'ભવિષ્યમાં સાથે કામ કરવા ઉત્સાહિત છું', આ વ્યક્તિ સાથે મુલાકાત બાદ બોલ્યા અદાણી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફેમસ કેબ બુકિંગ એપ કંપની Uberના CEO દારા ખોસરોશાહી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ભવિષ્યમાં Uber સાથે મળીને કામ કરવાના સંકેત આપતા. Uberના CEO દારાખોસરોશાહી હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન ગૌતમ અદાણી સાથે તેમની મુલાકાત થઈ છે. ગૌતમ અદાણીએ X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરીને Uberના CEO સાથે મુલાકાતની જાણકારી શેર કરી. તેમણે જણાવ્યું કે, CEO દારા ખોસરોશાહી સાથે તેમની રસપ્રદ વાત થઈ.

ભારતમાં Uberના વિસ્તારને લઈને તેમનો નજરિયો અને ખાસ કરીને ભારતીય ડ્રાઇવરોના જીવનને સુધારવા અને તેમની ગરિમા બનાવી રાખવાને લઈને તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયક છે. દારા ખોસરોશાહી અને તેમની ટીમ સાથે ભવિષ્યમાં સહયોગ માટે ઉત્સાહિત છું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને Uberના CEO વચ્ચે મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે દેશનું ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી સેક્ટર તેજીથી ફળી-ફૂલી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હિકલના ઉપયોગ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

અદાણી ગ્રુપ દેશના ગ્રીન ટ્રાન્ઝિશન માટે આગામી 10 વર્ષમાં લગભગ 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને વર્ષ 2027 સુધી સોલર મેન્યૂફેક્ચરિંગ કેપિસિટીને 10GW સુધી વધારવાનો પણ પ્લાન છે. ગત ડિસેમ્બરમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ભારત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગ્લોબલ લીડર બનવાની ખૂબ નજીક છે અને અદાણી ગ્રુપ આ ક્રાંતિમાં સૌથી આગળ રહેશે. ડિસેમ્બરમાં અદાણી ગ્રીન એનર્જીએ જાહેરાત કરી હતી કે કંપનીના પ્રમોટર્સ પ્રેફરેન્શિયલ રૂપે 1,480.75 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ પર વોરંટ ઇશ્યૂ કરીને કંપનીમાં 9,350 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, 'આ રોકાણ દેશના ક્લીન એનર્જીના સપનાંને હકીકતમાં બદલાવ તરફ અદાણી પરિવારની પ્રતિબદ્ધતા દેખાડે જ છે. સાથે જ ઉચિત એનર્જી ટ્રાન્ઝિશન તરફ પ્રતિબદ્ધતાને પણ દેખાડે છે. જેમાં પારંપારિક પાવર સોર્સિસના ઉપયોગને ઓછો કરવા સાથે જ ગ્રોથ અને ડેવલપમેન્ટના પ્લાનને આગળ વધારવા માટે ગ્રીન અને સારા વિકલ્પો પર પણ તેજીથી કામ કરવામાં આવશે. Uber ભારત સહિત દુનિયાભરમાં પોતાની ફ્લીટ ઇલેક્ટ્રિક ગાડીઓ સાથે બદલવામાં કામ કરી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં Uberએ જણાવ્યું હતું કે તેની ઇકો ફ્રેન્ડલી અને ગ્લોબલ EV સર્વિસ, Uber ગ્રીન હવે દિલ્હીમાં પણ ઉપલબ્ધ છે. ગુરુવારે Uberએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે પણ ડીલ કરી છે, જે હેઠળ કંપની નેટવર્ક સાથે ઇન્ટિગ્રેશન કરીને Uber એપ પર પોતાની સુવિધાઓ વધારવા પર કામ કરશે. ઉલ્લેખનીય છે કે, ખોસરોશાહીએ ભારતના પ્રવાસ પર નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી અને સસ્ટેનેબલ અને ડિજિટલ એનેબલ્ડ ટ્રાન્સપોર્ટેશન માટે પ્રસ્તાવો પર ચર્ચા કરી. તેની સાથે જ શુક્રવારે તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મૂલકાત કરી. જયશંકરે X પર લખ્યું કે ભારતમાં બિઝનેસ કરવાને લઈને ખોસરોશાહીનો આશાવાદ ઉત્સાહજનક છે.

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.