જો તમે આ જગ્યાએ રોકાણ કરી રહ્યા હોવ તો જાણી લેજો, તમને 40 ટકા સુધી ટેક્સ ભરવો પડશે

ભારતીય રોકાણકારો વધુ સારા વળતરની શોધમાં US શેરબજાર તરફ વધુને વધુ વળ્યા છે. ઘણા ભારતીય રોકાણકારો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) એકાઉન્ટ્સ, ગ્લોબલ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ફિનટેક એપ્સ દ્વારા US શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ રોકાણો પર એવો ટેક્સ લાગી શકે છે, જેના વિશે તેમણે ભાગ્યે જ સાંભળ્યું હશે. આ ટેક્સને US એસ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે.

હેલિઓસ કેપિટલના અનુભવી ફંડ મેનેજર અને સ્થાપક સમીર અરોરાએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો રોકાણકારો US શેર સીધા પોતાના નામે રાખે છે અને મૃત્યુ પામે છે, તો તેમના વારસદારોએ આ સંપત્તિઓ પર 40 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.

Invest US Stocks
navbharattimes.indiatimes.com

સેન્સેક્સ અને નિફ્ટીએ આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોને માત્ર 4.5 ટકા જેટલું ખુબ ઓછું વળતર આપ્યું છે, જ્યારે US S&P 500 ઇન્ડેક્સ આ સમયગાળા દરમિયાન 15 ટકાથી વધુ વધ્યો છે. વળતરના આ તફાવતને કારણે ઘણા ભારતીય રોકાણકારો US બજાર તરફ ખેંચાયા છે, ખાસ કરીને HNIs (હાઇ નેટવર્થ વ્યક્તિઓ) અને PMS ગ્રાહકો.

જોકે, મોટાભાગના રોકાણકારો એ હકીકતને અવગણે છે કે, USમાં વિદેશી રોકાણકારો માટે US એસ્ટેટ ટેક્સ મુક્તિ મર્યાદા માત્ર 60,000 ડૉલર (આશરે રૂ. 50 લાખ) છે. આનો અર્થ એ થયો કે, જો કોઈ ભારતીય રોકાણકારે US શેરોમાં આ રકમ કરતાં વધુ રોકાણ કર્યું હોય, તો તેમના વારસદારોએ તે પ્રાપ્ત કરતા પહેલા US સરકારને ખુબ ભારે કર ચૂકવવો પડી શકે છે.

US એસ્ટેટ ટેક્સને વારસાગત કર તરીકે ગણી શકાય. આ કાયદો જણાવે છે કે, જો કોઈ બિન-US નાગરિક USમાં સંપત્તિ ધરાવે છે, તો US સરકાર તેમના મૃત્યુ પછી તેમના વારસદારોને ટ્રાન્સફર થાય તે પહેલાં તે સંપત્તિ પર કર વસૂલ કરી શકે છે. એસ્ટેટની વ્યાખ્યામાં શેરોમાં કરેલા રોકાણનો પણ સમાવેશ થાય છે.

Invest US Stocks
navbharattimes.indiatimes.com

US સિવાયના રોકાણકારો માટે મુક્તિ મર્યાદા: 60,000 ડૉલર (આશરે રૂ. 50 લાખ)

કર દર: 40 ટકા સુધી-આ નિયમ ત્યારે પણ લાગુ પડે છે કે જ્યારે રોકાણકાર ભારતમાં રહેતો હોય, ભારતીય બ્રોકર દ્વારા રોકાણ કરતો હોય, અથવા PMS એકાઉન્ટ દ્વારા સીધા શેર ખરીદતો હોય.

મોટાભાગના ભારતીય રોકાણકારો US એસ્ટેટ ટેક્સનું જોખમ અવગણતા હોય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેમને તેના વિષે કોઈ માહિતી હોતી નથી. આ જોખમ ખાસ કરીને નીચે આપેલા રોકાણકારો માટે ખુબ વધુ હોય છે:-

ગ્લોબલ ટ્રેડિંગ એપ્સનો ઉપયોગ કરીને US સ્ટોક ખરીદતા રિટેલ રોકાણકારો

PMS પોર્ટફોલિયો જે US સ્ટોકમાં સીધું રોકાણ કરે છે

HNIs જે US સ્ટોકમાં મોટો હિસ્સો ધરાવે છે

ફેમિલી ઓફિસો જે પૂલ્ડ સ્ટ્રક્ચરની બહાર સીધા US સ્ટોક ખરીદે છે.

