દેશનો પહેલો હાઇપરલૂપ ટ્રેક તૈયાર... 30 મિનિટમાં 300 Kmની મુસાફરી! જાણો શા માટે તે ખાસ છે

ભારતમાં રેલ પરિવહનને સરળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે અને હવે ભારતીય રેલ્વે સંબંધિત એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હકીકતમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ આગળ વધારવાની સાથે, દેશનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ હાઇપરલૂપ ટ્રેક રેલવે દ્વારા IIT મદ્રાસના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક IIT મદ્રાસની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને તે 410 મીટર લાંબો છે. આ હાઇપરલૂપ ટ્રેક પ્રોજેક્ટ ભવિષ્યમાં રેલ ટ્રાફિકને વધુ સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, રેલ્વે હાઇપરલૂપ ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે IIT મદ્રાસને 1 મિલિયન ડૉલરની ત્રીજી ગ્રાન્ટ મંજૂર કરશે.

હાઇપરલૂપ રેલ ટ્રેક હકીકતમાં એક એવી ટેકનોલોજી છે, જેમાં ટ્રેનને ખાસ ડિઝાઇન કરેલી ટ્યુબમાં ચલાવવામાં આવે છે અને તે પણ વધુ ઝડપે, જે જાહેર પરિવહનને ઝડપી બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે જ્યારે દેશનો પહેલો હાઇપરલૂપ રેલ ટ્રેક તૈયાર થઈ ગયો છે, ત્યારે અપેક્ષા રાખવામાં આવે છે કે, તેના પર ટૂંક સમયમાં ટ્રેન ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

દેશમાં વેક્યુમ ટ્યુબ આધારિત હાઇપરલૂપ ટ્રેનની શરૂઆત સાથે, તે દેશમાં પરિવહનનું પાંચમું અને સૌથી ઝડપી માધ્યમ બનશે. હાઇપરલૂપ ટ્રેનની ગતિ 600-1200 Km/h સુધીની હોઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેકનું પરીક્ષણ 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરી શકાય છે અને આ રીતે જોઈએ તો, 300 કિલોમીટરની મુસાફરી માત્ર 30 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે.

દેશમાં બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ દિશામાં કામ સતત ચાલી રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલ 2024માં, રેલ્વે મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે 2026 સુધીમાં દેશમાં તેની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં શરૂ થનારી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનની ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે, આવી સ્થિતિમાં, હાઇપરલૂપ ટ્રેક દ્વારા આ અંતર ફક્ત 30 મિનિટમાં કાપવામાં આવશે.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.