શું થશે મુકેશભાઇના ચીનમાં બનતા Jiobookનું ,મોદી સરકારે લેપટોપની આયાત બેન કરી છે

JioBook લેપટોપની વાયરલ થિયરી દાવો કરે છે કે મોદી સરકારે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ ખોટું છે કારણ કે JioBook લેપટોપ ચીનમાં બનેલું છે. આનાથી અંબાણીને ફાયદો નહીં થાય.

JioBookને લઈને અનેક પ્રકારની થિયરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક થિયરી દાવો કરી રહી છે કે મુકેશ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે મોદી સરકારે JioBookને ફાયદો પહોંચાડવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે જો લેપટોપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો તેનો સીધો ફાયદો મુકેશ અંબાણીને મળશે.

રિલાયન્સે હાલમાં જ JioBook લોન્ચ કર્યું છે. Jioના ટેગના ઉમેરા સાથે, ઘણા લોકો તેને મેડ-ઇન-ઇન્ડિયા લેપટોપ સમજવાની ભૂલ કરે છે. પરંતુ,આ લેપટોપનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં કરવામાં આવ્યું છે. આ સિવાય JioBookનું વેચાણ પણ રિલાયન્સ જિયો દ્વારા નહીં પરંતુ રિલાયન્સ રિટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

3 ઓગસ્ટે, ભારત સરકારે લેપટોપ, ટેબલેટ અને ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. હવેથી કંપનીઓએ લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને ટેબલેટ જેવા ઉપકરણોની આયાત કરવા માટે લાયસન્સ મેળવવું પડશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં આવા ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.કેટલાંક લોકોનો દાવો છે કે સરકારના આ નિર્ણયથી મુકેશ અંબાણીને ફાયદો થશે.

પરંતુ આ દાવાઓમાં બિલકુલ સત્યતા નથી. કારણ કે Jiobook લેપટોપ દેશમાં બની રહ્યું નથી. વાસ્તવમાં, JioBook લેપટોપનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. એમેઝોન પર વર્તમાન ઉત્પાદન વિગતો અનુસાર, JioBook લેપટોપ ચીનની હુનાન ગ્રેટવોલ કોમ્પ્યુટર સિસ્ટમ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે કે એ મેડ ઇન ચાઇના પ્રોડક્ટ છે. આવી સ્થિતિમાં, લેપટોપ પ્રતિબંધથી અંબાણીને ફાયદો થવાને બદલે નુકસાન થશે, કારણ કે JioBookના મોટા પાયે ઉત્પાદનનો ઓર્ડર કંપની દ્વારા આપવામાં આવ્યો હશે.

લેપટોપ પ્રતિબંધની અસર સેમસંગ, એચપી, લેનોવો કંપનીઓ તેમજ Jioને થશે. આવી સ્થિતિમાં, એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે સરકારે Jio ને ફાયદો પહોંચાડવા માટે લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. હાલમાં કેન્દ્ર સરકારે લેપટોપ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આ કંપનીઓએ ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાના રહેશે. કારણ કે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં લેપટોપ આયાત કરવાનો નિર્ણય લાગુ કરવામાં આવશે. ઉપરાંત, આ ત્રણ મહિના દરમિયાન લેપટોપના સપ્લાયને અસર થશે નહીં. આવી સ્થિતિમાં લેપટોપની કિંમતમાં વધારો થવાની શક્યતા નથી.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.