Invest US Stocks
hindi.financialexpress.com

સૌથી અગત્યનું, ભારત અને US વચ્ચે કોઈ 'એસ્ટેટ ટેક્સ સંધિ' નથી. આનો અર્થ એ છે કે, ભારતીય રોકાણકારોએ ફક્ત 60,000 ડૉલરની મુક્તિ મર્યાદા સુધી સંતુષ્ટ રહેવું જોઈએ, અને આ મર્યાદાથી વધુની સંપત્તિઓ કરને પાત્ર હોઈ શકે છે.

ભારતીય રોકાણકારો માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જે તેમને US એસ્ટેટ ટેક્સને આધીન થયા વિના US સ્ટોકમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. મુખ્ય વિકલ્પો નીચે પ્રમાણે શામેલ છે:-

ઓવરસીઝ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFs: આયર્લેન્ડ અથવા લક્ઝમબર્ગમાં નોંધાયેલા ભંડોળમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ છે. આ ભંડોળ US સ્ટોક્સમાં રોકાણ કરે છે પરંતુ US એસ્ટેટ ટેક્સને આધીન નથી, કારણ કે તેમને US કાયદા હેઠળ US એસેટ ગણવામાં આવતા નથી.

Invest US Stocks
hindi.moneycontrol.com

GIFT સિટી ઓફશોર ફંડ્સ: ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં સ્થાપિત પૂલ્ડ ફંડ સ્ટ્રક્ચર દ્વારા રોકાણ કરવાથી શેર સીધા તમારા નામે રાખવામાં આવતા અટકાવશે, એટલે તમારો એસ્ટેટ ટેક્સથી બચાવ થશે.

કોર્પોરેટ અને ટ્રસ્ટ સ્ટ્રક્ચર્સ: HNIs અને ફેમિલી ઓફિસો ઘણીવાર બિન-US કંપની અથવા વિદેશી ટ્રસ્ટનો આશરો લે છે. આનાથી શેરની કાનૂની માલિકી વ્યક્તિથી નીકળીને એક અન્ય માળખામાં બદલાઈ જાય છે.

જીવન વીમા કવર: જો કોઈ રોકાણકાર તેમના રોકાણ માળખામાં ફેરફાર કરવા માંગતો નથી, તો તેઓ અપેક્ષિત એસ્ટેટ ટેક્સના બોજને આવરી લેવા માટે જીવન વીમા પૉલિસી લઈ શકે છે. આનાથી વારસદારોને કર ચૂકવવા માટે તરત જ રોકડ ઉપલબ્ધ થઇ જાય છે.

Invest US Stocks
economictimes.indiatimes.com

સાવધાની પણ જરૂરી છે: જો કે, આ બધા વિકલ્પો રોકાણકારોને US એસ્ટેટ ટેક્સથી બચવામાં મદદ તો કરી શકે છે, પરંતુ તેની સાથે અનેક કાનૂની અને પાલન કરવાની જવાબદારીઓ જોડાયેલી હોય છે. આમાં આ બધું શામેલ હોય છે:-

ભારતના FEMA અને RBI નિયમો, US ટ્રસ્ટ, ટેક્સ અને રિપોર્ટિંગ નિયમો, ડબલ ટેક્સેશન અને ડિસ્ક્લોઝર ધોરણો.

આ જ કારણ છે કે, નિષ્ણાતો ભલામણ કરે છે કે, રોકાણકારો કોઈપણ માળખું અપનાવતા પહેલા વ્યાવસાયિક કાનૂની અને કર અંગે માર્ગદર્શન જરૂર મેળવે.

નોંધ: તમારે શેરબજારમાં કોઈપણ નાણાકીય રોકાણ કરવાનું નક્કી કરતા પહેલા, હંમેશા તમારા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

About The Author

Related Posts

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.