SVPI એરપોર્ટનું 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ

અમદાવાદ, 23મી ઑક્ટોબર 2024: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કર્યું છે. જેનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઑક્ટોબર, 2024થી 10મી જાન્યુઆરી, 2025 સુધી તેમાં ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એક્ટિવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગીફ્ટ્સ જીતી શકે છે.

અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા યાત્રીકો ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ માણવાનો લાભ લઈ શકશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ માણી શકશે. હાલમાં, એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમા વાઉચર્સ, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, SVPIA ખાતે રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતા મુસાફરોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.

પ્રવાસીઓને વન નેશન બિલિયન સેલિબ્રેશન્સમાં ભાગ લઈને 80થી વધુ બ્રાન્ડ્સ અને 100થી વધુ વિશિષ્ટ રીતે ક્યુરેટેડ બ્રાન્ડ પ્રમોશન સાથે તેમના અનુભવને ઉન્નત કરવા SVPIA દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Top News

પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

IMFએ પાકિસ્તાનને બેલ આઉટટ પ્રોગામ આપ્યો છે. બેલઆઉટનો મતલબ એ છે કે કોઇ બિઝનેસને બચાવવા માટે જે સહાય આપવામાં...
World 
પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

ઓપરેશન સિંદૂરની સફળતા પછી, PM નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. PM મોદી 26 અને 27 મેના...
Gujarat 
26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા

પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જ્યાં આપણે ઘણી બધી સંપત્તિઓ એકઠી કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ સાચી સંપત્તિ...
Opinion 
પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!

દેશમાં કોવિડ NB.1.8.1 અને LF.7નો પ્રવેશ, જાણો હાલની સ્થિતિ

કોરોના વાયરસ ફરી એકવાર દેશમાં તણાવ વધારી રહ્યો છે. કોવિડ NB.1.8.1 અને LF.7ના નવા પ્રકારો આવી રહ્યા છે. તમિલનાડુ...
National 
દેશમાં કોવિડ NB.1.8.1 અને LF.7નો પ્રવેશ, જાણો હાલની સ્થિતિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.