શેરબજારમાં તોફાની તેજીના 5 કારણો, શું સારા દિવસો પાછા આવી ગયા?

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. માત્ર 4 દિવસમાં, સેન્સેક્સ 2.97 ટકા અથવા 2190 પોઈન્ટ વધીને 76,082.68 પર પહોંચી ગયો છે. બીજી તરફ, નિફ્ટી 714 પોઈન્ટ અથવા 3.19 ટકા વધીને 23,112.15 પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, બેંક નિફ્ટી અને અન્ય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, જો કોઈ નકારાત્મક સમાચાર ન આવે તો આ ઉપર તરફનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. જોકે, રોકાણકારોમાં હજુ પણ ભયનો માહોલ છવાયેલો છે. ચાલો જાણી લઈએ તે પાંચ મુદ્દા વિશે, કે જે બજારમાં તેજીનો સંકેત આપી રહ્યા છે.

Stock-Market-Rally1
hindi.moneycontrol.com

છેલ્લા મહિનામાં, છૂટક ફુગાવો 3.6 ટકાના 7 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. જે RBIની મર્યાદા કરતા ઘણું ઓછું છે. ફુગાવામાં ઘટાડો થવાનો મતલબ વપરાશમાં વધારો થવો. આ ઉપરાંત, લોકોના ખિસ્સામાં વધુ પૈસા બચશે, જે બજાર માટે સારા સંકેતો આપી રહ્યા છે. ખાદ્ય ફુગાવાનો દર પણ જાન્યુઆરીની સરખામણીમાં 185 બેસિસ પોઈન્ટ ઘટીને 3.84 ટકા થયો છે. શાકભાજીના ભાવ પણ ઘટ્યા છે.

ફુગાવામાં ઘટાડો થવાથી, કેન્દ્રીય બેંક ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે, જેથી લોકો માટે લોન પર વ્યાજ દર ઓછો થાય. રેપો રેટમાં ઘટાડો થવાથી વપરાશ અને રોકડ પ્રવાહમાં પણ વધારો થશે.

Stock-Market-Rally
aajtak.in

ઉત્પાદન ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે, આ વર્ષે જાન્યુઆરીમાં દેશના ઉદ્યોગ ઉત્પાદન (IIP)માં 5 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2024માં ઉદ્યોગ ઉત્પાદન સૂચકાંકના સંદર્ભમાં માપવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો. સત્તાવાર માહિતી અનુસાર, સરકારે ડિસેમ્બર 2024માં 3.2 ટકા વૃદ્ધિના કામચલાઉ અંદાજમાં સુધારો કર્યો છે, જે હવે 3.5 ટકા કરવામાં આવ્યો છે. આ પણ બજાર માટે એક સારો સંકેત છે.

ભારતીય સ્ટેટ બેંક (SBI)ના એક અહેવાલમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં દેશના આર્થિક સૂચકાંકોનો ઉલ્લેખ કરીને એવું કહેવામાં આવ્યું છે કે, જો ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો તે દેશની પ્રગતિને વધુ ટેકો આપી શકે છે. આ અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં ભારતની અર્થવ્યવસ્થાએ ઘણા મોરચે સારું પ્રદર્શન કર્યું છે.

Stock-Market-Rally3
tv9hindi.com

અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો ભારતીય શેરબજાર માટે પણ સારો સાબિત થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે. જો ડૉલર ઇન્ડેક્સ ઘટશે, તો તે ભારતીય રૂપિયાને મજબૂત બનાવશે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ વધુ વધશે. આનાથી ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર પડશે.

નોંધ: કોઈપણ શેરમાં તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમે તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

About The Author

Top News

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.