આ કંપનીમાં ગૌતમ અદાણી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે

પાવર ટ્રેડિંગ કંપની PTC India ગયા એક વર્ષમાં ભારે દબાણથી પસાર થઇ રહી છે.એવામાં હવે ગૌતમ અદાણીની કંપનીએ તેમાં હિસ્સેદારી ખરીદવા માટે રસ દાખવ્યો છે. અદાણીની સાથે જ તેને ખરીદવા માટે કેટલીક કંપનીઓ પણ વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની બોલી આ મહિનાના અંત સુધીમાં થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ તેને ખરીદવા માટે એક મોટો દાવ લગાવી શકે છે.

રાજ્યના સ્વામીત્વ વાળી સંસ્થાઓ NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની PTC Indiaની પ્રમોટર્સ કંપનીઓ છે અને પ્રત્યેક 4 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કંપનીઓ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી નથી આવી.

જ્યારે, PTC Indiaના પ્રતિનિધિએ પ્રમોટરોની હિસ્સેદારી વેચવાની એવી કોઇપણ જવાબદારી નથી આપવામાં આવી. જો અદાણી ગ્રુપ આ કંપનીમાં હિસ્સેદારી ખરીદે છે તો ભારતમાં અદાણી સમૂહની એનર્જી સેક્ટરમાં અને મજબૂતી હશે. અદાણી ગ્રૂપ કોલ માઇનિંગ અને ટ્રેડિંગ બિઝનેસ અને એનર્જી સેક્ટરમાં દબદબો ધરાવે છે અને કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના કારોબારમાં પણ સક્રિય છે.

અદાણી ગ્રુપે તે વિશેના મેલને લઇને જાણકારી નથી આપી. જોકે, કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે, ગ્રુપ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે સિવાય, પ્રમોટર્સ કંપનીઓના પ્રવક્તા તરફથી પણ કોઇ ટિપ્પણી નથી કરવામાં આવી.

PTC Indiaના શેર 12 મહિનાથી 23.1 ટકા તુટી ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેનું માર્કેટ વેલ્યુ 301 મિલિયન ડોલરની નજીક છે. PTC Indiaને 1999માં એક સાર્વજનિક પ્રાઇવેટ ભાગીદારીના રૂપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેને પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં વે છે. વેબસાઇટ અનુસાર, 2001માં ઉર્જાનો વેપાર શરૂ કર્યો હતો. તેની હિસ્સેદારી ભારતીય બજારમાં સૌથી મોટી છે અને તેના ગ્રાહકોમાં ભારતના દરેક રાજ્ય ઉપયોગિતાઓ સાથે સાથે અમુક પડોસી દેશોમાં પણ શામેલ છે.

ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવામાં ખૂબ જ એગ્રેસિવ નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ઘણી બધી કંપનીઓ જોડી રહ્યા છે અને અલગ અલગ સેક્ટરમાં પગ પેંસારો કરી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.