88 હજાર કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ થવાના સમાચાર અંગે જાણો RBIએ શું કહ્યું

ગત દિવસોમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, 88,032.5 કરોડ રૂપિયાની કિંમતની 500 રૂપિયાની નોટ રહસ્યમય ઢંગે દેશની ઇકોનોમીથી ગાયબ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ રિપોર્ટને ફગાવ્યો છે. રિપોર્ટ મુજબ માહિતીના અધિકાર (RTI) હેઠળ એક જવાબથી ખબર પડી કે નાસિકની કરન્સી નોટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 375.450 મિલિયન નોટ છાપવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, RBIના રેકોર્ડથી ખબર પડે છે કે એપ્રિલ 2015 અને ડિસેમ્બર 2016 વચ્ચે કેન્દ્રીય બેંકને માત્ર 345.000 મિલિયન પ્રિન્ટેડ નોટ જ મળી હતી.

આ બાબતે રિઝર્વ બેન્કે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, માહિતીની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. રિઝર્વ બેંક પાસે પ્રિન્ટિંગ પ્રેસથી RBIને વિતરિત કરવામાં આવેલી બધી બેંક નોટોનો ઉચિત હિસાબ છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે, 500 રૂપિયાની નોટ ગાયબ થઈ છે, પરંતુ એ સાચું નથી. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ રિપોર્ટ માહિતીના અધિકાર અધિનિયમ,, 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસોથી એકત્ર કરવામાં આવેલી જાણકારીની ખોટી વ્યાખ્યા પર આધારિત છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે, એ ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રિન્ટિંગ પ્રેસથી રિઝર્વ બેંકને વિતરિત કરવામાં આવેલી બધી નોટોનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે. નોટોનું છાપકામ, સ્ટોરેજ અને વિતરણની દેખરેખ માટે પ્રોટોકોલ સહિત પ્રેસમાં છપાયેલા અને વિતરણ કરવામાં આવેલી બેંક નોટોના મિલાન માટે તેની પાસે મજબૂત સિસ્ટમ ઉપલબ્ધ છે. એટલે લોકોને અનુરોધ છે કે એવી બાબતે રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર પ્રકાશિત થનારી સૂચનાઓ પર જ ભરોસો કરો.

રિપોર્ટમાં શું હતું?

RTI રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 88,032.50 કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ છે. 500 રૂપિયાની 8,810.65 મિલિયન નવી નોટ જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કે 7,260 મિલિયનની નોટ જ પ્રાપ્ત કરી. આંકડાઓ મુજબ 1760.65 મિલિયન નોટ ભારતીય ઇકોનોમીથી ગાયબ છે, જેની કિંમત 88.032.50 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે 3 યુનિટ છે, જ્યાં નોટોનું છાપકામ થાય છે.

નાસિક સ્થિત પ્રિન્ટિંગ પ્રેસથી વર્ષ 2016-17 દરમિયાન 1662 મિલિયન નોટ રિઝર્વ બેંકને મોકલવામાં આવી હતી. બેંગ્લોર યુનિટથી 5195.65 અને દેવાસથી 1953 મિલિયન નોટ રિઝર્વ બેંકને સપ્લાઈ કરવામાં આવી હતી. ત્રણેયને મળાવીને 8810.65 મિલિયન નોટ થઈ. તેમાંથી માત્ર 7260 મિલિયન નોટ જ રિઝર્વ બેન્કે રીસિવ કરી હતી, પરંતુ રિઝર્વ બેન્કે નોટ ગાયબ થવાના દાવાઓને પૂરી રીતે નકારી દીધી છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું કે, તેની પાસે બધી નોટોનો પૂરો હિસાબ છે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.