બમણી જંત્રી ગુજરાતના વિકાસ માળખાને તોડી નાંખશે,CMને આવેદન અપાશે: ક્રેડાઇ

ગુજરાત સરકારે 12 વર્ષ પછી જંત્રીના ભાવમાં વધારો કર્યો છે અને તે પણ સીધો બમણો. સરકારના આ નિર્ણયથી રાજ્યના ડેવલપર્સમાં નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે શનિવારે એકાએક જંત્રી બમણી કરવાનો નિર્ણય જાહેર કરતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે. Confederation of Real Estate Developers' Associations of India (CREDAI), ગુજરાતના પ્રમુખે કહ્યું છે કે ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાતના વિકાસ માળખાને તોડી પાડશે. આ બાબતે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે. ક્રેડાઇના પ્રમુખનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે ગ્રાહક અને ડેવલપર્સ વચ્ચે મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. સરકારે આમાં થોડી છુટછાટ આપવી જોઇએ.

CREDAI, ગુજરાત અને Gujarat Institute of Housing and Estate Developers (GIHAD)ના પ્રમુખ તેજસ જોષીએ કહ્યુ કે, સરકારના આ નિર્ણયનો ક્રેડાઇ વિરોધ નથી કરતું, જંત્રી જે રીતે બમણી કરી નાંખવામાં આવી છે તેમાં કોઇ તર્ક દેખાતો નથી. ઘણી ટી.પી સ્કીમમાં મકાનની કિંમત બમણી થઇ જશે. આને કારણે ગુજરાતનું ગ્રોથ માળખું તુટી જશે. જોશીએ કહ્યુ કે,  ટ્રેડ FSI, પરચેઝ FSI અને N.A પ્રીમિયમમાં મોટી અસર ઉભી થશે.તેજસ જોષીએ કહ્યુ કે બિલ્ડર્સ સાથે ચર્ચા કરીને સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.

CREDAI, ગુજરાતના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું કે,12 વર્ષથી જંત્રી વધી નથી એટલે જંત્રી તો ચોક્કસ વધવી જ જોઇએ, પણ આમ એકાએક જંત્રી જાહેર કરી દેવી યોગ્ય નથી. સાયન્ટિફિકલ સરવે કર્યો હોય, જાહેરનામું બહાર પાડ્યું હોય, આ ફિલ્ડના લોકોનો અભિપ્રાય લેવાયો હોય તો વાત બરાબર છે. આ તો સીધી અચાનક બમણી જંત્રીની જાહેરાત જ કરી દેવામાં આવી. બમણો ભાવ વધારો યોગ્ય નથી. કોઇક જગ્યાએ 15થી 20 કે કોઇક જગ્યાએ 50 ટકા કે કોઇક જગ્યાએ 3 ગણો ભાવ વધારો કરવાની જરૂરત હતી. આ તો બધા માટે જ ડબલ.

CREDAI, ગુજરાતના સેક્રેટરી વિરલ શાહે કહ્યું હતું કે, સરકાર અમલીકરણ કરવામાં થોડો સમય આપે તેવી અમારી વિનંતી છે. શાહે કહ્યું કે જે ડીલ ચાલે છે અથવા જે વ્યવહાર પુરા થવાના છે તેમાં મુશ્કેલી ઉભી થશે, કારણકે પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે. ભાવ વધી જશે અને પ્રજાના માથે મોટો બોઝ આવશે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.