ગુજરાતમાં આવેલું છે આખા દેશનું સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝા, વર્ષે કમાણી 400 કરોડ

હાઇવે-એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે, તમારે ટોલ પ્લાઝા પર રોકાઈને ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. ટોલ ટેક્સથી તમારા ખિસ્સા તો હળવા થાય છે, પરંતુ તેનાથી સરકારી તિજોરી ભરાઈ જાય છે. આ ટોલ ટેક્સ સરકારી તિજોરીમાં ઘણા પૈસા લાવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનો સૌથી વધુ નફો કરતો ટોલ પ્લાઝા કયો છે? તેની કમાણી એટલી બધી છે કે, તે એક વર્ષમાં તમારા ખિસ્સામાંથી 400 કરોડ રૂપિયા વસૂલ કરી લે છે.

દેશમાં સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા ગુજરાતના ભરથાણા ગામમાં આવેલો છે. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલો આ ટોલ પ્લાઝા કમાણીની દૃષ્ટિએ ટોચ પર છે. રાજધાની દિલ્હીથી મુંબઈને જોડતા આ હાઇવે પર બનેલો ટોલ પ્લાઝા સૌથી વધુ આવક મેળવનાર ટોલ પ્લાઝા તરીકે ગણવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, NH-48 દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંથી એક છે.

Toll Plaza
gujaratsamachar.com

ગુજરાતમાં NH-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝા દેશનો સૌથી નફાકારક ટોલ પ્લાઝા છે, જે એક વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. જ્યારે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં એટલે કે 2019-20થી 2023-24 દરમિયાન, આ ટોલ પ્લાઝાએ 2,043.81 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે.

ફાસ્ટેગ આવ્યા પછી, ટોલ પ્લાઝાની આવકમાં વધારો થયો છે. ફાસ્ટેગની મદદથી ટોલ ટેક્સ ચોરી ઓછી થઈ છે, જેના કારણે આવકમાં વધારો થયો છે. સરકાર શક્ય તેટલા વધુ હાઇવે પર ટોલ ટેક્સ લગાવવા માંગે છે, જેથી તેની આવક વધી શકે. NH-48 દ્વારા, ઉત્તર ભારતના રાજ્યોમાંથી માલ પશ્ચિમ કિનારાના બંદરો સુધી પહોંચે છે. આ ટોલ પ્લાઝા પરથી ટ્રક અને વાહનોને પસાર થવું પડે છે, જેના કારણે આ ટોલ પ્લાઝાની આવક વધુ છે, જ્યારે કોમર્શિયલ વાહનોનો ટોલ પણ ખાનગી વાહનો કરતા વધારે છે.

Toll Plaza
sanmarg.in

રાજસ્થાનમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા, જે એ જ NH-48 પર બનેલો છે, તે કમાણીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. અહીં દર વર્ષે ટોલ વસૂલાત રૂ. 378 કરોડ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળનો જલાધુલાગોરી ટોલ પ્લાઝા કમાણીમાં ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, બારાજોર ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશમાં ચોથા સ્થાને છે. અહીં તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટોલ પ્લાઝા છે. આ રાજ્યમાં લગભગ 97 ટોલ પ્લાઝા છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.