SVPI એરપોર્ટનું 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ

અમદાવાદ, 23મી ઑક્ટોબર 2024: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કર્યું છે. જેનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઑક્ટોબર, 2024થી 10મી જાન્યુઆરી, 2025 સુધી તેમાં ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એક્ટિવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગીફ્ટ્સ જીતી શકે છે.

અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા યાત્રીકો ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ માણવાનો લાભ લઈ શકશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ માણી શકશે. હાલમાં, એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમા વાઉચર્સ, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, SVPIA ખાતે રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતા મુસાફરોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.

પ્રવાસીઓને વન નેશન બિલિયન સેલિબ્રેશન્સમાં ભાગ લઈને 80થી વધુ બ્રાન્ડ્સ અને 100થી વધુ વિશિષ્ટ રીતે ક્યુરેટેડ બ્રાન્ડ પ્રમોશન સાથે તેમના અનુભવને ઉન્નત કરવા SVPIA દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.