અદાણીના શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 20 દિવસમાં 75 ટકા ડાઉન

અદાણી ગ્રુપની કંપનીના શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા છે. છેલ્લાં 20 જ  દિવસમાં ગ્રુપ કંપનીના શેરોમાં 75 ટકા જેટલો મોટો કડાકો બોલી ગયો છે.

અદાણી ગ્રુપની 4 કંપનીઓના રોકાણકારોની હાલત અત્યારે એવી થઉ ગઇ છે કે કાપો તો લોહીના નિકળે. આ શેરોમાં લાંબા સમયથી ભાવમાં ધબડકો વળી ગયો છે. રોજ પડેને લોઅર સર્કીટ પર લોઅર સર્કીટ લાગી રહી છે જેને કારણે રોકાણકારોને શેર વેચવાનો મોકો પણ મળતો નથી. ગૌતમ અદાણી માટે પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું મુશ્કેલ પડી રહ્યું છે. દરેક સેશનમાં માર્કેટ કેપમાં ગાબડાં પડી રહ્યા છે અને રોકાણકારોની મૂડીમાં મોટું ધોવાણ થઇ રહ્યું છે. માત્ર 20 જ દિવસમાં અદાણી ગ્રુપના શેરોમાં 75 ટકા નિકળી ગયા છે.

અદાણી પાવરના શેરમાં લોઅર સર્કિટ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે આ શેર 140.90 રૂપિયા પર આવી ગયો છે. 24 જાન્યુઆરી, 2023ન દિવસે શેરનો ભાવ રૂ.275ની આસપાસ હતો તે જ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર પોતાનો અહેવાલ બહાર પાડ્યો હતો. ત્યારથી આ સ્ટૉકમાં લોઅર સર્કિટ શરૂ થઈ ગઈ છે. આ રીતે આ શેરની કિંમત માત્ર 20 દિવસમાં અડધી થઈ ગઈ છે. આ સ્ટોક કેટલો ઘટશે તે કહેવું મુશ્કેલ છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરને પણ લાંબા સમયથી કોઇ બાયર નથી આવતું. આ સ્ટૉકમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી છે. 25 જાન્યુઆરીએ આ શેર રૂ. 2800ની નજીક હતો. હિંડનબર્ગના અહેવાલ પછી તેમાં જબરદસ્ત ઘટાડો થયો. હવે આ શેરની કિંમત ઘટીને રૂ.1017 થઈ ગઈ છે. આ સ્ટૉકમાં સતત નીચલી સર્કીટ લાગી રહી છે.

અદાણી ગ્રીન એનર્જિના સ્ટોકમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શેર 5 ટકાની નીચી સર્કિટ સાથે રૂ. 620.75 પર આવી ગયો છે. 25 જાન્યુઆરીએ આ શેરની કિંમત 1900 રૂપિયાની આસપાસ હતી. ત્યારથી તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ શેર ઘટીને 620 રૂપિયા પર આવી ગયો છે.

અદાણી ટોટલના શેરમાં પણ નીચલી સર્કિટ અટકવાનું નામ નથી લઈ રહી. 25 જાન્યુઆરીએ શેર રૂ. 3,900ની નજીક હતો. ત્યારપછી આ શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટીને આ શેર રૂ.1078 પર આવી ગયો છે. આ રીતે આ શેરની કિંમત 20 દિવસમાં 75 ટકા ઘટી ગઈ છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.