તહેવાર ટાણે સોનાના ભાવ ઉંધા માથે પટકાયો, ચાંદી પણ ઘટી, ખરીદવાની તક છે

હમણાં છેલ્લાં 10 દિવસમાં સોનાના ભાવોમાં મોટો ગાબડાં પડ્યા છે અને જાણકારોનું માનવું છે કે સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે. હવે હિંદુ તહેવારોની વણજાર શરૂ થશે એટલે ધંધો વધશે એવું ઝવેરીઓ માની રહ્યા છે.

જો તમે તહેવારાનો સમયમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે સોનું ખરીદવાનો સારો સમય હોવાનું જાણકારોનું કહેવું છે. સામા તહેવારોએ સોનાનો ભાવ 10 દિવસમાં ઉંધા માથે પટકાયો છે. છેલ્લાં 10 જ દિવસમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 3,000 રૂપિયા નીચે ઉતરી ગયો છે. વૈશ્વિક કારણોને લીધે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવોમાં કડાકો બોલી ગયો છે. ગયા વર્ષે દિલ્હીમાં ધનતેરસના પવિત્ર દિવસે 50 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. ચાંદીના ભાવની વાત કરીએ તો  1 ઓકટોબરે ચાંદી 73,500 રૂપિયા પર હતી જે 7 ઓકટોબરે 72,100 પર આવી ગઇ છે. મતલબ કે સપ્તાહમાં 1400 રૂપિયા તુટ્યા છે.

સોનાના ભાવોમાં થયેલા ઘટાડાને કારણે ઝવેરીઓના ચહેરા પર રોનક આવી ગઇ છે, કારણે સોનાના ભાવો ઉંચા હોય ત્યારે જોઇએ તેટલું સોનું વેચાતું નથી, પરંતુ આ વખતે ધનતેરસના દિવસે ઝવેરીઓની ગયા વર્ષ કરતા 30 ટકા વધારે સોનું વેચાવવાની આશા રાખીને બેઠા છે.

ઝવેરીઓનું કહેવું છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડાની બજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. લોકો રોકાણ માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 57,310 રૂપિયા હતો. તો ચેન્નાઇમાં 57.650, મુંબઇમાં 57,230, કોલકાત્તામાં 57,230 રૂપિયાનો ભાવ હતો. મતલબ કે મુંબઇ અને કોલકાત્તામાં સરખો ભાવ હતો.

ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધ્યક્ષ કુચા મહાજનીના યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે ગયા વર્ષે દિલ્હીમાં ધનતેરસ પર દિલ્હીના જ્વેલરી માર્કેટમાં 45 હજારથી 50 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું.

વાયદા બજારમાં સોનાનો ભાવ 29 રૂપિયા વધીને 56,637 રૂપિયા પર પહોંચ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના કોન્ટ્રાક્ટમાં 29 રૂપિયા અથવા 0.05 ટકા વધીને 56,637 ભાવ થયો હતો. આ કોન્ટ્રાક્ટમાં 16,194 લોટના સોદા થયા હતા.

વાયદા બજારમાં ચાંદીના ભાવમાં પણ 157 રૂપિયાનો વધારો જોવાયો હતો. ચાંદી કિલોગ્રામ દીઠ 66.925 પર પહોંચી હતી.મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જ પર ડિસેમ્બર ડિલીવરી માટેના કોન્ટ્રેક્ટમાં ચાંદી 157 અથવા 0.24 ટકા વધીને 66,925 પર પહોંચી હતી.

નોંધ- માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.