PMMY યોજના હેઠળ 40 કરોડ લોન ખાતામાં 23 લાખ કરોડ મંજૂર કરાયાઃ નાણામંત્રી

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ PM મુદ્રા યોજના (PMMY)નો આરંભ કરવામાં આવ્યો હતો. બિન-કોર્પોરેટ, બિન-કૃષિ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને આવકનું સર્જન કરવામાં મદદરૂપ થવા માટે ₹10 લાખ સુધીની સરળ જામીન-મુક્ત માઇક્રો ધીરાણની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. PMMY હેઠળ આપવામાં આવતી લોન સભ્ય ધીરાણ સંસ્થાઓ (MLI), એટલે કે, બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC), માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFI) અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

PMMYની સફળ 8મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી, આ યોજનાએ સૂક્ષ્મ ઉદ્યોગોને ધીરાણની સરળ અને ઝંઝટ મુક્ત સુલભતા પૂરી પાડી છે અને મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના પોતાના વ્યવસાયો સ્થાપિત કરવામાં મદદ કરી છે.

સીતારમણે PMMYના ડેટાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી 24.03.2023 સુધીમાં, તે અંતર્ગત 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ ₹23.2 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળના આપવામાં આવેલી કુલ લોનમાંથી લગભગ 68% ખાતાઓ મહિલા ઉદ્યોગસાહસિકોના છે અને 51% ખાતાઓ SC/ST અને OBC શ્રેણીના ઉદ્યોગસાહસિકોના છે. આ આંકડાઓ દર્શાવે છે કે, દેશના ઉભરતા સાહસિકોને ધીરાણ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું હોવાથી તેઓ આવિષ્કાર તરફ આગળ વધ્યા છે અને માથાદીઠ આવકમાં એકધારો વધારો થયો છે.

MSMEની મદદથી સ્વદેશી નિર્માણની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા, નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, MSMEના વિકાસથી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં મોટા પાયે યોગદાન મળ્યું છે કારણ કે મજબૂત ઘરેલું MSMEના કારણે સ્થાનિક બજારોમાં તેમજ નિકાસ એમ બંને માટે સ્વદેશી ઉત્પાદનમાં વધારો થયો છે. PMMY યોજનાએ ભારતના અર્થતંત્રને વેગ આપવાની સાથે-સાથે પાયાના સ્તરે ખૂબ જ વિશાળ સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે અને ગેમ ચેન્જર પણ સાબિત થઇ છે.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી (MoS) ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, PMMY યોજના શરૂ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય દેશમાં સૂક્ષ્મ ઉદ્યોગસાહસોને વિના અવરોધે જામીન મુક્ત ધીરાણની સુલભતા પૂરી પાડવાનો છે. આ યોજનાએ સમાજના સેવા વંચિત અને પૂરતી સેવાઓ ન મેળવી શકનારા વર્ગોને સંસ્થાકીય ધીરાણના માળખામાં લાવી દીધા છે. મુદ્રાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિએ લાખો MSME સાહસોને ઔપચારિક અર્થવ્યવસ્થા તરફ દોર્યા છે અને ભંડોળ માટે વ્યાજખોરો પાસેથી ખૂબ જ ઊંચા દરે ધીરાણ લેવાના વિષચક્રમાંથી પણ તેમને મુક્તિ મળી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.