મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટ અને ગૂગલના CEOને છોડ્યા પાછળ, હવે વિશ્વમાં બીજા ક્રમે

એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્રની ગુરુવારે સગાઈ થઈ હતી, તો હવે વધુ એક તેમના માટે સારા સમાચાર આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનને Brand Guardianship Index 2023માં ભારતમાં પહેલા અને વિશ્વમાં બીજા ક્રમે રાખવામાં આવ્યા છે. તેમણે માઈક્રોસોફ્ટના CEO ભારતવંશી સત્ય નડેલા અને ગૂગલના ભારતીય મૂળના CEO સુંદર પિચાઈને પણ પાછળ છોડી દીધા છે.

તમને જણાવી દઈએ કે આ ઈન્ડેક્સ બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સ એ CEOનું વૈશ્વિક રેન્કિંગ છે. બ્રાન્ડ ફાઇનાન્સે કહ્યું કે અમે એક સંતુલિત ઇન્ડેક્સ બનાવ્યો છે. તેમાં કંપનીમાં કાર્ય કરવાની કંપનીના CEOની ક્ષમતાઓનું મૂલ્યાંકન અને લાંબા ગાળા માટે શેરધારકોના મૂલ્યને આગળ લઈ જવામાં ભૂમિકાનું આકલન કરે છે. આ ઇન્ડેક્સ કોર્પોરેટ બ્રાન્ડ વેલ્યુએશનની મૂલ્યાંકનને રેખાંકિત કરે છે.

ANI અનુસાર, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડેક્સમાં 81.7નો BGI સ્કોર મેળવ્યો છે, જે અમેરિકન ટેક જાયન્ટ Nvidiaના જેન્સન હુઆંગથી બરાબર નીચે છે, જેમનો સ્કોર 83 છે. આ સ્કોર સાથે હુઆંગ વિશ્વમાં પ્રથમ નંબર પર છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ અને બ્રાન્ડ ગાર્ડિયનશિપ રેન્કિંગ્સ 1,000થી વધુ માર્કેટ એનાલિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઈન્ડેક્સમાં જ્યાં ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી વિશ્વમાં બીજા અને ભારતમાં પ્રથમ સ્થાને છે. તો આ યાદીમાં અન્ય ભારતીય CEOનો દબદબો પણ જોવા મળ્યો છે. ટોપ-10માં મોટાભાગના નામો ભારવંશીઓના છે. એડોબના શાંતનુ નારાયણ ચોથા, ગૂગલના સુંદર પિચાઈ પાંચમા, ડિલેના પુનીત રાજન છઠ્ઠા, ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન આઠમા ક્રમે છે. ઇન્ડેક્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને 23મું સ્થાન મળ્યું છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રુપને નવી દિશા આપીને ટોચ પર લઈ જવાનું કામ કર્યું છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેનું માર્કેટ કેપ રૂ. 17 લાખ કરોડથી વધુ છે. આ સાથે મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તેઓ રિટેલ સેક્ટર પર સૌથી વધુ ફોકસ કરી રહ્યા છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.