હિંડનબર્ગનો નવો રિપોર્ટ, SEBI ચેરમેન અને અદાણી ગ્રુપ વચ્ચે બતાવ્યું કનેક્શન

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એક વખત ચર્ચામાં છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના ખુલાસામાં દાવો કર્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી ખબર પડે છે કે SEBI ચેરમેનની અદાણી મની સાઇફનિંગ કૌભાંડમાં ઉપયોગ કરવામાં આવેલી અસ્પષ્ટ ઓફશોર સંસ્થાઓમાં ભાગીદારી હતી. હિંડનબર્ગ રિસર્ચે શનિવારે X પર એક પોસ્ટ કરી હતી. તેમાં એક ભારતીય કંપની સાથે જોડાયેલા વધુ એક ખુલાસાના સંકેત આપ્યા હતા. અમેરિકન શોર્ટ સેલર ફર્મે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ભારતમાં જલદી જ કંઇક મોટું થવાનું છે.’

શનિવારે સાંજે હિંડનબર્ગ રિસર્ચે વધુ એક પોસ્ટ કરતાં પોતાની વેબસાઇટ પર તેની સાથે સંબંધિત રિપોર્ટ શેર કર્યો. હિંડનબર્ગે આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને SEBI ચીફ વચ્ચે લિન્ક હોવાનો દાવો કર્યો. હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો છે કે વ્હિસલ બ્લોઅર પરથી મળેલા દસ્તાવેજોથી ખબર પડે છે કે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઇફનિંગ સ્કેન્ડલમાં થયો. તેમાં SEBI અધ્યક્ષ માધબી પુરી બુચની હિસ્સેદારી હતી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો સંદર્ભ આપતા લખ્યું કે, માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન 2015ના રોજ સિંગાપુરમાં IPE પ્લસ ફંડ 1 સાથે પોતાનું ખાતું ખોલ્યું.

IIFLના એક પ્રિન્સિપાલ દ્વારા હસ્તાક્ષરીત ફંડની ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે રોકાણનો સ્ત્રોત સેલેરી છે અને દંપતિનું કુલ રોકાણ 10 મિલિયન ડૉલર આંકવામાં આવ્યું છે. હિંડનબર્ગનો આરોપ છે કે ઓફશોર મોરીશસ ફંડની સ્થાપના ઇન્ડિયા ઇન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટરે કરી હતી અને એ ટેક્સ હેવન મોરીશસમાં રજિસ્ટર્ડ છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તેણે આ અગાઉ એ નોટિસ કર્યું હતું કે નિયામક દ્વારા હસ્તક્ષેપના જોખમ બાદ પણ અદાણી ગ્રુપે પૂરા વિશ્વાસ સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તેને એવી રીતે સમજી શકાય છે કે SEBI અધ્યક્ષ માધબી પૂરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે કોઇ સંબંધ છે.

ન્યૂઝ એજન્સી મુજબ SEBI અધ્યક્ષ માધબી બુચ અને તેના પતિએ શનિવારે હિંડનબર્ગના આરપોને નિરાધાર બતાવ્યા અને કહ્યું કે, તેમનું ફાઇનાન્સ એક ખુલ્લુ પુસ્તક છે. માધબી પૂરી બુચ અને ધવલ બુચે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચ, જેની વિરુદ્ધ SEBIએ પ્રવર્તન કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે તેણે એજ જવાબમાં ચરિત્ર હનનો પ્રયાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. માધવી બુચે કહ્યું કે, અમારી વિરુદ્ધ 10 ઑગસ્ટ 2024નો હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોના સંદર્ભમાં અમે એ કહેવા માગીશું કે અમે રિપોર્ટમાં લગાવવામાં આવેલા નિરાધાર આરોપો અને આક્ષેપોનું દૃઢતાથી ખંડન કરીએ છીએ. તેમાં કોઇ સચ્ચાઇ નથી.

તેમણે કહ્યું કે, અમારું જીવન અને નાણાકીય સ્થિતિ એક ખુલ્લુ પુસ્તક છે. બધા આવશ્યક ખુલાસા છેલ્લા કેટલાક વર્ષોમાં SEBIને પહેલા જ આપી ચૂક્યા છે. તેમને કોઇ પણ અધિકારી સમક્ષ બધા નાણાકીય દસ્તાવેજ પ્રકટ કરવામાં કોઇ ખચકાટ નથી, જેમાં એ સમયના દસ્તાવેજ પણ સામેલ છે જ્યારે અમે પૂરી રીતે અંગત નાગરિક હતા. એ સિવાય પૂર્ણ પારદર્શિતાના હિતમાં અમે યથાસમય એક ડિટેલ સ્ટેટમેન્ટ જાહેર કરીશું.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.