આ કંપનીમાં ગૌતમ અદાણી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે

પાવર ટ્રેડિંગ કંપની PTC India ગયા એક વર્ષમાં ભારે દબાણથી પસાર થઇ રહી છે.એવામાં હવે ગૌતમ અદાણીની કંપનીએ તેમાં હિસ્સેદારી ખરીદવા માટે રસ દાખવ્યો છે. અદાણીની સાથે જ તેને ખરીદવા માટે કેટલીક કંપનીઓ પણ વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની બોલી આ મહિનાના અંત સુધીમાં થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ તેને ખરીદવા માટે એક મોટો દાવ લગાવી શકે છે.

રાજ્યના સ્વામીત્વ વાળી સંસ્થાઓ NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની PTC Indiaની પ્રમોટર્સ કંપનીઓ છે અને પ્રત્યેક 4 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કંપનીઓ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી નથી આવી.

જ્યારે, PTC Indiaના પ્રતિનિધિએ પ્રમોટરોની હિસ્સેદારી વેચવાની એવી કોઇપણ જવાબદારી નથી આપવામાં આવી. જો અદાણી ગ્રુપ આ કંપનીમાં હિસ્સેદારી ખરીદે છે તો ભારતમાં અદાણી સમૂહની એનર્જી સેક્ટરમાં અને મજબૂતી હશે. અદાણી ગ્રૂપ કોલ માઇનિંગ અને ટ્રેડિંગ બિઝનેસ અને એનર્જી સેક્ટરમાં દબદબો ધરાવે છે અને કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના કારોબારમાં પણ સક્રિય છે.

અદાણી ગ્રુપે તે વિશેના મેલને લઇને જાણકારી નથી આપી. જોકે, કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે, ગ્રુપ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે સિવાય, પ્રમોટર્સ કંપનીઓના પ્રવક્તા તરફથી પણ કોઇ ટિપ્પણી નથી કરવામાં આવી.

PTC Indiaના શેર 12 મહિનાથી 23.1 ટકા તુટી ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેનું માર્કેટ વેલ્યુ 301 મિલિયન ડોલરની નજીક છે. PTC Indiaને 1999માં એક સાર્વજનિક પ્રાઇવેટ ભાગીદારીના રૂપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેને પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં વે છે. વેબસાઇટ અનુસાર, 2001માં ઉર્જાનો વેપાર શરૂ કર્યો હતો. તેની હિસ્સેદારી ભારતીય બજારમાં સૌથી મોટી છે અને તેના ગ્રાહકોમાં ભારતના દરેક રાજ્ય ઉપયોગિતાઓ સાથે સાથે અમુક પડોસી દેશોમાં પણ શામેલ છે.

ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવામાં ખૂબ જ એગ્રેસિવ નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ઘણી બધી કંપનીઓ જોડી રહ્યા છે અને અલગ અલગ સેક્ટરમાં પગ પેંસારો કરી રહ્યા છે.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.