10 વર્ષ પહેલા 100માં જે વસ્તુ મળતી,આજે તે કેટલામા આવે છે?જાણો કેટલી વધી મોંઘવારી

મોંઘવારી એક સમાન્ય વ્યક્તિ માટે શાપ સમાન છે, જે વ્યક્તિના સામાન્ય જીવનમાં ગ્રહણનું કામ કરે છે. ભારત જેવા દેશમાં મોંઘવારી વધવી એ ખૂબ ચિંતાજનક વિષય છે, કારણ કે હજુ પણ ભારતમાં એક સામાન્ય વ્યક્તિની માસિક કમાણી લગભગ 12,500 રૂપિયાની આસપાસની જ છે. સરકાર પોતે માને છે કે, દેશમાં 80 કરોડથી પણ વધારે લોકો ગરીબ છે, તેથી જ તેમને મફતમાં અનાજ આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે પહેલેથી જ સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઇ છે. હવે મોંઘવારીના કારણે પરિસ્થિત વધુ કફોડી થઇ ગઇ છે. હાલમાં જ સરકારે મોંઘવારી દરને લઇને જે આંકડા રજૂ કર્યા છે, તે કહે છે કે દેશમાં મોંઘવારી દર 8 ટકાની નજીક પહોંચી ગયો છે.

સરકાર અનુસાર, એપ્રિલમાં કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત રીટેલ મોંઘવારીનો દર 7.79 ટકા રહ્યો. મોંઘવારીનો આ દર 8 વર્ષના ઉચ્ચ સત્તરે છે. આ પહેલા મે 2014માં મોંઘવારી દર 8.33 ટકા રહ્યો હતો. મોંઘવારી દર એટલે કોઇપણ સામાન કે સેવાની સમય સાથે વધતી કિંમતો. મોંઘવારી દરને કોઇપણ મહિના કે વર્ષના હિસાબે માપવામાં આવે છે. કોઇ ચીજ થોડાં વર્ષો પહેલા 100 રૂપિયાની મળતી હતી, તે હવે 105 રૂપિયાની મળે છે. આ રીતે ગણતરી કરવામાં આવે તો તેનો વાર્ષિક મોંઘવારી દર 5 ટકા છે એમ કહી શકાય.

મોંઘવારી દર વધવાના કારણે એક મોટું નુકસાન એ છે કે, તેને સમય સાથે રૂપિયાની કિંમતો ઓછી થતી જાય છે. એટલે કે, આજે તમારી પાસે રહેલા 105 રૂપિયાની કિંમત એક વર્ષ પહેલા 100 રૂપિયા હતી. મોંઘવારી દરનું આંકલન હાલ 2012ની બેઝ પ્રાઇસના આધારે કરવામાં આવી રહ્યું છે. તેનાથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે, 2012માં 100 રૂપિયામાં તમે જે વસ્તુ ખરીદી શકતા હતા, આજે એ વસ્તુ ખરીદવામાં તેમને કેટલો ખર્ચ આવે.

2012માં જો તમે 100 રૂપિયામાં કોઇ સામાન ખરીદતા હતા, તે જ સામાન ખરીદવામાં આજે 170.1 રૂપિયા ખર્ચવા પડશે. એક વર્ષ પહેલા તમે 157.8 રૂપિયા ખર્ચ આવતો. અટલે કે, એક વર્ષમાં તે જ સામાનને ખરીદવા માટે તેમને 12.3 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા. જોકે, એક વર્ષમાં જ તમારે એ જ સામાન ખરીદવા માટે 157.8 રૂપિયાની જગ્યા પર 170.1 રૂપિયા ખર્ચ કરવા પડે છે, કારણ કે વાર્ષિક મોંઘવારી દર 7.79 ટકા થઇ ગયો છે.

ભારતમાં મોંઘવારી માપવા માટે બે ઇન્ડેક્સ છે. પહેલો કંઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI અને બીજે છે હોસલેસ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI. CPI દ્વારા રીટેલ મોંઘવારી દર માપી શકાય છે અને WPI દ્વારા છુટક મોંઘવારી દર માપી શકાય છે. સામાન્ય લોકો ગ્રાહક તરીકે જે સામાન ખરીદી છે, તે છુટક બજારમાંથી ખરીદે છે. CPI દ્વારા જાણી શકાય છે કે, છુટક બજારમાં જે સામાન છે, તે કેટલો મોંઘો કે સસ્તો થઇ રહ્યો છે. જ્યારે, કારોબારી કે કંપનીઓ થોક બજારમાંથી સામાન ખરીદે છે. તે WPI દ્વારા જાણી શકાય છે અને થોક બજારમાં સામાનની કિંમતોમાં થનારા બદલાવની જાણકારી મેળવી શકાય છે.

Related Posts

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.