્તિ બન્યા છે, જ્યારે ગૌતમ અદાણી બીજા સ્થાને રહ્યા છે. ઘણી નવી એન્ટ્રીઓએ પણ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અબજોપતિ ક્લબમાં જોડાયા છે, તો જ્યારે AIએ પણ પરપ્લેક્સિટી AIના સહ-સ્થાપક અરવિંદ શ્રીનિવાસના રૂપમાં દેશને સૌથી નાના અબજોપતિ આપીને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે, જેની ઉમર હજુ 31 વર્ષની છે.

Aravind Srinivas
hindi.moneycontrol.com

ચેન્નાઈના અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994ના રોજ થયો હતો. IIT મદ્રાસમાંથી B.Tech અને M.Tech પૂર્ણ કર્યા પછી, તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં PHDની ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન, અરવિંદે OpenAI અને Google Brain જેવી કંપનીઓમાં રિસર્ચ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે 2022માં Perplexity AI નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું, અને તેમાં તેને એટલી સફળતા મળી કે, અરવિંદ શ્રીનિવાસ સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાઈ ગયો અને સૌથી યુવા અબજોપતિ બન્યો.

Aravind Srinivas
ebnw.net

શ્રીનિવાસે ફેસબુકના ભૂતપૂર્વ AI વૈજ્ઞાનિક ડેનિસ યારાટ્સ અને ડેટાબ્રિક્સના સહ-સ્થાપક એન્ડી કોનવિન્સ્કી સાથે મળીને આ કંપનીની સ્થાપના કરી હતી. 2023થી, તેઓ એક એન્જલ રોકાણકારની ભૂમિકામાં પણ રહ્યા છે, જે નવી AI તકનીકો પર કામ કરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપે છે. તેમના પોર્ટફોલિયોમાં ElevenLabs જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જે ટેક્સ્ટ-ટુ-સ્પીચ ટૂલ્સમાં સ્પેશિયાલિટી ધરાવે છે.

Aravind Srinivas
msn.com

Perplexity AIAI-સંચાલિત સર્ચ એન્જિન છે અને Google અને ChatGPT જેવી કંપનીઓનો હરીફ છે. અહેવાલો સૂચવે છે કે, જુલાઈ 2025 સુધીમાં તેનું મૂલ્યાંકન રૂ. 1.15 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. તેને Amazon, Nvidia અને SoftBank તરફથી ભંડોળ મળ્યું છે. કેલિફોર્નિયામાં મુખ્ય મથક ધરાવતી આ કંપની સતત આગળ વધી રહી છે.

અરવિંદ શ્રીનિવાસની ધનવાન લોકોની યાદીમાં પ્રવેશ હકીકતમાં ડીપ-ટેક અને AI-સંચાલિત નવીનતામાં ભારતની ઝડપી પ્રગતિ દર્શાવે છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ હોવાનો અંદાજ છે. આ યાદીમાં અરવિંદ શ્રીનિવાસ એકમાત્ર યુવાન વ્યક્તિ નથી. ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23) પણ સામેલ છે.

Aravind Srinivas
karobarsandesh.com

દેશના અમીરોની યાદીમાં 350થી વધુ અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ રૂ. 167 લાખ કરોડ હોવાનો અંદાજ બતાવવામાં આવ્યો છે, જે ગયા વર્ષ કરતા 5 ટકા વધુ છે. અબજોપતિઓની આ સંયુક્ત નેટવર્થ ભારતના GDPના લગભગ અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જણાવી દઈએ કે, 2025ના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી પરિવાર 9.55 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નંબર-1 પર છે, ગૌતમ અદાણી પરિવાર 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે, જ્યારે રોશની નદાર મલ્હોત્રા અને પરિવાર 2.84 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.

About The Author

Related Posts

Top News

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.